Thursday, 25 December 2014

અયોધ્યામાં ચાર હજાર મુસ્લિમોને હિંદુ બનાવશે વિશ્વ હિંદુ પરિષદ

 દેશમાં ધર્માંતરણના મુદ્દે ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. વિશ્વ હિંદુ પરિષદ એટલે કે વિહિપ અયોધ્યામાં આવતા મહિને 'ઘર વાપસી'નો એક મોટો કાર્યક્રમ આયોજિત કરવા જઇ રહી છે. તેમાં ચાર હજાર મુસ્લિમોને હિંદુ બનાવવાની યોજના છે. કાર્યક્રમનું આયોજન ભાજપના પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતી કરાવી રહ્યા છે.

જોકે, તેમણે  મુસ્લિમ પરિવારોનું નામ કહેવાનો એમ કહીને ઇનકાર કર્યો હતો કે આવું કરવાથી વહીવટીતંત્ર આ લોકોની 'ઘર વાપસી'નો કાર્યક્રમ રોકવાનો પ્રયાસ કરશે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે 'ઘર વાપસી' કરનારા મોટા ભાગના પરિવારો ફૈઝાબાદ, આંબેડકર નગર, ગોંડા, બહરાઇચ અને સુલ્તાનપુરના છે. તેમણે દાવો કર્યો હતો કે આ દરેક મુસ્લિમ પરિવાર સ્વેચ્છાથી 'ઘર વાપસી' કરી રહ્યા છે.

 
વહીવટીતંત્રનું સખત વલણ
 
બીજી બાજુ, વિહિપના 'ઘર વાપસી' કાર્યક્રમને લઇને વહીવટીતંત્રનું વલણ સખત થઇ ગયું છે. ફૈઝાબાદના ડીઆઇજી સંજય કક્કડે કહ્યું કે કાર્યક્રમનો હેતુ ફક્ત સાંપ્રદાયિક તણાવે પેદા કરવાનો છે અને અમે એવું થવા દઇશું નહી. મુસ્લિમ લીગના સ્થાનિક નેતા નજમુલ હસને આ મામલામાં રામ વિલાસ વેદાંતીની ધરપકડની માંગ કરી છે.

No comments:

Post a Comment