Saturday, 29 November 2014

સ્‍વદેશી જીવ એટલે ‘રાજીવ' કાલે જન્‍મજયંતિ : શ્રધ્‍ધાંજલી


આધુનિક ભારતના શિલ્‍પી / સ્‍વદેશીના આગ્રહી, મહાન દેશભક્‍ત રાજીવ દિક્ષિતનો જન્‍મ નાહ ગામના અલિગઢ જીલ્લાના ઉતરપ્રદેશ અત્રૌલી તાલુકામાં ૩૦ નવેમ્‍બર ૧૯૬૭ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાધેશ્‍યામ દિક્ષિત હતું. તેઓએ ડોકટરની પદવી મેળવી વૈજ્ઞાનિક તરીકે કામ શરૂ કરેલ. પરંતુ વિદેશી કંપનીઓ ભારતને લુંટી રહી હતી. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઉધમસિંહ, મહાન ક્રાંતિકારીઓના વિચારોથી તથા ગાંધીજીના સિધ્‍ધાંતો જાણી પ્રભાવિત થયા હતાં.    ભારત આઝાદ થયા પછી ભારતમાં અંગ્રેજો ન આવવા જોઇએ. આવું સ્‍પષ્‍ટ વિચાર થી ૨૦ વર્ષ સુધી ૧૫૦૦૦થી વધુ દેશ ભક્‍તિના પ્રવચનો કર્યા આધુનિક ભારતના યુવાનોને આઝાદી પછી આટલા વર્ષ બાદ જે ચીનગારી આપી હતી તે આજે પણ યુવાનો ભુલતા નથી.   પૂ.સ્‍વામી રામદેવજીની આગેવાની હેઠળ ભારતના શીલ્‍પી રાજીવજી જેમનામાં બહાદુરી, નિપુરતા, માતૃભૂમિ પ્રત્‍યે સમર્પણ, કોઇપણ કાર્યને ચેલેન્‍જ તરીકે સ્‍વીકારાવની ધ્‍યેવૃતિ ટિમ સ્‍પીરીટમાં માનનાર, ગરીબ અને જરૂરીયાત વાળા ભારતીયોને સહાય કરવી, સાંસ્‍કૃતિ વિચારધારા ધરાવનાર દેશભક્‍ત સહકાર અને સમન્‍વયની ભાવના ધરાવનાર, સ્‍વનિર્ણયી તેવા આધુનિક ભારતના શીલ્‍પીએ દેશ માટે આહુતી આપી. તા.૩૦ નવેમ્‍બર ૨૦૧૦ના રોજ છતીસગઢના ભિલાઇ શહેરમાં ભારત સ્‍વાભીમાન રણભૂમિમાં શહિદ થયાં. છેલ્લા સમયમાં પણ આધુનિક દવા લેવાનો ઇન્‍કાર કર્યો આયુર્વેદ દવા લેવાનો આગ્રહ રાખેલ હતો. તેવા આલૈકિક દેશભક્‍ત આજે આપણી વચ્‍ચે નથી.
   - જયેશ સંઘાણી, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

No comments:

Post a Comment