
રાજકોટ,: આગામી તા.ર૩ નવે.ને રવિવારના રોજ દશનામ ગોસ્વામી
જાગૃતિ મંડળ દ્વારા આયોજીત વિદ્યાર્થી અને વ્યકિત વિશેષ સન્માન
કાર્યક્રમ દરમ્યાન કણસાગરા મહિલા કોલેજના હિન્દી વિભાગના
અધ્યક્ષ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર અને સપ્તધારાના
કો-ઓર્ડીનેટરડો.યશવંતગિરિ કે. ગોસ્વામીનું હેમુ ગઢવી હોલમાં
વિશેષ સન્માન થશે તેમ મંડળની યાદીમાં જણાવ્યું છે.
સૌરાષ્ટ્રના જાણીતા અગ્રણીઓ સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ,
વિજયભાઇ રૂપાણી, મેયર રક્ષાબેન બોળીયાની હાજરીમાં
ડો. યશવંત ગોસ્વામીનું છેલ્લા ૧પ વર્ષથી કૈલાસ માનસરોવર
યાત્રાનું સફળ આયોજન કરી ૩૦૦થી વધુ યાત્રિકોને શિવાનુ ભૂતિની
યાત્રા કરાવનાર, છેલ્લા રપ વર્ષથી અમરનાથ યાત્રા અંગે વિશેષ
કાર્ય કરનાર અને તાજેતરમાં રાજકોટથી સોમનાથની પદયાત્રા પુત્ર
શિવમ્ સંગાથે વિશેષ ભાવ સાથે પૂર્ણ કરવા બદલ સન્માનીત
કરવામાં આવશે. ડો. ગોસ્વામી આ પહેલાં સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા દશનામ વિદ્યાસાગર એવોર્ડ, દશનામ શ્રેષ્ઠી એવોર્ડ, દશનામ જ્ઞાતિ રત્ન એવોર્ડ અને દશનામ ગૌરવ એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે. ૧૧ વખત કૈલાશ માનસરોવર યાત્રા કરી છે.
ડો.ગોસ્વામી દ્વારા લિખિત ‘‘કૈલાસ માનસરોવર યાત્રા-એક મહાપ્રસ્થાન'' અને અમરનાથ યાત્રા પુસ્તક લોકપ્રિય બન્યાછે. તાજેતરમાં સોમનાથની પદયાત્રાના અનુભવો વર્ણવતુ પુસ્તક ‘પદયાત્રા અને પરિક્રમા'નું લેખન કાર્ય કરીરહ્યા છે. ડો. ગોસ્વામીના આ ઉપરાંત હિન્દી-ગુજરાતીમાં ૧પથી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે. દિલ્લીથી પ્રકાશિત ‘કૈલાસવાણી' સામયિકના સહ સંપાદક ઉપરાંત હિન્દીવિષયના નેશનલ-ઇન્ટરનેશનલ જર્નલમાં પણ તેઓ સહ સંપાદનની જવાબદારી નિભાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના હિન્દી અને ગુજરાતી અખબારોમાં તેમના લેખ સમયાંતરે પ્રસિધ્ધ થાય છે. જર્નાલીઝમમાં ગોલ્ડમેડલ મેળવેલ છે.
સતત સાત કલાક સુધી સોમનાથ મંદિરમાં ૐ સોમનાથ જયોર્તિલિંગાયનમઃ નો ૧૧,૦૦૦ વખત મંત્ર જાપ, પૂજા અર્ચન, પ્રદક્ષિણા કરવાની સાથે કૈલાસ માનસરોવરના પવિત્ર જળથી શિવલિંગ પર ૫ વખત અભિષેક કરાવ્યો.
ડો.ગોસ્વામીએ પદયાત્રા પૂર્વે જ સંકલ્પ કરેલો કે એકલા જ પદયાત્રા કરવી. અલખને ઓટલે આરામ કરવો અને માત્ર શિવાલયમાં જ રાત્રિ નિવાસ કરવો. શિવાલયમાં મોડી રાત્રી સુધી પૂજા-અર્ચના-પ્રાર્થના અને પ્રદક્ષિણા કરવી. સાંસારીક વાદ-વિવાદ-ફરિયાદ અને ભૌતિક સુખ-સુવિધાથી દૂર રહી દિવસ રાત મૌન રહી માત્ર શિવ સ્મરણ કરવું. દિવસ દરમ્યાન માત્ર એક જ વખત ભોજન કરવુ અને દિવસ રાત શિવનું ભજન કરવું.
એટલેજ ૨૧૦ કિ.મી.ની સોમનાથ પદયાત્રા દરમ્યાન તમામ સંકલ્પો સિધ્ધ થઇ શકયા હોવાનું શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રમુખ વિનોદભારથી ગોસ્વામીએ જણાવ્યુ છે.
ડો. યશવંત ગોસ્વામી
(મો ૯૪ર૭૪ ૯પ૧૭પ)
No comments:
Post a Comment