Sunday, 18 September 2016

राष्ट्रिय एवं क्रन्तिकारी संत पूज्य श्री ब्रह्मलीन महंत अवैद्यनाथ महाराज जी का जीवन परिचय

गोरक्षपीठाधीश्वर महंत अवैद्यनाथ का जीवन परिचय


गुरु का नाम- ब्रह्मलीन महन्त दिग्विजयनाथ जी महाराज
जन्म तिथि- 18 मई, 1917
जन्म स्थान- ग्राम-कांडी, जिला-गढ़वाल (उत्‍तराखंड)
पारिवारिक स्थिति- बाल ब्रह्मचारी
शिक्षा- शास्त्री संस्कृत (वाराणसी एवं हरिद्वार में अध्ययन)
कार्य क्षेत्र- हिंदू धर्म के प्रचार-प्रसार के लिए सतत् कार्यरत 
अनेक धार्मिक संगठनों से संबद्ध।
स्थाई पता- गोरक्षनाथ मंदिर, गोरखपुर- 273015 (उ.प्र.)

पूर्व सांसद और रामजन्म भूमि आन्दोलन के अग्रणी नेता रहे गोरक्षपीठ के ब्रह्मलीन पीठाधीश्वर महंत अवैद्यनाथ गोरखपुर राजनीति के कई बड़े दिग्गज इनका सम्मान करते थे, इनके पैर छूते थे। यही नहीं नरेंद्र मोदी भी इनके बहुत बड़े मुरीद थे।
उन्हें उनकी उत्साही देशभक्ति और समाज सेवा के प्रति प्रतिबद्धता के लिए याद किया जाएगा।' गोरखनाथ मंदिर परिसर स्थित ब्रह्मलीन गोरक्षपीठाधीश्वर महंत दिग्विजयनाथ की समाधि स्थल के बगल में ब्रह्मलीन हुए महंत अवैद्यनाथ को समाधि हैं।

हिमालय की पवित्र गोद में हुआ था अवैद्यनाथ जी का जन्म

इनका जन्म हिमालय की पवित्र गोद में स्थित पौढ़ी गढ़वाल जिले के कांडी प्रसिद्ध सूर्यवंशी क्षत्रियकुल में 18 मई 1917 को हुआ था। प्रारंभिक जीवन दिव्य संस्कारों और सहज आध्यात्मिक मनोवृत्तियों से हमेशा संपन्न रहा। इनके पिता रायसिंह बिष्ट ने अवैद्यनाथ जी के पालन-पोषण और शिक्षा-दीक्षा में बड़ी सतर्कता बरती। इनकी प्रारंभिक शिक्षा उच्चतर माध्यमिक श्रेणी तक ही हो पाई थी, तभी वाराणसी में निवास कर संस्कृत के अध्ययन में उन्होंने बड़ी तत्परता दिखाई। यहीं से उनके मन में योगी जीवन के प्रति श्रद्धा और आस्था बढ़ने लगी।

आध्यात्मिक जिज्ञासा शांति के लिए की ऋषिकेश की यात्रा

अवैद्यनाथ जी ने तरुणावस्था के आरंभ में ही आध्यात्मिक जिज्ञासा की शांति के लिए ऋषिकेश की यात्रा की। उन्होंने मानसरोवर, कैलाश, तिब्बत और उत्तराखंड के अनेक तीर्थस्थलों की यात्रा कर कई महात्माओं से सत्संग किया। पूर्व जन्म के संस्कारों के अनुरूप योगदर्शन और विशेतया नाथ सम्प्रदाय के सिद्धांतों के अनुशीलन में समय का सदुपयोग किया। 

महंत दिग्विजयनाथ जी को थी सद्शिष्य की खोज

जब अवैद्यनाथ जी भ्रमण कर ज्ञानार्जन कर रहे थे, उसी समय गोरक्षपीठ के महंत दिग्विजयनाथ जी को एक सद्शिष्य की खोज थी। दैवी प्रारब्ध के अनुरूप योगी शान्तिनाथ जी ने अवैद्यनाथ जी महराज को गोरखनाथ मंदिर की ओर आकृष्ट किया। वे उन्हीं के साथ गोरखनाथ मठ में उपस्थित हुए।

साल 1942 में अवैद्यनाथ जी को घोषित किया गया उत्तराधिकारी

महंत दिग्विजयनाथ ने अवैद्यनाथ जी को शिष्य के रूप में स्वीकार कर साल 1942 में 8 फरवरी को योग-दीक्षा प्रदान कर विधिवत अपना उत्तराधिकारी घोषित किया। उत्‍तराधिकारी बनने से पूर्व वो देश के राजनीतिक, सामाजिक और सांस्कृतिक जीवन में अपनी भूमिका निभाते हुए आधात्मिकता के पथ पर अडिग रहे। उन्‍होंने अपनी बढ़ती आयु और अस्वस्थता को देखते हुए 15 फरवरी 1994 को सद्शिष्य योगी आदित्यनाथ को गोरक्षपीठ का उत्तराधिकारी घोषित किया। तभी से महंत योगी अपने पिता बड़े महंत योगी अवैद्यनाथ जी की सेवा करने के साथ-साथ समाज सेवा और नाथ संप्रदाय के विश्व प्रसिद्द मंदिर गुरु गोरक्षनाथ की सेवा में तन-मन और धन से लगे हुए हैं।


महंत अवैद्यनाथ जी की राजनीतिक उपलब्धियां

साल 1970 से लेकर साल 1996 तक 
महंत अवैद्यनाथ लोकसभा सदस्‍य के रूप में भमिका निभाते रहे।

1970, गोरखपुर संसदीय क्षेत्र (निर्दलीय)
1989 - गोरखपुर संसदीय क्षेत्र (हिंदू महासभा)
1991 - गोरखपुर संसदीय क्षेत्र (बीजेपी)
1996 - गोरखपुर संसदीय क्षेत्र (बीजेपी)

विधानसभा सदस्य

1962 - मानीराम विधानसभा क्षेत्र (हिंदू महासभा)
1967 - मानीराम विधानसभा क्षेत्र (निर्दलीय)
1974 - मानीराम विधानसभा क्षेत्र (हिंदू महासभा)
1977 - मानीराम विधानसभा क्षेत्र (जनता पार्टी)

महंत अवैद्यनाथ जी की संसदीय जिम्मेदारियां

1971 - सदस्य, परामर्शदात्री समिति, गृह मंत्रालय (भारत सरकार)।
1989 - सदस्य, परामर्शदात्री समिति गृह मंत्रालय (भारत सरकार) ।
1993 - संसदीय प्रणाली व्यवस्था के लागू होने पर गृह मंत्रालय के सदस्य।

महत्वपूर्ण पदों पर भी रहे महंत अवैद्यनाथ जी

महंत अवैद्यनाथ आल इंडिया हिंदू महासभा के उपाध्‍यक्ष और एक्‍जीक्‍यूटिव पद पर रहे। इसके बाद आल इंडिया हिंदू महासभा के सदस्‍य और पूर्व महासिचव भी रह चुके हैं।

महंत अवैद्यनाथ के उत्तराधिकारी योगी आदित्यनाथ ने 1998 में सबसे कम उम्र का सांसद बनने का गौरव प्राप्त किया। योगी आदित्यनाथ ने 'हिन्दू युवा वाहिनी' का गठन किया जो हिन्दू युवाओं को धार्मिक बनाने के लिए प्रेरणा देती है। महंत अवैद्यनाथ का गोरखपुर और उसके आसपास के क्षेत्रों में काफी प्रभाव था। चार बार सांसद रहे अवैद्यनाथ ने 1998 में योगी आदित्यनाथ को अपना राजनीति वारिस बनाया था। योगी तभी से गोरखपुर का प्रतिनिधित्व करते आ रहे हैं।

इन धार्मिक पदों पर रहे महंत अवैद्यनाथ जी

गोरक्षपीठाधीश्वर- गोरक्षनाथ पीठ, गोरखपुर।
अध्यक्ष- श्रीराम जन्म भूमि मुक्ति यज्ञ समिति।
अध्यक्ष- अखिल भारत वर्षीय अवधूत भेष बारहपंथ-योगी महासभा, हरिद्वार।
अध्यक्ष- श्रीराम जन्म भूमि उच्चाधिकार समिति।
अध्यक्ष- गुरु गोरखनाथ सेवा संस्थान, गोरखनाथ (गोरखपुर)।
अध्यक्ष- श्रीराम जानकी मंदिर, झुंगिया बाजार, गोरखपुर।

इन कॉलेजों के अध्‍यक्ष रहे महंत अवैद्यनाथ जी रहे

महाराणा प्रताप स्नातकोत्तर, महाविद्यालय, जंगल धूसड़, गोरखपुर।
गोरक्षपीठाधीश्वर महंत अवैद्यनाथ महाविद्यालय, चौक, महराजगंज।
दिग्विजयनाथ एल.टी. प्रशिक्षण महाविद्यालय, गोरखपुर।
दिग्विजयनाथ इंटर कालेज, चौक बाजार, महाराजगंज।
महाराणा प्रताप कृषक इंटर कॉलेज, जंगल धूसड़, गोरखपुर।
दिग्विजयनाथ जूनियर हाई स्कूल, चौक माफी, पीपीगंज, गोरखपुर।
गोरखनाथ विद्यापीठ, पितेश्वरनाथ मंदिर, भरोहिया, पीपीगंज, गोरखपुर।
महाराणा प्रताप सीनियर सेकेंडरी स्कूल, मंगलादेवी मन्दिर, बेतियाहाता, गोरखपुर।
महंत दिग्विजयनाथ बालिका विद्यालय, चौक, महाराजगंज।
आदि शक्ति मां पाटेश्वरी पब्लिक स्कूल, देवीपाटन, तुलसीपुर, बलरामपुर।
योगिराज बाबा गंभीरनाथ सेवाश्रम समिति, जंगल घूसड़, गोरखपुर।
गुरू श्री गोरक्षनाथ स्कूल ऑफ नर्सिंग, गोरखनाथ, गोरखपुर।
गुरू गोरखनाथ संस्कृत विद्यालय, मैदागिन वाराणसी।

महंत अवैद्यनाथ जी इन कॉलेजों में रहे प्रबंधक

स्नातकोत्तर महाविद्यालय, गोरखपुर।
महाराणा प्रताप महिला महाविद्याल, रामदत्तपुर, गोरखपुर।
गोरक्षनाथ संस्कृत विद्यापीठ, गोरक्षनाथ, गोरखपुर।
महाराणा प्रताप इंटर कॉलेज, गोरखपुर।
गोरक्षनाथ उ.मा. विद्यालय,गोरखनाथ, गोरखपुर।
महाराणा प्रताप पूर्व माध्यमिक विद्यालय, रामदत्तपुर, गोरखपुर।
महाराणा प्रताप पूर्व माध्यमिक विद्यालय, लालडिग्गी, गोरखपुर।
महाराणा प्रताप शिशु शिक्षा विहार, रामदत्तपुर, गोरखपुर।
महाराणा प्रताप शिक्षा परिषद, गोरखपुर।

चिकित्सा के क्षेत्र महंत जी का योगदान

गुरू श्री गोरखनाथ चिकित्सालय, गोरखनाथ, गोरखपुर
महंत दिग्विजयनाथ आयुर्वेद चिकित्सालय, गोरखनाथ, गोरखपुर
श्री मां पाटेश्वरी सेवाश्रम चिकित्सालय, देवीपाटन, तुलसीपुर, बलरामपुर
गोरखनाथ इंस्‍टीट्यूट ऑफ मेडिकल साइंसेज, सोनबरसा, मानीराम, गोरखपुर

सामाजिक और सांस्कृतिक उपलब्धियां

श्रीराम जन्मभूमि मुक्ति आन्दोलन के प्राणेयताकार्य।
हरिजनों और निर्धनों का उत्थान, शैक्षणिक संस्थाओं की स्थापना करना।
हिंदूवाद को प्रोत्साहन देना, अस्पृश्यता के विरूद्ध सामुदायिक कार्यक्रम आयोजित करना।
साहित्यक, कलात्मक और वैज्ञानिक उपलब्धियां

विभिन्न मासिक पत्रिकाओं में योग और दर्शन पर लेख प्रकाशित।
प्रबंध संपादक- मासिक पत्रिका 'योगवाणी।'

महंत जी की विशेष अभिरुचि

योग, धार्मिक, सांस्कृतिक, दार्शनिक और ऐतिहासिक साहित्य का अध्ययन करना और धार्मिक स्थलों की यात्रा करना।

योग के क्षेत्र में महंत जी का योगदान

अध्यक्ष- महायोगी गुरू गोरखनाथ योग संस्थान, गोरखनाथ, गोरखपुर।




Monday, 11 July 2016

જોગીના યોગ

યોગને ત્રણ રીતે જોઈ શકાય. આધુનિક રીતે યોગને હોલિસ્ટિક થેરપી તરીકે જોઇ શકાય. બધા પ્રકારના શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવી થેરપી. બીજી રીત ઉપનિષદની છે, જેનું વિગતે વર્ણન ભગવદ ગીતામાં છે. અહીં યોગને બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સાક્ષાત્કારના માધ્યમ તરીકે જોવામાં આવ્યો છે. ત્રીજી રીત છે સિદ્ધ યોગ, જેના દ્વારા અસહજ શક્તિઓ પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રીજી રીત વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં પરંપરાથી યોગની આ ત્રીજી રીત જ સૌથી વધારે પ્રચલિત હતી.

જોગી એટલે હરતોફરતો સાધુ, ત્યાગી, સિદ્ધ, બાબા અને જાદુગર – બધું એકમાં જ આવી જાય. બ્રહ્મચર્યને કારણે તેને જાદુઇ તાકાત પ્રાપ્ત થયેલી ગણાતી અને ઇન્દ્રીયો પર તેનો કાબૂ ગણાતો. તેને સિદ્ધ જોગી કહેવામાં આવતો હતો. તેની પાસે વસ્તુઓનો આકાર બદલી નાખવાની, હવામાં ઉડવાની, પાણી પર ચાલવાની, હવામાંથી ભોજન પેદા કરવાની, પશુ-પક્ષીઓને કાબુ કરવાની, માંદાને સાજા કરવાની, સાપના ઝેરમાંથી બચાવવાની, વાંઝિયાને ઘરે પારણું બંધાવી આપવાની, ધરતીને ફળદ્રુપ કરી દેવાની, દેવ ને દાનવને હાજરાહજૂર કરી દેવાની અને મૃતકને જીવતા કરી દેવાની શક્તિ હોવાનું મનાતું. સિદ્ધ જોગી વાઘ, મોર કે બળદ પર બેસીને ફરતો હોય કે પછી શીખર પર ચઢીને સમાધીમાં બેઠો હોય કે ગુફામાં ધ્યાનમાં બેઠો હોય.
આજે આવી શક્તિની કોઈ જોગી વાત કરે તો તેને તાંત્રિક ગણવામાં આવે છે. આ તો સારો શબ્દ થયો. કેટલાક તો તેને ધૂતારો જ કહે. આમ છતાં લોકો આવા સિદ્ધ જોગીઓની શોધમાં બાવાની મઢીમાં અને આશ્રમોમાં ફરતા રહે છે, જાદુઇ રાખ શોધવા માટે ભટકતા રહે છે.
યોગ અને તંત્ર વચ્ચે ઘણી સમાનતા છે. તે બંને પુરુષ અને પ્રકૃત્તિ ભિન્ન છે તેમ માને છે. યોગમાં પ્રકૃત્તિને જડ માનવામાં આવે છે, જ્યારે તંત્રમાં પ્રકૃત્તિ ચેતન-સજીવ મનાય છે. પ્રકૃત્તિ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે. તેથી જ તેને શક્તિ કહેવામાં આવે છે, એટલે કે એક દેવી. જ્યારે યોગમાં તેને માયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી મુક્ત થવાનું હોય છે. તંત્રનો ઉપાસક કુદરત પર અને કુદરતી આવેગો પર કાબૂ કરવા માગે છે, જ્યારે યોગનો ઉપસાક કુદરતના બંધન અને આવેગોમાંથી મુક્ત થવાની એષણા રાખે છે. તેથી જ તાંત્રિક એક જાદુગર જેવો ગણાય છે, જ્યારે યોગીને આધ્યાત્મિક પુરુષ કે સાધક ગણવામાં આવે છે. જોકે આ બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.
તંત્ર અને યોગના રહસ્યો લોકો જાણી શક્યા તે માટે ગોરખનાથને જશ મળે છે. ગોરખનાથની પહેલા આ બધી જાણકારી ખાનગી જ રહેતી હતી. ફક્ત નાથ પંથીઓમાં ગુરુ દ્વારા શિષ્યોને જ આ રહસ્યો કહેવાતા હતા. નાથ પંથ વિશે હજી પણ રહસ્યો રહેલા છે, કેમ કે નાથ પંથીઓ હજીય મૌખિક પરંપરામાં માને છે એટલે તેમના વિશે જે કંઈ જાણકારી છે તે દંતકથાઓમાં જ છે.
નાથ સંપ્રદાયના સાધુઓ આજે પણ કાનમાં મોટો છેદ કરીને કુંડળ પહેરે છે. તેથી જ તેમને કાનફટા જોગીઓ કહેવાય છે. ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને કમર પર ઉનની દોરી બાંધી હોય છે. હાથમાં બાજુ પર અને પગમાં પણ રુદ્રાક્ષની માળા વીંટાળેલી હોય. ભભૂત ચોળી હોય અને હાથમાં ત્રિશૂળ હોય. ચીમટો, ચલમ અને લોટો પણ હાથમાં જ હોય. બ્રહ્મચર્ય પાળનારા આ નાથ બાવાઓ એક જગ્યાએ લાંબો સમય રહે નહીં. યોગ દંડ બેસતી વખતે અને સૂતી વખતે કામમાં આવે. લોટાનો ઉપયોગ ભીક્ષા લેવા માટે અને સ્નાન બંને માટે થાય. ચલમમાં ગાંજો ભરીને પીવામાં આવે. ત્રીશૂળનો ઉપયોગ ધૂણીને ધખતી રાખવા માટે પણ થાય અને તેનાથી જ રાખ ચૂલામાંથી બહાર કાઢી શકાય. મૃત્યુ પછી નાથ બાવાને બેઠા હોય તેવી સ્થિતિમાં જ સમાધી આપવામાં આવે છે.
અલખ નિરંજન એવો પોકાર નાથ બાવાની ઓળખ છે. અલખ નિરંજન એટલે કોઈ લક્ષ વિનાનો, લક્ષણ વિનાનો કે કોઈ જાતના ડાઘ વિનાનો મનુષ્ય. અથવા તો કહો કે નિરાકાર ઇશ્વર. સંસારને તુચ્છ દૃષ્ટિથી જોનારા નાથ પંથમાં ઇશ્વરને કોઈ આકારમાં બાંધી દેવાતો નથી. તેથી જ મંદિરોની વિધિઓ, સાકાર ઇશ્વર, ખાણીપીણીના નિષેધ અને જ્ઞાતિ વ્યવસ્થામાં બંધાયેલા વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયના હિન્દુઓ નાથ પંથીઓને શંકાની નજરથી જોતા હોય છે.
કેટલાક નાથ જોગીઓને ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગલાદેશના મુસ્લિમોમાં પણ પીર તરીકે માનવામાં આવે છે. સ્થાનિક લોકો માટે પીરની દરગાહ એટલે આસ્થાનું સ્થાનક. સંસારની પીડાઓમાંથી મુક્તિની પ્રાર્થના લઇને સૌ કોઈ પીરની દરગાહે આવે.
– દેવદત્ત પટ્ટનાયક (ચિત્રલેખા)

Wednesday, 6 July 2016

દરેક ડેડીએ વાંચવા જેવો એક પિતાએ શિક્ષકને લખેલો પત્ર...

આજથી લગભગ ૧૬૦ વર્ષ અગાઉ એક પિતાએ પોતાના વહાલસોયા નાનકડા દીકરાની શાળાના શિક્ષકને પત્ર લખી તેને ચારિત્ર્યવાન વ્યક્તિ બનાવવાની તાલીમ આપવાની વિનંતી કરી હતી. મોડર્ન ડેડી-મોમને પોતાના દીકરા- દીકરીની શાળાના શિક્ષકને મળવાનીય ફુરસદ નથી. એવું નથી કે આજના માતા-પિતા તેમના પ્રોફેશનમાં નોકરીમાં કે બિઝનેસમાં અતિશય વ્યસ્ત થઇ ગયા છે. મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા માટે, હિલ સ્ટેશને આઉટિંગ માટે, બેડમિન્ટન કે ગોલ્ફ રમવા માટે કે મિત્રો સાથે પાર્ટી માટે તેઓ ગમે તે રીતે સમય કાઢી શકે છે.

૧૬૦ વર્ષ અગાઉ એક એવા પિતા થઇ ગયા કે જે પોતાના લાડકા દીકરાને કોઇ મોટો ડોક્ટર કે એન્જિનિયર બનાવવાની મહેચ્છા રાખવાના બદલે એ બાળક મોટું થઇને, એક સર્વાંગ સંપૂર્ણ સજ્જન માનવી બને તેવી ઇચ્છા રાખતા હતા, અને એટલે જ તેમના દીકરાને જ્યારે શાળામાં મુકવાનો વખત થયો ત્યારે તેના શિક્ષકને જે પત્ર પાઠવ્યો હતો તે આજે ૧૬૦ વર્ષે પણ એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું એ પત્રનું તે સમયમાં મહત્વ હતું. વાસ્તવમાં એ સમય કરતાં આજે આ પત્રની પ્રસ્તુતતા અને અગત્યતા અનેકગણી વધી ગઇ છે.
એ દીર્ઘદ્રષ્ટા અને આદર્શવાદી પિતા હતા, અબ્રાહમ લિંકન- અમેરિકાના ૧૬માં પ્રમુખ અને અત્યંત વિચારવંત સુધારાવાદી રાજપુરૃષ.આ વિશ્વ વિખ્યાત વિભૂતિ પોતાના પુત્રને મોટો નેતા કે નામાંકિત ડોકટર કે બિઝનેસમેન નહી, પણ એક સારો માણસ બનાવવાની મહેચ્છા રાખતા હતા.

જે પુસ્તકનો સારાંશ બાળઉછેરના અગાઉના ત્રણેક લેખમાં અપાયો, તે  ‘52 brilliant ideas' પુસ્તકમાં આ પત્રની વાત નથી, પરંતુ આ પત્રનું લખાણ એટલું હૃદયસ્પર્શી અને આદર્શમય છે કે પોતાના બાળકનો સર્વાંગી વિકાસ ઝંખતા દરેક ડેડીએ આ પત્ર વાંચવો અતિ આવશ્યક છે, એટલે જ પ્રસ્તુત પુસ્તકમાં આ પત્રની વાતનો ઉલ્લેખ ન હોવા છતાં પત્રનો મહત્વનો સારાંશ આ લેખમાં સમાવાયો છે.
અબ્રાહમ લિંકને તેમના નાનકડા દીકરાના શાળા પ્રવેશના પહેલા જ દિવસે તેના શિક્ષકને લખેલો પત્ર બાળક ઉછેરમાં ખાસ કાળજી રાખતા દરેક માતાપિતાએ વાંચવા જેવો છે. ૧૬૦ વર્ષ અગાઉ લખાયેલા એ પત્રના કેટલાક અંશ...

''મારા પુત્ર માટે શાળા પ્રવેશનો આજે પહેલો દિવસ છે. થોડો વખત તેને બધું અજાણ્યુ અને નવુ નવુ લાગશે. હું આશા રાખું છુ કે તમે સાલસ અને સૌમ્યરીતે એને બધુ શીખવશો.
દુનિયામાં બધાજ માણસો ન્યાયપ્રિય કે સત્યવાદી નથી હોતા, એ વાત તો મારો દિકરો મોટો થશે એટલે સમજશે જ. પણ તમે એને એ શીખવજો કે દુનિયામાં દુર્જનોની સાથોસાથ ઉમદા માણસો પણ હોય છે. દુષ્ટ રાજકારણીઓની સાથો સાથ એટલી જ સંખ્યામાં નિષ્ઠાવાન નેતાઓ પણ હોય છે. તમે અંતે ખાસ એ પણ શીખવજો કે દુનિયામાં દુશ્મનો હોય છે, પણ સાથોસાથ દોસ્તો પણ ઓછા નથી હોતા.
મને ખબર છે કે આ બધું શિખવવામાં સમય લાગશે, પરંતુ તમે એને શીખવી શકો તો એ ખાસ શીખવજો કે મફતના એક ડોલર કરતાં મહેનતનો એક સેન્ટ (પૈસો) વધુ કિંમતી છે. એને પરાજય પચાવવાનું અને જીત માણવાનું શીખવજો. ઇર્ષાથી તેને શક્ય તેટલો દુર રાખજો.

શાળામાં એને શીખવજો કે છેતરપિંડીથી કે ચોરી કરીને પાસ થવા કરતાં નપાસ થવું વધુ ગૌરવપ્રદ છે. દુઃખમાં શી રીતે હસતા રહેવું એ તેને શીખવજો.જ્યારે બીજા બધા જ ટોળાને અનુસરતા હોય ત્યારે મારા દીકરાને, બને તો ટોળાને નહી અનુસરવાની શીખામણ અને તાકાત આપજો.
સૌની વાત સાંભળવાનું એને શીખવજો, પણ સાંભળેલી વાતોમાંથી સત્યના ગળણે ગાળેલી વાતો જ તેના મનમાં ઉતારે એવું ખાસ શીખવજો.
જ્યારે બીજા બધા જ કહે કે તારા આઇડિયા ખોટા છે, તેવા સંજોગોમાં તેને ખુદના આઇડિયામાં શ્રધ્ધા રાખવાનું શીખવજો. સજ્જનોની સાથે સૌમ્ય પરંતુ દુર્જન સાથે કડક રહેવાનું તેને શીખવજો.
તેને હંમેશા ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાનું શીખવજો, પોતાની જાતમાં પણ શ્રધ્ધા રાખવાનું તેને શીખવજો કારણ ઇશ્વરમાં અને પોતાની જાતમાં એ શ્રધ્ધા રાખવાનું શીખશે તો સદાય માનવજાતમાં તેને શ્રધ્ધા રહેશે.
આ પત્રમાં અબ્રાહમ લિંકને  પોતાના દીકરાના શિક્ષકને અત્યંત વિનમ્રતાથી લખેલી વાતોનો સારાંશ કેવળ એટલો જ છે કે તમે મારા પુત્રને એવી તાલીમ આપજો, એવું શિક્ષણ આપજો કે મોટો થઇને તે એક સાચુકલો ઇન્સાન બને, એક આદર્શ આદમી બને અને તેની જીવન સફર એવી રીતે પરિપૂર્ણ કરે કે તેના જીવતરની મહેંક ચોતરફ ફેલાઇ જાય.

તમારા લાડકવાયામાં બાળપણથી જ સંસ્કારોનું સિંચન કરવા માટે તમે અબ્રાહમ લિંકનની જેમ જાગૃત રહેજો. ગુજરાતીમાં સરસ કહેવત છે ઃ કુમળો છોડ વાળીએ તેમ વળે. કહેવતનો મતલબ એ છે કે બાળકોને શરૃઆતથી જ શિસ્ત અને સંયમ, આદર અને વિવેક, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો, સત્ય અને સાદગીના સંસ્કારોના બીજ રોપશો તો બાળક જેમ મોટું થતું જશે, તેમ તેનામાં આ સંસ્કારો વધુને વધુ દ્રઢ થતા જશે.
દરેક માતા પિતા તેમના બાળકને સૌથી વધુ સુખ મળે એવી અપેક્ષા રાખતા હોય છે. તેને સારામાં સારી સ્કુલ, સારામાં સારા કપડા, અને રમકડાં, સારૃં ભોજન અને અન્ય સારી સગવડો આપવા માટે વાલીઓ પ્રયાસ કરતાં રહે છે. પણ પોતાના બાળકો પ્રત્યેનો કોઇ વાલીનો પ્રેમ શું એટલી હદે રેલાયો કે તેમણે અબ્રાહમ લિંકનની જેમ બાળકના શિક્ષકનો સંપર્ક કરી તેને આદર્શ મનુષ્ય બનવાની તાલીમ આપવાનું સૂચન કર્યું હોય....! એક પિતા તરીકે તમે ક્યારેય તમારા લાડકા સંતાનના શિક્ષક પાસે આવી માંગણી મુકી છે ખરી ?

અગાઉના સમયમાં તરતના જન્મેલા શિશુને ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ નાની ચમચીથી પીવડાવાતું હતું. આજે પણ કદાચ ઘણાં પરિવારોમાં આ પરંપરા ચાલુ હશે. નવજાત શિશુને અપાતા આ મિશ્રણને માટે ગુજરાતીમાં શબ્દ છે : ગળથૂથી.
તમારા સંતાનને 'ગળથૂથી'થી જ એવી માવજત કરો કે તેનામાં સહજતાથી જ સારા મૂલ્યોનું સિંચન થતું રહે. બાળ ઉછેરમાં એક ખાસ મુદ્દો ફરી દોહરાવું છું કે ઘરમાં ડેડી- મોમનું આચરણ જ એવું હોવું જોઇએ કે બાળકનું આપોઆપ જ  આદર્શ ઘડતર થાય.
તમે ઘરમાં ઘાંટા પાડીને બોલો, ફોન પર વાત કરતી વખતે અસભ્ય ભાષા પ્રયોગ કરો, જુઠું બોલો, કે પડોશી સાથે સારી રીતે ન વર્તો, ઘેર આવેલા મિત્રો સાથે છળકપટની કે ભ્રષ્ટ રીતરસમની વાતો કરો તો, ભલે બાળકને બધી સમજ ન પડે, પણ જાણે અજાણ્યે એના માનસપટમાં આ બધુ અંકિત થતું રહે છે. અંગ્રેજીમાં એક સચોટ કથન છે કે, 'પ્રેકટીસ ઇઝ બેટર ધેન પ્રિચીંગ, સલાહ- શિખામણ કરતાં જાતે અમલમાં મુકવું બહેતર છે.

બાળ કેળવણી ક્ષેત્રે જેમનું પ્રદાન મોટું છે અને 'બાળકોની મુછાળી મા'ના હુલામણા નામથી જાણીતા ગિજુભાઈ બધેકાએ અત્યંત વેધક અને ચોટદાર રીતે લખ્યું છે કે યુવાન લોકો કોઈપણ તૈયારી વિના મા-બાપ બની બેસે છે. પરિણામે તેમના કુમળા ફૂલને જતનથી સાચવવાનું અને સંભાળવાનું તેમનામાં આવશ્યક જ્ઞાાન નથી હોતું. બાળકને બુદ્ધિના વિષયો શીખવીએ તે પહેલાં હૃદયના વિષયો શીખવવા જોઈએ. બાળકનું હૃદય સારી રીતે વિકસ્યું હશે તો તેની બુદ્ધિ તેને સારા માર્ગે જ લઈ જશે.

યુવાન-યુવતીઓ એક વાત તેમના મનમાં ભારપૂર્વક યાદ રાખે કે મા-બાપ થવું સહેલું નથી..

તમારો લાડકવાયો તમારા ભવિષ્યનો આધારસ્તંભ છે. તેના ઘડતરમાં જરાય કચાશ ન રાખશો. તેની બાહ્ય જરૃરિયાતોની સાથો સાથ તેની આંતરિક જરૃરિયાતોનો પણ ખાસ ખ્યાલ રાખજો. બાળ માનસને સલુકાઇથી અને નજાકતથી કેળવજો. તમારા ઉજળા ભવિષ્ય માટે અને તમારી પાછલી જિંદગીની સાચી શાંતિ માટે જ નહી પણ તમારે સમાજને એક આદર્શ નાગરિક આપવાનો છે, એવી ઉચ્ચ ભાવનાથી બાળ ઉછેરનું પરમ કર્તવ્ય બજાવશો એવી અભ્યર્થના.....

વિનોદ ડી. ભટ્ટ

Sunday, 26 June 2016

सोमनाथ मंदिर की तर्ज पर बनाएंगे अयोध्या में राम मंदिर: योगी आदित्यनाथ

 बीजेपी सांसद योगी आदित्यनाथ से 'आज तक' ने खास बातचीत की. पेश है उनसे हुई बातचीत के अंश.



1. सवाल- योगी जी आपने कहा जब ढांचे को तोड़ने में कोई नहीं रोक पाया तो राम मंदिर बनाने से कौन रोक पाएगा ? तो कब बनाएंगे मंदिर आप? क्या चुनाव को देखते हुए यह सब बयान बाजी हो रही है?
योगी- हर मुद्दे को चुनाव से नहीं छोड़ना चाहिए. आखिर यह प्रश्न अयोध्या में राम जन्मभूमि पर ही क्यों उठाए जा रहे हैं. मुझे लगता है कि आज के दिन वहां पर कोई विवाद नहीं होना चाहिए क्योंकि 30 सितंबर 2010 को जब दोनों पक्ष इस बात के लिए सहमत थे कि न्यायालय जो फैसला देगा हम उसका पालन करेंगे. हम हिंदुओं की तो एक ही मांग थी जहां राम लला विराजमान है, वही राम जन्मभूमि है. फिर विवाद कहां से. न्यायालय ने तो इस बात को कह दिया है, यह साबित हो चुका है कि मुस्लिम पक्ष ने कोर्ट में जाकर जबरदस्ती इस मामले को लटकाने का प्रयास किया है. देश में शांति और सौहार्द्र के लिए, देश के विकास के लिए यह आवश्यक है कि इस मुद्दे को अब समाप्त किया जाना चाहिए और यह मार्ग जन भावनाओं के अनुरूप आगे प्रशस्त कर देना चाहिए.

2. सवाल- बहुत सालों से यही मुद्दा चल रहा है, कब बनाएंगे राम मंदिर?
योगी- वक्त आने दीजिए जो होगा आपके सामने होगा.

3. सवाल- आपकी सरकार है बहुमत है आपके पास?
योगी- यह काम सरकार का नहीं है समाज का कार्य है समाज अपना काम अपने हिसाब से कर लेगा. समय आने दीजिए वक्त को देख लीजिए.

4. सवाल- आप ने कहा था तोड़ने में कोई नहीं रोक पाया तो मंदिर बनाने में भी कोई नहीं रोक पाएगा?
योगी- तोड़ने में जब कोई बाधा नहीं है तो निर्माण तो एक रचनात्मक अभियान है तो उसमें तो सबका सहयोग होना चाहिए. आखिर सोमनाथ के मंदिर का निर्माण हुआ था न. उसी तर्ज पर राम मंदिर का निर्माण होगा.

5. सवाल- योगी जी आजकल यूपी की राजनीति भी गर्म है. कौमी एकता पार्टी को जिस ढंग से समाजवादी पार्टी में शामिल किया गया, परिवार में विवाद हो गया. शिवपाल यादव ने ज्वाइन करवाया, अखिलेश यादव ने मंत्री को निकाल दिया. किस ढंग से देखते हैं इस पूरे घटना क्रम को?
योगी- देखिए उत्तर प्रदेश में 2017 में भारतीय जनता पार्टी की सरकार बनेगी और सरकार बनने से पहले जो भगदड़ की स्थिति होती है बहुजन समाजवादी पार्टी और समाजवादी पार्टी में दिखाई दे रही है. समाजवादी पार्टी राजनीति के जिस घटिया स्तर पर उतर सकती है उस पर वह कार्य कर रही है. समाजवादी पार्टी पहले से ही इस बात के लिए बदनाम रही है. इन्होंने राजनीति का अपराधीकरण किया है. पेशेवर अपराधी माफिया और सरगना को गले लगाने का कोई नया खेल नहीं है. उसी का हिस्सा है मुख्तार अंसारी और अतीक अहमद जैसे लोग पहले इस पार्टी के साथ रहे हैं. आज फिर आ गए हैं. समाजवादी पार्टी की वास्तविकता सबके सामने हैं. इसी से प्रदेश की अराजकता और प्रदेश का विकास बाधित हुआ है. वही स्थिति बहुजन समाजवादी पार्टी में है. कोई बाहरी व्यक्ति नहीं कह रहा है. बहुजन समाजवादी पार्टी के प्रदेश अध्यक्ष स्वामी प्रसाद मौर्य इस बात को कहते हैं की मायावती जी दलित की नहीं बल्कि दौलत की बेटी हैं. यहां टिकट के रेट फिक्स हैं. यह लोकतंत्र का उपहास है. बाबा साहब भीमराव अंबेडकर के मूल्यों और आदर्शों का इतना उपहास. मुझे लगता है इतना कभी नहीं हुआ होगा जितना बहुजन समाजवादी पार्टी के द्वारा टिकट बेचकर किया जा रहा है. इसलिए चुनाव से पहले की भगदड़ है. साबित करता की चुनाव आते-आते दोनों दलों की क्या स्थिति होगी.

6. सवाल- क्या स्वामी प्रसाद मौर्य को बीजेपी में लेने का सोच रही है पार्टी?
योगी- केंद्रीय नेतृत्व और प्रदेश नेतृत्व मिलकर तय कर लेगा जो पार्टी हित में और प्रदेश के हित में होगा. मुझे लगता है पार्टी आवश्यक कदम उठाएगी.

7. सवाल -उनको लेने का बीजेपी को फायदा होगा?
योगी- देखिए कितना लाभ और कितना नुकसान कहां से होता है पार्टी तय करने में सक्षम है और पार्टी उस पर अवश्य 

अशोक सिंघल [Edited By: प्रियंका झा]

नई दिल्ली, 24 जून 2016 | अपडेटेड: 02:53 IST

योगी आदित्यनाथ की 'रामधुन', कहा- अयोध्या में मंदिर बनकर रहेगा....


बीजेपी के सांसद योगी आदित्यनाथ ने एक बार फिर दोहराया कि अयोध्या में राम मंदिर बनकर रहेगा. उन्होंने कहा कि यूपी की जनता उनके साथ है और उनकी आत्मा गोरखपुर में बसती है. 'आज तक' के खास कार्यक्रम 'पंचायत आज तक' में योगी आदित्यनाथ ने कहा कि उन्हें मंत्रीपद की चाहत नहीं है.


1. अयोध्या में राम मंदिर बन कर रहेगा.
2. राम मंदिर बनाने के लिए कोई समय सीमा तय ना करें. 
3. गोरखपुर केवल एक जिला नहीं है, पांच करोड़ लोगों का प्रतिनिधित्व करता है.
4. यूपी का चेहरा बनने की चाहत नहीं, मंत्री बनने की चाहत नहीं , मंदिर बने हार्दिक अभिलाषा है. 
5. पार्टी में जहां हूं, सुरक्षित हूं.
6. गोरखपुर मेरी आत्मा है.
7. मोदी जी की सरकार आने के बाद देश का विकास हो रहा है, सुरक्षा बढ़ी है, दुनिया में देश का सम्मान बढ़ा है. 
8. मैं देश के किसी की किसी भी सीट से चुनाव जीत सकता हूं.
9. हिंदूत्व न उग्र है ना ही नरम. हिंदूत्व ही विपरीत परिस्थितियों में हर धर्म, संप्रदाय के लोगों को भारत में जगह दिया. 
10. निष्पक्ष चुनाव हो तो ओवैसी की जमानत जब्त हो जाएगी. 
11. हैदराबाद से चुनाव लड़कर जीत सकता हूं. 
12. नागरिक के रूप में जनभावना को प्रकट करना गलत नहीं. 
13. देश संविधान से चलेगा शरीयत से नहीं. 
14. मैं सीट नहीं बदला हूं और हर बार मेरे वोट का प्रतिशत बढ़ा है. जनता मेरे साथ है.
15. राम जन्मभूमि की मांग मैं धार्मिक स्वतंत्रता के तहत करता हूं.
16. भगवान राम के लाखों मंदिर होंगे, वो जन्म भूमि का मंदिर है. 
17. मैं राम मंदिर के निर्माण की बात वेटिकन सिटी , जेरुसलम में नहीं कर रहा हूं.
18. अयोध्या में किसी भी प्रकार की टकराव नहीं है, बातचीत से इसका समाधान हो सकता है.
19. देश के संविधान के दायरे में रह कर मैं इसका समाधान चाहता हूं. 
20. भारत के संविधान और प्रतीकों का सम्मान नहीं कर सकता तो विदेशी आतंकी की बात करता हो तो तुलना तो करेंगे.
21. लव जेहाद की छूट संविधान भी नहीं देता. 
22. मैं सर्वकल्याण की बात करता हूं. 
23. बीजेपी में मेरी बात फिट नहीं होती तो क्या पांच बार सांसद बनता क्या?
24. भारत की मूल विचारधारा और बीजेपी के आदर्शों से जुड़ा हूं.

aajtak.in [Edited By:अमित कुमार दुबे]

लखनऊ, 25 जून 2016 | अपडेटेड: 19:40 IST

Monday, 30 May 2016

૧૨મા પછી કરવા જેવા કેટલાક નવતર કોર્સ

યુવાની તરફ આગળ વધી રહેલા કિશોરને યોગ્ય જાણકારી અને યોગ્ય માર્ગદર્શન નથી મળતું તો એનું ભવિષ્ય બગડે છે.
જોકે હવે તો, કેટલીક સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ કેરીઅર ઘડનાર સંસ્થાઓ... અરે, ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન પણ આ અંગે ભરપૂર માહિતી આપે છે. એ બધાના અભાવમાં જેમને ૧૨મી પછી શું કરવું ? એવો સવાલ થતો હોય એ સ્વાભાવિક છે.
વળી જેમને ભવિષ્યમાં નોકરી જ કરવાની છે અને વળી જેમને જલદી રળવાની જરૃરત છે એમને તો આ સમસ્યા વધુ નડતી હોય છે. એવા ૧૨મી પાસ તેમજ ગ્રેજ્યુએટે પણ જો અલગ વિશિષ્ટ કોર્સ કર્યો હોય જે છે કે બાર જ મહિનાનો હોય તો પણ મોટી લાઈનો હશે એમાંથી એને પહેલો ચાન્સ મળશે. એવા કોર્સમાં કેરીયરની પૂરતી તક છે.

યોગ



આજકાલ ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં યોગ પ્રત્યેનું આકર્ષણ વધુને વધુ થવા લાગ્યું છે. ટેન્શનવાળી જીવનશૈલીથી છૂટકારો પામવા આજકાલ યોગનું શિક્ષણ લેનારા અને આપનારાઓની સારી ડીમાન્ડ છે.
યોગ શિક્ષક બનવા ડિપ્લોમા જરૃરી છે.

યોગ્યતા
૧૦મી કે ૧૨મી પછી યોગ વિષેના કોર્સમાં પ્રવેશ મળે છે. દેશમાં ઘણી સંસ્થાઓ યોગના સર્ટિફીકેટ, ડિપ્લોમા અને ડીગ્રી કોર્સ ચલાવે છે.

તક અને પગાર
સ્કુલો અને કોલેજો ઉપરાંત કેટલીક હોસ્પીટલો તેમજ કેટલીક કંપનીઓના ટ્રેનીંગ સેન્ટરોમાં નોકરી મળી શકે છે. યોગ શિક્ષક તરીકે પ્રાઈવેટ કે સરકારી સારી હોસ્પીટલો, હોટેલોમાં પણ યોગ શિક્ષકની જરૃર હોય છે. અથવા તમારો કોચીંગ કલાસ ખોલી શકો છો. શરૃમાં કોઈપણ યોગ શિક્ષક માસિક ૨૦થી ૨૫ હજાર રૃપિયા કમાઈ શકે છે.

સંસ્થાઓ
૧. મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ યોગા, નવી દિલ્હી.
૨. શિવાનંદા યોગ વેદાંતા સેન્ટર્સ એન્ડ આશ્રમ
૩. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસર્ચ ઈન યોગા એન્ડ નેચરોપથી, નવી દિલ્હી.
૪. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, કરવારિયા સરાઈ, નવી દિલ્હી.
=====================================================================

હ્યુમન રાઈટસમાં કેરીયર



આ ક્ષેત્રમાં કામ કરનારાઓ ટ્રેઈન્ડ માણસોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. એવા ઘણા બિનસરકારી સંગઠનો છે જે માનવ અધિકારના રક્ષણ માટે કામ કરી રહ્યા છે... લડી રહ્યા છે.

યોગ્યતા
૧૨મી પછી સર્ટિફીકેટ, ડિપ્લોમાં અને ડીગ્રી કોર્સ છે.

તક અને પગાર
માનવ અધિકાર માટે કામ કરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ મળી શકે છે. જેવી કે - નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન, નેશનલ ચિલ્ડ્રન કમીશન, લેબર ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ વગેરે. યુનોની જે સંસ્થાઓ હ્યુમન રાઈટ્સ માટે કામ કરે છે એમાં પણ કામ કરી શકાય.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ્સ ઓફ હ્યુમન રાઈટ્સ, નવી દિલ્હી.
(૨) ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્હી.
(૩) જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી.
=====================================================================

એકચ્યુરીઅલ સાયન્સ

ગણિત પર જો પક્કડ સારી હોય તો એકચ્યુરિયલ સાયન્સમાં કેરીયર બનાવી શકો છો.
વિમા કંપનીઓ, બેન્કો, નાણાકીય (ફાયનાન્સીયલ) કંપનીઓમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની ઘણી જરૃર હોય છે પણ માણસ મળતા નથી.

યોગ્યતા
૧૨મીમાં મેથ્સમાં અથવા ઈકોનોમિક્સમાં કે સ્ટેટીટીક્સમાં સારા માર્કે પાસ થવું જરૃરી છે. પગાર શરૃમાં ૨૦થી ૨૫ હજાર રૃપિયા માસિક સહેલાઈથી મળી જાય. કદાચ વધારે પણ મળે. ડીમાન્ડ વધુ છે પણ સપ્લાય ઓછો છે.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમનીટીઝ એન્ડ સ્પેશ્યલ સાયન્સીસ, આઈઆઈટી મુંબઈ
(૨) ઈન્સ્ટીટયુટ ઓફ સર્ટિફાઈડ રિસ્ક એન્ડ ઈન્સ્યુરન્સ મેનેજ સં. હૈંદ્રાબાદ
(૩) કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, દિલ્હી યુનિ. દિલ્હી.
=====================================================================


રીટેલ મેનેજમેન્ટ

બજાર વાદના આ જમાનામાં રીટેલ મેનેજમેન્ટ એટલે ટૂંકમાં સેલ્સમેનનું મહત્ત્વ વધી ગયું છે. એ સેલ્સમેન રીટેલ મેનેજર બોલવામાં વિનમ્ર અને ચાલાક હોવો જરૃરી છે. એના કોર્સમાં રીટેલ બજારની કલા અને કારીગરી શીખવાય છે.

યોગ્યતા
આમાં પણ ૧૨મી પાસ જરૃરી છે.

તક અને પગાર
દેશભરમાં શોપીંગ મોલ ઠેર ઠેર ખુલ્લી રહ્યા છે અને એક મોલમાં ઓછામાં ઓછા ૩૦૦ જણની જરૃર હોય છે એટલે તકનો તો કોઈ પ્રશ્ન નથી. બોલચાલની ભાષા અને વર્તણુકવાળાને તરત જ નોકરી મળી જાય છે. શરૃમાં પગાર ૧૫થી ૨૦ હજાર રૃપિયા મળે છે.

શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડિઅન રીટેલ સ્કુલ, એમ-૧૦, સાઉથ એક્સટેન્શન-૧, નવી દિલ્હી.
(૨) એશિયા પેસિફિક ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, સરિતા વિહાર, નવી દિલ્હી.
(૩) ગરવારે ઈન્સ્ટીટયુટ ઓફ કેરીઅર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ, વિદ્યાનગરી, સાંતાક્રુઝ (પૂર્વ) મુંબઈ
(૪) મુદ્રા ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્યુનિકેશન, શૈલા, અમદાવાદ
(૫) કોહિનુર બિઝનેસ સ્કુલ, ખંડાલા.

Thursday, 7 April 2016

ડાયબિટિસથી ડરો નહીં તેને હરાવો...

૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)નો જન્મ દિવસ છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લેવલે લોકોની આરોગ્ય સુખાકારીનું કામ કરે છે. 
દર વર્ષે ૭ એપ્રિલે કોઈ પણ એક આરોગ્યવિષયક 'સૂત્ર' આપીને તેના ઉપર સઘન કામગીરી કરવામાં આવે છે. 
આ વર્ષનું 'સૂત્ર' છે. ‘Beat The Diabeties¥ (ડાયાબિટીસને હરાવો) તો. ડાયાબિટીસ શું છે સમજીએ.

તમે જે આહાર લો છો તેને પચાવી લીધા પછી તમારૃં શરીર તેને શર્કરા (ગ્લુકોઝ)માં પરિવર્તિત કરે છે. અને તેને રક્ત વાહિનીમાં મોકલી આપે છે. સ્વાદુપિંડ (પેન્ક્રીયાઝ) દ્વારા ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન નામના હોર્મોન એક ચાવી રૃપ ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું શક્તિમાં રૃપાંતર કરવા મદદ કરે છે. વધારાના ગ્લુકોઝને લિવરના કોષોમાં અને માંસપેશીઓમાં ભંડારી દે છે. આનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે આ ઇન્સ્યુલિન ગ્લુકોઝને લિવરના કોષોમાંથી તથા માંસ પેશીઓમાંથી બહાર કાઢી તેને શક્તિમાં રૃપાંતર કરી જે અવયવને શક્તિની જરૃર છે. તેે પહોંચાડે છે. ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ન હોય તો ગ્લુકોઝ કોષોમાં પ્રવેશ કરી શક્તો નથી, ઇન્સ્યુલિન આથી રક્તમાં આવા નહીં વપરાયેલા ગ્લુકોઝનું પ્રમાણ ઊચું જાય છે. આમ રક્તમાં ગ્લુકોઝના ઊંચા પ્રમાણની સમસ્યા ડાયાબિટીસને જન્મ આપે છે.

ડાયાબિટીસ કોને થવાની સંભાવના છે ?

વારસાગત : 
તમામ કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે ? જો 'હા' તો તમને પણ ડાયાબિટીસ થવાની સંભાવના નીચે મુજબ છે.

કુટુંબના સભ્યો            થવાની સંભાવના
ભાઈ અથવા બહેન         ૭૫ ટકા
માતા                           ૧૯ ટકા
પિતા                           ૧૪ ટકા
માતા-પિતા બંને            ૨૫ ટકા

બેઠાડું જીવન શૈલી : 
શારિરીક પ્રવૃત્તિનો અભાવ અને બેઠાડું જીવન શૈલી ડાયાબિટીસને જીવનમાં સ્થાન આપે છે.
અનિયમિત અને બિનતંદુરસ્ત ખાવાની આદત : 
અનિયમિત ખાવાની આદત અથવા ચરબીનો ખોરાકમાં વધુ પ્રમાણમાં ઉપયોગ, ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું વધુ પ્રમાણ (બેકરીમાં મળતી ચીજ વસ્તુ, મીઠાઈ, મેંદાની વસ્તુઓ, પાસ્તા વગેરે)
મેદસ્વીપણું (વધારે વજન) : 
જમા થયેલી ચરબીના કારણે મેદસ્વી વ્યક્તિઓમાં ઇન્સ્યુલીન વાપરવાની શક્તિ હોતી નથી. તેથી જ આવી વ્યક્તિઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે.
તણાવ (માનસિક અશાંતિ) : 
તણાવ બે રીતે તમને ડાયાબિટીસ કરાવી શકે છે. 
(૧) તમારી તણાવવાળી જીવન શૈલીના કારણે જો તમે વધુ પ્રમાણમાં ખોરાક, ધૂ્રમપાન અથવા દારૃનું સેવન કરતા હોવ 
(૨) તણાવ દ્વારા ઇન્સ્યુલીનની અસરકારકતા ઘટે છે અને લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. 

ડાયાબિટીસના ચિહ્નો

વારંવાર પેશાબ આવવો (રાત્રી સમયે પણ), શરીરમાં ખંજવાળ આવવી, ઝાંખુ દેખાવું, થાક-નબળાઈ અનુભવવી, પગ સુન્ન થઇ જવા, વધુ તરસ, લાગવી, ઘા રૃઝાતા વાર લાગે, હંમેશાં ભૂખ મહેસૂસ કરવી, વજન ઘટવું, પરસેવો થવો, હાથપગ ઠંડા થઇ જવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધી જવા.

ડાયાબિટીસ થતો અટકાવવાની પધ્ધતિઓ (પગલાં)

ડાયાબિટીસને થતો અટકાવી શકાય છે. આ માટે નીચે મુજબ પગલાં લેવા જોઇએ.
(૧) ચિંતા, તણાવ, વ્યગ્રતાથી મુક્ત રહો - પ્રફુલ્લિત રહો.
(૨) ત્રણ મહિને એક વખત બ્લ્ડ સુગરની તપાસ કરાવો.
(૩) ભોજન ઓછું કરવું. રેસાવાળા ખોરાક વધારે લેવા. જવ અને ઘઉં, બાજરીની રોટલી, લીલી શાકભાજી, દહીં પુરતું લેવું, ચણા અને ઘઉંના મિશ્રણવાળી  રોટલી લેવી.
(૪) હલકો વ્યાયામ કરવો. સવારે ૪ થી ૫ કિ.મી. ચાલવું (પ્રતિ કલાક ૬ કિ.મિ.ની ગતિથી ચાલીએ તો ૩૦ મિનિટમાં ૧૩૫ કેલરી સમાપ્ત થાય છે.)
(૫) ગળ્યા પદાર્થોનું સેવન ઓછું કરવું.
(૬) વધુ વજનવળી વ્યક્તિએ વજન ઘટાડવું (BMI ૧૮.૫ થી ૨૪.૯૯ વચ્ચે રાખવો)
(૭) પ્રાણાયામ - મેડીટેશન - યોગાસન નિયમિત કરો.
(૮) દિવસમાં એક બે વાર ઠાંસીને જમવા કરતાં ચારથી પાંચ વખતમાં કુલ ખોરાકને વહેંચી લેવો.

આપણા દેશમાં ચેપી રોગોનો વ્યાપ વધુ હતો પરંતુ હવે બિન ચેપી રોગોનો વ્યાપ ખૂબ વધતો જાય છે. બિનચેપી રોગોમાં આપણી જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીને કોઈ તકલીફ રહેતી નથી તેથી સારવારમાં બેદરકાર રહે છે. પરિણામે લોહીમાં ઉંચું ગ્લુકોઝનું પ્રમાણ શરીરના અવયવો જેમ કે આંખ, હૃદય, કિડની તથા પગને અસર કરે છે, લકવો, કિડની ફેલ થવી, અંધાપો, ગેંગરીન, હૃદયરોગ, જેવા રોગ ડાયાબિટીસની આડ અસર છે.

બની શકે તો દર્દી જાતે જ પોતાના લોહીની તપાસ કરી શકે છે. ગ્લુકોમીટર એ ખૂબ ઉપયોગી સાધન છે. જે હવે ઘણી ઓછી કિંમતે પણ મળે છે. જેથી દર્દી ઘરે બેઠા પોતાનો ડાયાબિટીસ તપાસી શકે છે. છેલ્લે ડાયાબિટીસના  દર્દીઓને સોનેરી સૂત્ર આપું છું 'ઓછું ખાઓ-વધુ ચાલો' ડાયાબિટીસથી ડરવાની જરૃર નથી, જરૃર છે તેને હરાવવાની તો મહેનત શરૃ કરો.