Wednesday, 29 March 2017

ભડકે બળતા કાશ્મીરને 'યોગી'ની જરૃર



ગોળીબારમાં ત્રણ યુવકનાં મોત: પથ્થરમારાથી ૬૦ જવાન ઘાયલ
પથ્થરમારો કરતા ટોળા પર સેનાના ગોળીબારમાં યુવકોનાં મોત બાદ ઠેર ઠેર હિંસા
૧૨ કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સેનાએ આતંકી છૂપાયો હતો તે ઘર ઊડાવી દીધું


કાશ્મીરમાં આશરે છ માસના વિરામ બાદ ફરી હિંસા ભડકી છે. અહીં આતંકીઓ દ્વારા એક બાદ એક હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આવો જ એક હુમલો આતંકીઓ બુડગામ જિલ્લામાં કરવા માગતા હતા. જોકે સૈન્ય કાર્યવાહીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. દરમિયાન આતંકીઓ વિરૃદ્ધની કાર્યવાહીનો વિરોધ કરવા આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા હતા.

સૈન્ય પર પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ સ્થાનિક યુવકોના મોત નિપજ્યા હતા. જેને પગલે લોકોમાં સૈન્ય પ્રત્યેનો ગુસ્સો વધ્યો હતો અને ઠેર ઠેર હિંસા ભડકી હતી. આ પથ્થરમારામાં સીઆરપીએફના ૪૩ અને જમ્મુ કાળશ્મીરના ૨૦ જવાન સહિત કુલ ૬૫ જેટલા લોકો ઘાયલ થયા હતા. 
સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના બુડગામમાં સૈન્યએ એક આતંકીને ઠાર માર્યો છે. જોકે આ વિસ્તારમાં અન્ય આતંકીઓ પણ છુપાયેલા હોવાની શક્યતાને પગલે સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન ટોળાના ટોળા આ વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને વિખેરવા માટે સૈન્યએ ગોળીબાર કરતા આશરે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.  
બીજી તરફ અલગતાવાદીઓએ બંધનું એલાન જાહેર કર્યું હતું. ત્રણ સ્થાનિકોના બુડગામમાં મોત નિપજતા અલગતાવાદીઓએ હિંસાની આગમાં ઘી હોમવા માટે બંધનું એલાન જાહેર કર્યું છે. સાથે સૈન્ય દ્વારા ત્રણ વ્યક્તિના મોત નિપજતા તપાસની માગણી પણ કરી છે. 
નોંધનીય છે કે આતંકી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં ગત આખુ વર્ષ હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વચ્ચે આ હિંસા શાંત પડી ગઇ હતી પણ હવે ફરી ધીરે ધીરે હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હિંસાને રોકવા સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં ૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. હવે ફરી હિંસા ભડકતા વધુ ત્રણ યુવકોના મોત થયા છે. જેને પગલે લોકોમાં ફરી રોશ ભભુકી ઉઠયો છે. આગામી દિવસોમાં હિંસાનું પ્રમાણ વધી શકે છે કેમ કે અલગતાવાદીઓએ બંધનું પણ એલાન આપ્યું છે. 

હિંસામાં ચાર વર્ષમાં ત્રણ હજાર જવાનો ઘાયલ

દેશમાં અવાર નવાર હિંસાની ઘટનાઓ સામે આવતી રહી છે. કાશ્મીરમાં હિંસાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. દરમિયાન સૈન્ય દ્વારા આ હિંસાને રોકવાના પ્રયાસો થતા હોય છે. દેશભરમાં આવી હિંસાને રોકવાની કાર્યવાહી દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં સૈન્યના આશરે ત્રણ હજારથી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ માહિતી લોકસભામાં કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ અહીરે આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ૨૦૧૪થી માર્ચ ૨૦૧૭ દરમિયાન અર્ધ સૈન્ય દળના આશરે ૩૪૬૩ જવાનો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયની રિપોર્ટ અનુસાર દેશભરમાં સૌથી વધુ સીઆરપીએફના ૩૩૩૫ જવાનો ઘાયલ થયા છે. 
સેનાએ પેલેટ ગનનો વિકલ્પ શોધી કાઢ્યો

સુરક્ષા જવાનો ટોળાને વિખેરવા સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડ ફેંકશે ગ્રેનેડનો વિસ્ફોટ થતા તેમાંથી સ્પાઇસી જેલી ઉડશે, જેથી આંખોમાં અસહ્ય બળતરા થશે કાશ્મીર અને અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ટોળાને વિખેરવા માટે અત્યાર સુધી પેલેટ ગનનો ઉપયોગ થતો હતો. જોકે તેને કારણે લોકોને ગંભીર ઇજાઓ થતી હતી. આવી સ્થિતિમાં વધુ એક ઉપાય શોધી કાઢવામાં  આવ્યો છે. હવે સૈન્ય હિંસાખોર ટોળાને વિખેરવા માટે સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડનો ઉપયોગ કરશે. જ્યારે આ સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડ ટોળા પર ફેંકવામાં આવશે ત્યારે જે વિસ્ફોટ થશે તેમાંથી સ્પાઇસી જેલી નિકળશે.  જેને પગલે હિંસા ફેલાવનારા શખ્સની આંખોમાં બલતરા થશે. જેને પગલે તે સ્થળ પરથી ભાગી જશે. હાલ આ માટે માત્ર ભલામણ કરવામાં આવી છે અને ટુંક સમયમાં સરકાર તેને મંજુરી આપે તેવી શક્યતાઓ છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે પણ કાશ્મીરમાં ઉપયોગમાં લેવાતી પેલેટ ગનની જગ્યાએ બીજો કોઇ વિકલ્પ શોધવા સરકારને કહ્યું હતું. આવી સ્થિતિમાં કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ મેહરીશીની આગેવાનીમાં યોજાયેલી એક બેઠકમાં આ સ્પાઇસી જેલી ગ્રેનેડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

Gujarat:28 march17

Tuesday, 28 March 2017

किसानों की कर्ज माफी पर एक्शन में योगी सरकार

योगी सरकार ने किसानों के कर्ज माफ करने पर विचार करने के लिए मंत्रियों औऱ अफसरों के साथ बैठक की है. किसानों के कर्ज माफ करने के लिए योगी सरकार केंद्र सरकार से लोन लेने पर विचार कर रही है. मतलब केंद्र की मदद से यूपी सरकार किसानों का कर्ज माफ करने की तैयारी में जुट गई है. सीएम आदित्यनाथ ने लखनऊ में मंत्रियों के साथ बैठक की.

किसानों की कर्ज़ माफ़ी का मामला इन दिनों सुर्ख़ियों में है. उत्तर प्रदेश में बीजेपी ने सरकार बनने पर लघु और सीमांत किसानों का कर्ज़ माफ़ करने का ऐलान किया था. अटकलें थीं कि कर्ज़ माफ़ी का भार केंद्र सरकार उठाएगी लेकिन सरकार ने साफ़ कर दिया है कि इसका भार राज्य सरकार को ही उठाना पड़ेगा.
पिछले साल 18 नवंबर को केंद्र सरकार ने राज्यसभा में जो लिखित जानकारी दी है उसके मुताबिक़ देश के किसानों पर अलग अलग बैंकों का लगभग 12 लाख 60 हज़ार करोड़ रूपया बक़ाया है.
केंद्र सरकार के मुताबिक 30 सितंबर 2016 तक किसानों पर कुल 12 लाख 60 हज़ार करोड़ रूपये का कर्ज़ है. इनमें 7 लाख 75 हज़ार करोड़ रूपया फ़सली कर्ज़ है जबकि 4 लाख 85 हज़ार करोड़ रूपया अवधि कर्ज़ है.
सबसे ज्यादा कर्ज़ देश के वाणिज्यिक सरकारी बैंकों का बकाया है जो लगभग 9 लाख 57 हज़ार करोड़ रूपया यानि 76 फीसदी है. सहकारी बैंकों का 1 लाख 57 हज़ार करोड़ रूपया बाक़ी है जबकि क्षेत्रीय ग्रामीण बैंकों का किसानों पर बकाया 1 लाख 45 हज़ार करोड़ रूपया बकाया है.
इनमें फ़सली और अवधि, दोनों तरह के कर्ज़ शामिल हैं. केवल उत्तर प्रदेश में वित्तीय वर्ष 2016-17 के दिसंबर तक 60,179 करोड़ रूपये किसानों को कर्ज़ के तौर पर बांटे जा चुके हैं
देश में किसानों की संख्या कितनी है और उन किसानों के पास ज़मीन कितनी है ?
2011 की जनगणना के मुताबिक़ देश में क़रीब 11 करोड़ 90 लाख खेती करने वाले लोग हैं. इनमें खेतिहर मज़दूरों का आंकड़ा शामिल नहीं है. ये देश की कुल श्रम बल संख्या 48 करोड़ का लगभग 24.6 फीसदी है.
रोचक बात ये है कि 1951 में खेती करने वाले लोगों का अनुपात 50 फीसदी था. वहीं 2015 की कृषि आधारित गणना के मुताबिक़ इनमें से 67 फीसदी वैसे छोटे किसान हैं जिनके पास 1 हेक्टेयर से कम भूमि है. जबकि केवल 1 फीसदी किसानों के पास 10 हेक्टेयर से ज़्यादा ज़मीन है
ये मुद्दा सियासी तौर पर हमेशा से संवेदनशील रहा है. ऐसे में कर्ज़ देने वाली एजेंसियां चाहे कुछ भी कहें लेकिन सरकारें किसानों को राहत के नाम पर समय समय पर कर्ज़ माफ़ी स्कीमों की घोषणाएं करती रही हैं.
हाल में उत्तर प्रदेश के चुनावों में भी बीजेपी ने ऐसा ही वादा किया है. हालांकि मोदी सरकार बार-बार ये बात कह रही है कि इन कर्ज़ माफ़ी में केंद्र की कोई भूमिका नहीं होगी और इसका भार भी उन्हीं राज्यों को उठाना पड़ेगा जो ये फ़ैसला करेंगे.
योगी आदित्यनाथ धड़ाधड़ फैसले ले रहे हैं.

आइए, समझें क्या है राष्ट्रीयता : गणेश शंकर विद्यार्थी

पत्रकार और स्वतंत्रता संग्राम सेनानी गणेश शंकर विद्यार्थी आज़ादी के संघर्ष में जितने सक्रिय थे, उतनी ही अलख अपने अख़बार ‘प्रताप’ से जगा रहे थे. आज उनकी पुण्यतिथि है. ‘राष्ट्रीयता’ शीर्षक से लिखा विद्यार्थी जी का यह निबंध आजादी के बाद भी उतना ही प्रासंगिक है...


देश में कहीं-कहीं राष्‍ट्रीयता के भाव को समझने में गहरी और भद्दी भूल की जा रही है. आये दिन हम इस भूल के अनेकों प्रमाण पाते हैं. यदि इस भाव के अर्थ भली-भांति समझ लिये गये होते तो इस विषय में बहुत-सी अनर्गल और अस्‍पष्‍ट बातें सुनने में न आतीं. राष्‍ट्रीयता जातीयता नहीं है. राष्‍ट्रीयता धार्मिक सिद्धांतों का दायरा नहीं है. राष्‍ट्रीयता सामाजिक बंधनों का घेरा नहीं है. राष्‍ट्रीयता का जन्‍म देश के स्‍वरूप से होता है. उसकी सीमाएं देश की सीमाएं हैं. प्राकृतिक विशेषता और भिन्‍नता देश को संसार से अलग और स्‍पष्‍ट करती है और उसके निवासियों को एक विशेष बंधन-किसी सादृश्‍य के बंधन-से बांधती है. राष्‍ट्र पराधीनता के पालने में नहीं पलता. स्‍वाधीन देश ही राष्‍टों की भूमि है, क्‍योंकि पुच्‍छ-विहीन पशु हों तो हों, परंतु अपना शासन अपने हाथों में न रखने वाले राष्‍ट्र नहीं होते. राष्‍ट्रीयता का भाव मानव-उन्‍नति की एक सीढ़ी है. उसका उदय नितांत स्‍वाभाविक रीति से हुआ. योरप के देशों में यह सबसे पहले जन्‍मा. मनुष्‍य उसी समय तक मनुष्‍य है, जब तक उसकी दृष्टि के सामने कोई ऐसा ऊंचा आदर्श है, जिसके लिए वह अपने प्राण तक दे सके. 
आइए, समझें क्या है राष्ट्रीयता : गणेश शंकर विद्यार्थी
समय की गति के साथ आदर्शों में परिवर्तन हुए. धर्म के आदर्श के लिए लोगों ने जान दी और तन कटाया. परंतु संसार के भिन्‍न-भिन्‍न धर्मों के संघर्षण, एक-एक देश में अनेक धर्मों के होने तथा धार्मिक भावों की प्रधानता से देश के व्‍यापार, कला-कौशल और सभ्‍यता की उन्नति में रुकावट पड़ने से, अंत में धीरे-धीरे धर्म का पक्षपात कम हो चला और लोगों के सामने देश-प्रेम का स्‍वाभाविक आदर्श सामने आ गया. जो प्राचीन काल में धर्म के नाम पर कटते-मरते थे, आज उनकी संतति देश के नाम पर मरती है. पुराने अच्‍छे थे या ये नये, इस पर बहस करना फिजूल ही है, पर उनमें भी जीवन था और इनमें भी जीवन है. वे भी त्‍याग करना जानते थे और ये भी और ये दोनों उन अभागों से लाख दर्जे अच्‍छे और सौभाग्‍यवान हैं जिनके सामने कोई आदर्श नहीं और जो हर बात में मौत से डरते हैं. ये पिछले आदमी अपने देश के बोझ और अपनी माता की कोख के कलंक हैं. 
देश-प्रेम का भाव इंग्‍लैंड में उस समय उदय हो चुका था, जब स्‍पेन के कैथोलिक राजा फिलिप ने इंग्‍लैंड पर अजेय जहाजी बेड़े आरमेड़ा द्वारा चढ़ाई की थी, क्‍योंकि इंग्‍लैंड के कैथोलिक और प्रोटेस्‍टेंट, दोनों प्रकार के ईसाइयों ने देश के शत्रु का एक-सा स्‍वागत किया. फ्रांस की राज्‍यक्रांति ने राष्‍ट्रीयता को पूरे वैभव से खिला दिया. इस प्रकाशमान रूप को देखकर गिरे हुए देशों को आशा का मधुर संदेश मिला. 19वीं शताब्‍दी राष्‍ट्रीयता की शताब्‍दी थी. वर्तमान जर्मनी का उदय इसी शताब्‍दी में हुआ. पराधीन इटली ने स्‍वेच्‍छाचारी आस्ट्रिया के बंधनों से मुक्ति पाई. यूनान को स्‍वाधीनता मिली और बालकन के अन्‍य राष्‍ट्र भी कब्रों से सिर निकाल कर उठ पड़े. गिरे हुए पूर्व ने भी अपने विभूति दिखाई. बाहर वाले उसे दोनों हाथों से लूट रहे थे. उसे चैतन्‍यता प्राप्‍त हुई. उसने अंगड़ाई ली और चोरों के कान खड़े हो गये. उसने संसार की गति की ओर दृष्टि फेरी. देखा, संसार को एक नया प्रकाश मिल गया है और जाना कि स्‍वार्थपरायणता के इस अंधकार को बिना उस प्रकाश के पार करना असंभव है. उसके मन में हिलोरें उठीं और अब हम उन हिलोरों के रत्‍न देख रहे हैं. 
जापान एक रत्‍न है - ऐसा चमकता हुआ कि राष्‍ट्रीयता उसे कहीं भी पेश कर सकती है. लहर रुकी नहीं. बढ़ी और खूब बढ़ी. अफीमची चीन को उसने जगाया और पराधीन भारत को उसने चेताया. फारस में उसने जागृति फैलाई और एशिया के जंगलों और खोहों तक में राष्‍ट्रीयता की प्रतिध्‍वनि इस समय किसी न किसी रूप में उसने पहुंचाई. यह संसार की लहर है. इसे रोका नहीं जा सकता. वे स्‍वेच्‍छाचारी अपने हाथ तोड़ लेंगे - जो उसे रोकेंगे और उन मुर्दों की खाक का भी पता नहीं लगेगा - जो इसके संदेश को नहीं सुनेंगे. भारत में हम राष्‍ट्रीयता की पुकार सुन चुके हैं. हमें भारत के उच्‍च और उज्‍ज्‍वल भविष्‍य का विश्‍वास है. हमें विश्‍वास है कि हमारी बाढ़ किसी के राके नहीं रुक सकती. रास्‍ते में रोकने वाली चट्टानें आ सकती हैं. बिना चट्टानें पानी की किसी बाढ़ को नहीं रोक सकतीं, परंतु एक बात है, हमें जान-बूझकर मूर्ख नहीं बनना चाहिए. ऊटपटांग रास्‍ते नहीं नापने चाहिए. 
कुछ लोग 'हिंदू राष्‍ट्र' - 'हिंदू राष्‍ट्र' चिल्‍लाते हैं. हमें क्षमा किया जाय, यदि हम कहें-नहीं, हम इस बात पर जोर दें - कि वे एक बड़ी भारी भूल कर रहे हैं और उन्‍होंने अभी तक 'राष्‍ट्र' शब्‍द के अर्थ ही नहीं समझे. हम भविष्‍यवक्‍ता नहीं, पर अवस्‍था हमसे कहती है कि अब संसार में 'हिंदू राष्‍ट्र' नहीं हो सकता, क्‍योंकि राष्‍ट्र का होना उसी समय संभव है, जब देश का शासन देशवालों के हाथ में हो और यदि मान लिया जाय कि आज भारत स्‍वाधीन हो जाये, या इंग्‍लैंड उसे औपनिवेशिक स्‍वराज्‍य दे दे, तो भी हिंदू ही भारतीय राष्‍ट्र के सब कुछ न होंगे और जो ऐसा समझते हैं - हृदय से या केवल लोगों को प्रसन्‍न करने के लिए - वे भूल कर रहे हैं और देश को हानि पहुँचा रहे हैं. वे लोग भी इसी प्रकार की भूलकर रहे हैं जो टर्की या काबुल, मक्‍का या जेद्दा का स्‍वप्‍न देखते हैं, क्‍योंकि वे उनकी जन्‍मभूमि नहीं और इसमें कुछ भी कटुता न समझी जानी चाहिए, यदि हम य‍ह कहें कि उनकी कब्रें इसी देश में बनेंगी और उनके मरिसेये - यदि वे इस योग्‍य होंगे तो - इसी देश में गाये जाएंगे, परंतु हमारा प्रतिपक्षी, नहीं, राष्‍ट्रीयता का विपक्षी मुंह बिचका कर कह सकता है कि राष्‍ट्रीयता स्‍वार्थों की खान है. देख लो इस महायुद्ध को और इंकार करने का साहस करो कि संसार के राष्‍ट्र पक्‍के स्‍वार्थी नहीं है? हम इस विपक्षी का स्‍वागत करते हैं, परंतु संसार की किस वस्‍तु में बुराई और भलाई दोनों बातें नहीं हैं? लोहे से डॉक्‍टर का घाव चीरने वाला चाकू और रेल की पटरियाँ बनती हैं और इसी लोहे से हत्‍यारे का छुरा और लड़ाई की तोपें भी बनती हैं. सूर्य का प्रकाश फूलों को रंग-बिरंगा बनाता है पर वह बेचारा मुर्दा लाश का क्‍या करें, जो उसके लगते ही सड़कर बदबू देने लगती है. हम राष्‍ट्रीयता के अनुयायी हैं, पर वही हमारी सब कुछ नहीं, वह केवल हमारे देश की उन्‍नति का उपाय-भर है.
ज़ी न्यूज़ डेस्क 

દેશના ટોચના ૫૦ મહાનુભાવોના લીસ્ટમાં આદિત્યનાથની એન્ટ્રી :

પ્રથમ નંબરે  નરેન્દ્રભાઇ બીજા નંબરે અમિતભાઇ શાહ અને ત્રીજા નંબરે મોહન ભાગવતજી કેબિનેટ મીનીસ્ટરોથી આગળ નિકળી ગયેલા નવાંગતુકમાં યોગી આદિત્યનાથ સીધા ૮ માં નંબરે લીસ્ટેડ થયા છે સુબ્રમણ્યમ સ્વામી ૨૫માં નંબરે :   



Monday, 27 March 2017

ગોમતી રિવર ફ્રન્ટ ‘યોગી દરબાર'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફૂલ એક્શનમાં નજરે આવી રહ્યાં છે. આજે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવર ફ્રન્ટનું નિરિક્ષણ કર્યું. યોગીએ આ કાર્યક્રમ અચાનક જ બનાવી લીધો હતો અને ત્યારબાદ તેઓ ડેપ્યુટી સીએમ દિનિશ શર્મા, કેબિનેટ મંત્રી રીતા બહુગુણા જોશી, અને સ્વાતિ સિંહ સાથે ગોમતી રિવર ફ્રન્ટ પહોંચી ગયા હતાં. ત્યાં તેમણે સમગ્ર પ્રોજેક્ટની સમિક્ષા કરી અને સંલગ્ન અધિકારીઓ અને લોકોની બરાબર ક્લાસ લગાવી. તેમણે અનેક એવા પ્રશ્નોનો મારો ચલાવ્યો કે અધિકારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. યોગીએ અધિકારીઓ પાસે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની પૂરી માહિતી માંગી, અને તેઓને પાઈ પાઈનો હિસાબ આપવા જણાવ્યું. યોગીએ અધિકારીઓ સાથે લગભગ 40 મિનિટ સુધી બેઠક યોજી. તેમણે નવેસરથી બજેટનો એસ્ટિમેટ તૈયાર કરવા જણાવ્યું.



અધિકારીઓને લગાવી બરાબર ફટકાર

સીએમ યોગીએ રિવર ફ્રન્ટની બેઠકમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને લોકોને બરાબર ફટકાર લગાવી. યોગીએ પૂછ્યું કે ગોમતીનું પાણી ગંદુ કેમ છે? શું બધા રૂપિયા પથ્થરોમાં લગાવી દીધા? પ્રોજેક્ટમાં આટલો ખર્ચો કેવી રીતે થયો? શું પ્રોજેક્ટ કોસ્ટ વધુ છે તો તેમાં સંશોધન કરો. મે મહિના સુધીમાં ગોમતીનું પાણી ચોખ્ખુ થઈ જવું જોઈએ અને એક વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થવો જોઈએ તેવો તેમણે નિર્દેશ આપ્યો. એવી પણ અટકળ છે કે યોગી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ પર કાર્યવાહી પણ કરી શકે છે. યોગીએ એમ પણ પૂછ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં 6 કિમી નદીને 3 મીટર ઊંડાણમાં ઊંડી કેમ કરવામાં આવી છે પરંતુ કાગળ પર. આટલી માટી કાઢીને ફેંકી ક્યાં? ગોમતીને કેટલી ઊંડી કરવામાં આવી?
પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અખિલેશ યાદવે
ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે 16 નવેમ્બર 2016ના રોજ કર્યું હતું. પ્રોજેક્ટ હજું અધૂરો છે. અખિલેશે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે લગભગ 1500 કરોડ રૂપિયાનું ભારેભરખમ બજેટ બનાવ્યું હતું. અત્યાર સુધી આ પ્રોજેક્ટ પર 900 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ ગોમતી નદીના બંને કિનારાનું સૌંદર્યકરણ થયું છે. નદી કિનારે જોગિંગ ટ્રેક, સાઈકલ ટ્રેક, અને બાળકોના પાર્ક બનાવવામાં આવ્યાં છે. બાળકો માટે ડિઝની ડ્રીમ શો, ટોરનેડો ફાઉન્ટેન્સ,વોટર થિયેટર બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત યોગ કેન્દ્ર, વિવાહ ભવન, અને ઓપન થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગોમતીના કિનારે ક્રિકેટ અને ફૂટબોલ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યાં છે. સ્ટેડિયમનું નામ ટેનિસ ખેલાડી ગૌસ મોહમ્મદના નામ પર છે.






View image on Twitte

CM યોગીના તાબડતોબ 50 જેટલા ફેસલાઓથી વિરોધીઓ પણ સ્તબ્ધ, બનશે માસ્ટરસ્ટ્રોક?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ ગત એક અઠવાડિયામાં 50થી વધુ મહત્વના વહીવટી નિર્ણયો લઈ ચૂક્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી એક પણ કેબિનેટ બેઠક યોજાઈ નથી. હાલમાં તેમણે બાબુઓને જણાવ્યું કે તેઓ દરરોજ 18-20 કલાક કામ કરે જેથી કરીને યુપીને એક નવી ઓળખ મળી શકે. ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવા અને મહિલા સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવવા ઉપરાંત રાજ્યની હાલત સુધારવા માટે પણ અનેક ફેસલા લીધા છે. જેમાંના કેટલાક મહત્વના અહીં રજુ કર્યા છે.

યુપી સીએમના તાબડતોબ ફેંસલાઓની એક ઝાંખી
બાયોમેટ્રિક હાજરી:
મંત્રીઓ અને અધિકારીઓને સવારે 10 વાગ્યે કાર્યાલય પહોંચી જવા અને બાયોમેટ્રિક હાજરીની વ્યવસ્થા કરવાનો તેમનો ફેંસલો મુખ્યમંત્રીની લોકપ્રિયતા વધારી રહ્યો છે.
અઢી મહિનામાં ખાડામુક્ત યુપી:
સીએમ યોગીએ રાજ્યના રસ્તાઓને અઢી મહિનાની અંદર ખાડામુક્ત કરવાના નિર્દેશ આપ્યા છે. ગોરખપુરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે પ્રદેશના રસ્તાઓ 15 જૂન સુધીમાં ખાડામુક્ત થવા જોઈએ.
માનસરોવરના પ્રવાસે જનારા શ્રદ્ધાળુઓને એક લાખની મદદ:
દુર્લભ કૈલાસ માનસરોવર યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને મળતી આર્થિક મદદ 50હજારથી વધારીને એક લાખ રૂપિયા કરી દીધી છે. તીર્થયાત્રીઓની પરેશાનીઓ અને સમસ્યાઓ પર ધ્યાન આપતા દિલ્હી અને આસપાસના રાજ્યમાં કોઈ પણ ઉપયુક્ત સ્થાન પર કૈલાશ માનસરોવર ભવનના નિર્માણનો પણ નિર્ણય લેવાયો છે.
ગુંડાઓ-માફિયાઓને ખુલ્લેઆમ ચેતવણી:
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગત સરકારો દ્વારા પાળવામાં આવેલા ગુંડાઓ કે માફિયાઓ ગુંડાગીરી છોડી દે નહીં તો યૂપી છોડીને જવું પડશે કે પછી જેલમાં મોકલી દેવામાં આવશે.
પાર્ટી નેતાઓને ઠેકેદારી ન કરવાનું સૂચન:
સીએમ યોગીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીના કોઈ પણ નેતા કે જનપ્રતિનિધિ કોઈ પણ પ્રકારના ઠેકેદારીના કામ ન લે. તેના બદલે તેઓ નિરિક્ષણ કરે. જો તેમાં ક્યાંય ગડબડી દેખાય તો સૂચના આપે જેથી કરીને દોષિતો સામે તરત કાર્યવાહી થાય. આ સાથે જ રજિસ્ટર્ડ ગુનાહિત ઈતિહાસ ધરાવતા માફિયા પ્રકારના ઠેકેદારોના રજિસ્ટ્રેશન ખતમ કરીને સારી સંસ્થાઓ અને વ્યક્તિઓને તક અપાય.
હજ સબસિડી છોડવાની અપીલ:
ઉત્તર પ્રદેશ સરકારમાં એક માત્ર મુસ્લિમ મંત્રી મોહસિન રજાએ અમીર મુસલમાનોને હજ સબસિડી છોડવાની અપીલ કરી છે. મંત્રી મોહસિન રજાએ કહ્યું કે અમીર પરિવારોને આગ્રહ કરું છું કે તેઓ પોતાની હજ સબસિડી છોડે. જે ‘બધાનો સાથ બધાનો વિકાસ’ સાધવામાં મહત્વનો ભાગ બનશે.
કોઈ ભૂખ્યું નહીં રહે:
સીએમ યોગીએ કહ્યું હતું કે ગરીબોની કોઈ સુનાવણી થતી નથી આ સરકાર તેમના માટે પણ કામ કરવાની છે. ભાજપની સરકાર યુપીમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા સૂવા નહીં દે. કોઈ જનપદમાં કે પછી ભૂખ કે બીમારીથી કોઈ વ્યક્તિનું મોત થયું તો સંબંધિત જિલ્લાધિકારી કે સીએમઓ દંડપાત્ર ગણાશે.
પગપાળા ફરે પોલીસકર્મીઓ:
મુખ્યમંત્રી યોગીએ પોલીસકર્મીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વ્યસ્ત બજારોમાં રોજ દોઢથી બે કિલોમીટર પગપાળા ફરે અને જનતામાં વિશ્વાસ પેદા કરે. તેમણે સ્પષ્ટતા કરી કે પ્રદેશમાં કાયદાનુ રાજ કાયમ કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
આ ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો લેવાયા:
સરકાર ખેડૂતો પાસેથી ઘઉનો પૂરો સ્ટોક ખરીદશે
કોઈ યુવતી નાણાની તંગીના કારણે અપરણીત નહીં રહે.
દરેક પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની પૂરી વ્યવસ્થા
તમામ સરકારી કાર્યાલયોમાં સીસીટીવી કેમેરાના આદેશ
સ્વચ્છતા, એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવવામાં આવી.
ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી
યુપીમાં હવે પૂરતી વીજળી પૂરી પાડવામાં આવશે.

Thursday, 23 March 2017

ઝૂમ બરાબર ઝૂમ સામે સર્વોચ્ચ અદાલતની લાલ આંખ.


Image result for sharab

રાષ્ટ્રીય અને રાજ્યોના ધોરીમાર્ગો પર શરાબની દુકાનો પર સર્વોચ્ચ અદાલતે લાદેલા પ્રતિબંધને આપણે આવકારવો જોઈએ. ભારતમાં વાહન હંકારવું એક જોખમી કૃત્ય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ, ૨૦૧૫ના અહેવાલ અનુસાર વર્ષે લગભગ દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જે ભારતમાં મૃત્યુ અને રોગના ટોચના ૧૦ કારણોમાંથી એક છે. શરાબ સેવન કરીને ડ્રાઇવિંગને કારણે સૌથી વધુ વાહન અકસ્માતો સર્જાય છે. સર્વોચ્ચ અદાલતે લાદેલા પ્રતિબંધથી હજારો લોકોના જીવન બચશે અને વીમાનો ખર્ચ પણ બચશે.

એક અગ્રણી અંગ્રેજી અખબારના લેખમાં જણાવા યા મુજબ, જોકે થોડા પ્રશ્નો ઉઠાવાશે. કેવળ શરાબની દુકાનો પર જ શા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને વાઈન, વિસ્કી, બ્રાન્ડી વગેરે પીરસતા પરમિટ બારોને શા માટે બાકાત રાખવા જોઈએ જેમાં ૧૫થી ૨૦ ટકા આલ્કોહોલ હોય છે? કોઈપણ આલ્કોહોલ (મદ્યાર્થ પદાર્થ) પૂરતા પ્રમાણમાં પીવાય ત્યારે આંખોમાં ઝાંખપ સર્જે છે અને સ્નાયુઓને બૂઠાં કરે છે. તેથી, ધોરીમાર્ગો પરથી શરાબ સેવન માટેની તમામ સુવિધાને દૂર કરવી રહી.
સર્વોચ્ચ અદાલતના આદેશને પ્રભાવહીન બનાવવા માટે લિકર લોબી અગાઉથી પ્રયાસ કરી રહી છે. અનેક સ્થળે ધોરીમાર્ગોનો વહીવટ નગરપાલિકાઓને ટ્રાન્સફર કરવા માટેની હિલચાલો થઈ રહી છે, જેથી સર્વોચ્ચ અદાલતના પ્રતિબંધને ટાળી શકાય, જે કેવળ રાષ્ટ્રીય અને રાજ્યોના ધોરીમાર્ગોને લાગુ પડે છે. આ છટકબારીને બંધ કરવી જોઈએ. આલ્કોહોલ રસ્તા પર હાનિકારક છે, તો શું અન્યત્ર સુરક્ષિત છે? શું આલ્કોહોલ નિર્દોષ પીણું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ૨૦૦ પ્રકારના રોગો બદલ આલ્કોહોલને કારણભૂત ઠેરવે છે અને તેના કારણે વિશ્વભરમાં અંદાજે દર વર્ષે ૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે અને કુલ ૧૪ લાખ જીવન વર્ષો ગુમાવાય છે. HIV કરતા આલ્કોહોલને કારણે વધુ લોકો મૃત્યુ પામે છે.
પરંતુ પ્રાસંગિકપણે એકાદ બે પેગ પીનારા લોકો વિશે શા માટે આટલો બધો ઊહાપોહ ? WHO સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ, ૨૦૧૫માં ઉલ્લેખ કરાયા મુજબ, ભારતમાં સંપૂર્ણ આલ્કોહોલનું સેવન વર્ષે પુખ્ત વ્યક્તિ દીઠ ૪૦૦થી ૫૦૦ ડ્રિન્ક છે. ભારતમાં માત્ર ૨૦ ટકા પુખ્ત વ્યક્તિઓ શરાબસેવન કરતી હોવાથી માથાદીઠ વાર્ષિક વપરાશે ૨,૫૦૦થી ૩,૦૦૦ ડ્રિન્ક થાય છે. જેઓ આલ્કોહોલનું સેવન કરે છે અને તેમની આસપાસના લોકો પર થતી અસર વિશે વિચાર કરો.
શરાબ સેવન માટે વ્યક્તિની પસંદગીના સ્વાતંત્ર્ય વિશે શું? વાત સાચી, પરંતુ આ મુક્ત પસંદગી કોણ કરે છે? મગજ કરે છે. આલ્કોહોલ વ્યક્તિના ભેજાને પ્રભાવિત કરે છે અને ડહાપણભરી પસંદગી કરવાની તેની કાબેલિયત સાથે બાંધછોડ કરે છે. પ્રથમ ડ્રિન્ક લીધાં બાદ આલ્કોલ આપણી પસંદ પર હુકમ ચલાવે છે, નહીં કે ભેજું ચલાવે છે. આલ્કોહોલના કિસ્સામાં મુક્ત પસંદગીનો વિચાર કાલ્પનિક છે. આલ્કોહોલ આપણી કાબેલિયતને છીનવી લે છે અને એ રીતે પસંદગી કરવાની આપણી સ્વતંત્રતાને હણી લે છે. આલ્કોહોલથી દૂર રહેવાની પસંદગી કરવાની આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરી શકાય છે.
ઉપરાંત, ત્રીજા પક્ષને થતી હાનિ પણ છે. શરાબ સેવન કરનારાઓની આસપાસના લોકો પત્ની, સંતાનો, પાડોશી, રસ્તા પર ચાલનારા અથવા વાહન હાંકનારા, સાથે કામ કરનારા અને શરાબી વ્યક્તિ પાસેથી સેવા મેળવનારા સામે પણ ગંભીર જોખમ છે. કલ્પના કરો કે પીધેલો ડોક્ટર અથવા પોલીસ અધિકારી તેના અસીલો સાથે કેવું વર્તન કરશે? ખ્યાતનામ હસ્તીઓ શરાબ પીવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે ત્યારે ફૂટપાથ પર સૂતા ગરીબોનું શું? દારૂબંધી સંબંધમાં, સરકારની ફરજ ભારતના બંધારણમાં સમાવિષ્ટ છે.
પરંતુ શું દારૂબંધીનો અમલ કરી શકાય? પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરકારી નીતિ અને મઝહબ શરાબ વિરોધી છે. WHOના ૨૦૧૫ના આંકડા અનુસાર, ભારતમાં પાણી વગરના શુદ્ધ મદ્યાર્થનો વપરાશ પુખ્ત વ્યક્તિદીઠ ૪,૦૦૦ મિલીલિટર જ્યારે પાકિસ્તાનમાં ૧૦૦ મિલીલિટર અને બાંગ્લાદેશમાં ૨૦૦ મિલીલિટર છે. મુખ્યત્વે બૌદ્ધધર્મી મ્યાંમાર અને ભૂતાનમાં તે ૭૦૦ મિલીલિટર છે. ૨૬ દેશો જ્યાં સરકારો અને સંસ્કૃતિએ શરાબ વિરોધી મંતવ્ય અપનાવ્યું છે, ત્યાં ૧,૦૦૦ મિલીલિટરથી ઓછો છે. શરાબના વપરાશને સ્પષ્ટપણે નિયંત્રિત કરી શકાય. ભારતમાં મોટાભાગના ધર્મો- હિંદુ, ઇસ્લામ, શીખ, જૈન અને બૌદ્ધમાં શરાબ સેવનની મનાઈ છે. WHOના અહેવાલ અનુસાર ભારતમાં આજે પણ ૮૦ ટકા પુખ્ત વ્યક્તિઓ શરાબ નથી પીતી. જો સરકારી નીતિ અને પ્રયાસો આ સાંસ્કૃતિક પરિબળમાં પૂરક બને તો શરાબના હાલના વપરાશને ૭૫ ટકા સુધી ઘટાડીને માથાદીઠ ૧,૦૦૦ મિલીલિટર કરવાનું કદાચ અશક્ય નથી. શરાબ સેવનની સંસ્કૃતિ માટે જાણીતા ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોએ પણ શરાબનો વપરાશ ત્રીજા ભાગ સુધી ઘટાડયો છે. રશિયા પંચાવન ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
શરાબનો વપરાશ ઘણું કરીને કદી શૂન્ય સ્તરે નહીં પહોંચે. પરંતુ ખરો પ્રશ્ન એવું પૂછવાનો નથી કે દારૂબંધી સફળ નીવડી છે કે પછી નિષ્ફળ પુરવાર થઈ છે, પરંતુ એ પૂછવાનો છે કે શું દારૂબંધીને કારણે શરાબનો વપરાશ ઘટયો છે કે નહીં. ઉપરાંત સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં જણાવાયું છે એ મુજબ દારૂબંધીની નીતિ કારગત બનાવવાની સરકારની બંધારણીય ફરજ છે.

યોગી આદિત્યનાથનો ઉદય અને સર્વોદયની આશા....

રાજ્યગુરુના પ્રભાવ નીચે રાજા શાસન ચલાવે એ ઋષિપરંપરા ભારતમાં યુગોથી ચાલતી આવી હતી. છત્રપતિ શિવાજી એમના ગુરુ સ્વામી સમર્થ રામદાસની ઇચ્છા અનુસાર શાસન ચલાવતા હતા. મહાભારત અને રામાયણમાં જે સુશાસનો રજૂ થયાં છે તેમાં ઋષિ અથવા રાજ્યગુરુને મહત્ત્વ અપાતં હતું. જરૂર પડી ત્યારે રાજ્યગુરુએ નાઇટવોચમેન તરીકે રાજકારભાર સંભાળી લીધો હોય તેવાં ઉદાહરણો પણ છે. સ્વામી, સાધુઓ અથવા રાજ્યગુરુ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓથી વિરક્ત અને પ્રજામુખી હોય છે એવી એક સામાન્ય ધારણા છે. આથી જ્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશનું સુકાન સંભાળે ત્યારે જૂની સંસ્કૃતિ એમની મદદે આવે છે અને પ્રજા આપોઆપ યોગી સમક્ષ નતમસ્તક બની જાય છે. 


ભારતની લોકશાહીના ઇતિહાસમાં યોગી શાસનની ધુરા સંભાળે તે આ પ્રથમ કિસ્સો નથી. સાધ્વી ઉમા ભારતી મધ્ય પ્રદેશનાં ભગવા ગાઉનધારી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે પણ સાધ્વીમાં શિસ્તનો અભાવ હતો. યોગી આદિત્યનાથ એક શિસ્તબદ્ધ યોગી છે. એમનાં પ્રજ્ઞા, ચેતા અને મેધા ત્રણેય તેજ છે. કોઇપણ વાત ત્વરિત સમજી જાય છે. એક યોગીમાં હોય તેવો હઠાગ્રહ અને ક્રોધ પણ તેમનામાં છે. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ છે. રોજ બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઈને, ગમે એટલી વ્યસ્તતા વચ્ચે દૈનંદિનીનો ક્રમ જાળવી રાખે છે. ઉંમર નાની છે અને કદકાઠી એવરેજથી થોડાં નીચે છે પણ સિદ્ધિઓ અનેક છે.
જૂની પરંપરામાં યોગીઓ અને રાજવીઓ આપખુદ નિર્ણય લઇ શકતા હતા. હવેની લોકશાહી વ્યવસ્થા જટિલ હોય છે અને તેમાંય ઉત્તર પ્રદેશ જટિલશ્રેષ્ઠ છે. યોગી આદિત્યનાથ પ્રખર હિંદુવાદી છે. એમના ઘણા વિચારોનો ભારતનાં બંધારણ સાથે મેળ જામતો નથી. એવું બની શકે કે એમના વિચારોને અમલમાં મૂકવાથી ઉત્તર પ્રદેશમાં કોઈ બંધારણીય સમસ્યા પેદા થાય. તે ના થાય તે માટે બબ્બે નાયબ મુખ્યમંત્રીઓ યોગીની આસપાસ હેન્ડબ્રેક તરીકે રખાયા છે. દિનેશ શર્મા સૌમ્ય, મૃદુભાષી, શિક્ષિત અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે. કેશવપ્રસાદ મૌર્ય પણ પ્રિસ્ક્રિપ્શનમાં ફિટ બેસે તેવા નેતા છે. યોગીના ઉગ્ર ચહેરા પર હમણા લગામ રખાશે. હાલ તુરત તો વિકાસનો એજન્ડા આગળ ધપાવાશે, કારણ કે હવે પછીનાં સવા બે વરસ બાદ લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે. દરેક કદમ એ રીતે આગળ વધશે જેમાં ઉત્તર પ્રદેશમાં મતદારો ઘટવા ન જોઇએ. યુપીમાં જે શાસન અપાશે તેની રાષ્ટ્રીય સ્તરે પણ અસર પેદા થશે. સ્વામી જ્યારે શાસક બની ગયા છે ત્યારે એમની પરીક્ષા થશે. એમના માટે સારી વાત એ છે કે યુપીમાં ભાજપની પ્રચંડ બહુમતી છે અને કેન્દ્રમાં પણ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર છે. આવું વાતાવરણ હોય ત્યારે આપખુદી પણ વધી જાય તેવી સંભાવના રહે છે. આ સ્થિતિને કારણે યુપી અને દેશની રાજ્યવ્યવસ્થા એક નવા ઉત્સાહપ્રદ, રોમાંચક અને રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. ભારતનાં લોકોની આંખ યોગી અને ઉત્તર પ્રદેશ પર મંડાયેલી રહેશે.
સર્વશ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ખૂબ બુદ્ધિપૂર્વક ત્રિપુટીની રચના કરી છે. યુપી જેનાથી પીડાય એ જ્ઞાતિ, જાતિનાં સમીકરણો યોગીને લાગુ પાડવાનાં નથી, કારણ કે સાધુ એ તમામ ગણિતોથી પર હોય છે. જાત ન પૂછો સાધુ કી. આથી તમામ હિંદુઓના એ એક સરખા પ્રિય નેતા બની રહેશે. હા, ધર્મના આધારે નવા વિવાદો થઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ સ્થિતિ ભાજપને માટે ફાયદાકારક નીવડશે. બહુમતી હિંદુ મતદારો સંગઠિત રહેશે.
યોગીની અચાનક પસંદગી થઈ તેમ કહેવાય છે. આ વાત સાચી નથી. મોદી અને શાહે અગાઉથી જ મુખ્યમંત્રીઓનાં નામ નક્કી કરી રાખ્યાં હતાં. પારિકરને ગોવા મોકલવાનું અગાઉથી જ નક્કી હતું. યોગીએ યુપીની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી હતી. ભાજપના ચૂંટણી અગાઉના ખાનગી સરવેમાં ભાજપના લોકપ્રિય નેતાઓ તરીકે રાજનાથસિંહ યોગી બંને લગભગ સરખા પ્રમાણમાં લોકપ્રિય હતા પણ રાજનાથ યુપી જવા માગતા નહોતા. એ વખતે યુપીના નેતા જાહેર કરાયા નહીં. એ વ્યૂહ પણ ભાજપ માટે મદદરૂપ પુરવાર થયો છે. નામ જાહેર થવાથી અમુક મતદારો બીજા પક્ષ તરફ જતા રહે એવું થયું નથી. પ્રચાર વખતે યોગીની લોકપ્રિયતા ખૂબ વધી. યોગીએ કર્મઠતા અને શિસ્તના ગુણોનો પરિચય આપ્યો તેનાથી મોદી પણ ખુશ થયા હતા. સાતમા તબક્કાનાં મતદાન માટે પૂર્વીય યુપીના ગોરખપુરમાં ભાજપના અનેક બળવાખોર ઉમેદવારો ઊભા રહી ગયા હતા. યોગીએ ગોરખપુર જિલ્લામાં ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો અને એકપણ બળવાખોર ચૂંટાઇ ન આવે તેવી તજવીજ કરી. પક્ષના કેટલાક અસંતુષ્ટોની પાછળ ખુદ યોગી આદિત્યનાથ રહેલા છે તેવો કુપ્રચાર શરૂ થયો તેને મોદી અને શાહે ધ્યાનમાં લીધો નહોતો. અમિત શાહ વારે-પ્રસંગે ગોરખનાથ મંદિરના આશ્રમમાં જતા. યોગીની શિસ્ત, વહીવટ, ઇતિહાસનું જ્ઞાન અને નિખાલસતા શાહને પસંદ પડયાં હતાં. ચૂંટણીપ્રચારમાં યોગીની મહેનત નોંધપાત્ર રહી હતી. ટૂંકમાં યુપીના નાથ તરીકે આદિત્યનાથનું નામ પરિણામો જાહેર થયા તે અગાઉથી જ નક્કી હતું. એ જ રીતે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતનું નામ પહેલેથી જ નક્કી હતું. ધારાસભ્યો દ્વારા નેતાની પસંદગી એટલા માટે થઈ કે ધારાસભ્યઓએ કોને પસંદ કરવાના છે તે ટોચની નેતાગીરીએ નક્કી કરવાનું હતું. પત્રકાર વાસિન્દ્ર મિશ્રાએ સરસ વાત કહી. મહાભારતનું યુદ્ધ નક્કી જ હતું. છતાં કૃષ્ણએ એવો દેખાવ કર્યો જેમાં અર્જુનને પ્રેરણા આપવી પડી. પાંડવોમાં યુદ્ધ માટેની ભાવના જગાડવી પડી અને કૃષ્ણ સહમતી બનાવી રહ્યા છે તેવી સ્થિતિ પેદા કરવી પડી. યોગીની પસંદગીમાં સંઘની કોઇ ભૂમિકા નથી રહી પણ મોદી અને શાહની ભૂમિકા જ મહત્ત્વની રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે કે યે તો સિર્ફ ઝાંખી હૈ.. વધુ કડક બનીશું...

૫૬'ની છાતી તો યોગી આદિત્યનાથની છે, કે જેણે ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાન પદ સંભાળવાની સાથે જ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા શરૃ કર્યા છે. લાગે છે કે મૂંગા પશુઓનો ચિત્કાર સાંભળનાર કોઇ આવી ગયો છે. મોટાભાગના રાજકારણીઓને કતલખાનાના નામથી જ કરંટ લાગે છે. દરેક પક્ષના મોવડીઓ કહે છે કે કતલખાનાને છંછેડવા નહીં કેમકે તે મત મેળવી આપતા કેન્દ્રો છે. યોગી આદિત્યનાથે જે કરી બતાવ્યું છે એવું કોઇ મુખ્ય પ્રધાને કરી બતાવ્યું નથી.


યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માગે છે. તે માટે તે ગુંડાઓને ભગાડશે. ઉત્તર પ્રદેશના જંગ તરફ સૌની નજર હતી; પછી કોણ મુખ્ય પ્રધાન બનશે તે અંગે ઉત્તેજના હતી અને હવે નવા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શું કરશે તે પર સૌની નજર છે. યોગી આદિત્યનાથ પોતાના મૂળ સ્વભાવને છોડશે તો અસરકારક પગલાં લઇ નહીં શકે !!

ઘણાં ક્રિકેટરો પોતાની મૂળ બેટિંગ ટેકનિક છોડીને કૉચની સૂચના પ્રમાણે ચાલે છે. તેની સ્વભાવગત કે ગળથૂથીમાં સમાયેલી બેટિંગ તે છોડે છે ત્યારે જોનારા કહે છે કે ક્રિકેટર મૂડમાં નથી !! તાજેતરમાં ૧૦૦ કરોડ કમાયેલી ફિલ્મ દંગલમાં પણ કોચની સૂચના અવગણીને પોતાની રીયલ ફાઇટ કરનાર હિરોઇન જીતે છે. એવી જ રીતે યોગી આદિત્યનાથનું છે. વડાપ્રધાને તેમને મૂળ સ્વભાવ પ્રમાણે બેટિંગ કરવા કહ્યું છે. એટલે જ ગેરકાયદે કતલખાના પર તરાપ એ પહેલા બોલે 'સીક્સ' સમાન હતું. ગેરકાયદે ચાલતા કતલખાના વગેરે પર્યાવરણને નુકસાનકારક છે. આપણે જે પીંક રીવોલ્યુશનની વાતો કરીએ છે તે કદાચ યોગી આદિત્યનાથના પગલાંથી શરૃ થશે એમ મનાય છે.

દારૃબંધીનો આદેશ આપવો અને ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરવાનો આદેશ આપવો તેમાં આસમાન-જમીનનો ફર્ક છે. બિહારમાં ચૂંટણી જીત્યા પછી નીતીશકુમારે દારૃબંધી બિહારમાં દાખલ કરી હતી. જોકે આવી બંધીથી પોલીસ બેડા માટે ઉઘરાણીની દુકાનો આસાન બની જાય છે. દારૃબંધી એક ઠરાવ સાથે થાય છે, જ્યારે ગેરકાયદે કતલખાના બંધ રાખવા મુસ્લિમ સમુદાય સામે આ સૌથી મોટો પડકાર છે. સરકારની મંજૂરીવાળા કતલખાના સામે કોઇ વાંધો ના ઊઠાવી શકે પણ ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા એ તો પુણ્યનું કામ છે. દેવાગ્રસ્ત કિસાનો પાસે મફતના ભાવે પશુધન લઇ લેવાય છે; ક્યાંક તે લૂંટી લેવાય છે તો ક્યાંક પશુધનની ચોરીનો ધંધો ચાલે છે. આ પશુઓને ટ્રક કે ટેમ્પોમાં કતલખાના સુધી લઇ જવાય છે.




આખી સિસ્ટમ ભ્રષ્ટાચારને વરેલી છે જે વિરોધ કરે તેને ક્યાં તો પૈસા આપીને ચૂપ કરાય છે અથવા તો પતાવી દેવાય છે. કતલખાના બંધ કરાવવા એ હિંમતભર્યું પગલું છે. ગેરકાયદે ચાલતા કતલખાના કેટલા પ્રાણીઓની કતલ કરે છે કે સ્વચ્છતાના કેવા પગલાં લે છે તેની કોઇ નોંધ નથી રખાતી. તલવારના જોરે ચાલતા કતલખાના મૂંગા પશુઓ પર છરા ફેરવે છે. કમનસીબી તો એ છે કે કાયદેસરના કતલખાના કરતાં ગેરકાયદે ચાલતા કતલખાના બમણાં છે. જેમાં દૂધાળાં ઢોર પણ ઊઠાવી લેવાય છે. જે ટ્રકોમાં માંડ ૧૦ ભેંસ સમાય તેમાં ૩૦-૩૦ ભેંસો ઘૂસાડાય છે. જ્યારે તેમને કતલખાને લવાય છે ત્યારે અડધીના પગ તૂટી ગયા હોય છે તો ૨૫ ટકાના શિંગડા બીજી ભેંસના શરીરમાં ઘૂસેલા હોય છે
.


યોગી આદિત્યનાથ આમ તો વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે પરંતુ વિપક્ષમાં હોવું અને સત્તા પર હોવું એ બંનેનું અલગ વ્યક્તિત્વ યોગી ધરાવી શકે છે. સત્તા સંભાળવામાં અઠવાડીયા પછી તે ગુંડાઓની સાફ-સૂફીનું કામ હાથમાં લેવાના છે. સત્તાના બે દિવસ બાદ જ બગીચાઓની બહાર રખડતા રોમિયોને પકડવાની શરૃઆત થઇ ગઇ છે.

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઘણાં વચનો આપ્યા છે. રાહતની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે યોગીના શપથના ચોથા દિવસે રામ મંદિરનો વિવાદ બંને પક્ષે ભેગા મળીને સમાધાન કરે એવું સૂચવ્યું છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોઇ સમાધાનની પ્રક્રિયા શરૃ થશે અને તેમાં ભાજપનો હાથ ઉપર રહેશે.
યોગી આદિત્યનાથ સપનાં જોવામાં નથી માનતા, તે હકીકતમાં માને છે. એટલે જ તેમણે ખાતાની ફાળવણી અગાઉથી જ તૈયાર કરી નાખી હતી.





યોગી આદિત્યનાથ હાજર જવાબી છે પણ તે વિવાદને લાંબો નથી ચાલવા દેતા. તે એકશનમાં માને છે. એમ લાગે છે કે તેમના પગલાની અસર ઠેઠ પાકિસ્તાન સુધી વર્તાશે.યોગી આદિત્યનાથના ગામનું ઘર જુવો તો ખ્યાલ આવે કે આ માણસ બૉટમ લેવલેથી ટૉપ પર આવ્યો છે. તે કશાથી અંજાય એમ નથી. સોનામાં સુગંધ જેવી વાત તો એ છે કે કેન્દ્રમાં ભાજપની સરકારે તેમને ફ્રી-સ્ટાઇલ બેટિંગ કરવાની છૂટ આપી છે. કહે છે કે મોદી વડાપ્રધાન પદે હોવાના કારણે જે નથી કરી શકતા તે બધું યોગી આદિત્યનાથ પાસે કરાવશે..


ગુજરાત સમાચાર 22 માર્ચ 2017

उत्तर प्रदेश के बाद गुजरात को पूर्ण हिन्दू राज्य बनाना हे समय आ गया हे l
हिन्दू युवा वाहिनी में जुड़े और अपना हिंदुत्व को साबित करे तभी तो बनेगा हिन्दूराष्ट्र


हिन्दू युवा वाहिनी ने जुड़ ने के लिए ऑनलाइन फॉर्म के लिए यह लिंक का प्रयोग करे 




हिन्दू युवा वाहिनी गुजरात प्रदेश —
१२ /३ भक्तिनगर स्टेशन प्लाट
राजकोट (गुजरात)
+91 94093 45768