Thursday, 23 March 2017

યોગી આદિત્યનાથનો ઉદય અને સર્વોદયની આશા....

રાજ્યગુરુના પ્રભાવ નીચે રાજા શાસન ચલાવે એ ઋષિપરંપરા ભારતમાં યુગોથી ચાલતી આવી હતી. છત્રપતિ શિવાજી એમના ગુરુ સ્વામી સમર્થ રામદાસની ઇચ્છા અનુસાર શાસન ચલાવતા હતા. મહાભારત અને રામાયણમાં જે સુશાસનો રજૂ થયાં છે તેમાં ઋષિ અથવા રાજ્યગુરુને મહત્ત્વ અપાતં હતું. જરૂર પડી ત્યારે રાજ્યગુરુએ નાઇટવોચમેન તરીકે રાજકારભાર સંભાળી લીધો હોય તેવાં ઉદાહરણો પણ છે. સ્વામી, સાધુઓ અથવા રાજ્યગુરુ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓથી વિરક્ત અને પ્રજામુખી હોય છે એવી એક સામાન્ય ધારણા છે. આથી જ્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશનું સુકાન સંભાળે ત્યારે જૂની સંસ્કૃતિ એમની મદદે આવે છે અને પ્રજા આપોઆપ યોગી સમક્ષ નતમસ્તક બની જાય છે. 


ભારતની લોકશાહીના ઇતિહાસમાં યોગી શાસનની ધુરા સંભાળે તે આ પ્રથમ કિસ્સો નથી. સાધ્વી ઉમા ભારતી મધ્ય પ્રદેશનાં ભગવા ગાઉનધારી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે પણ સાધ્વીમાં શિસ્તનો અભાવ હતો. યોગી આદિત્યનાથ એક શિસ્તબદ્ધ યોગી છે. એમનાં પ્રજ્ઞા, ચેતા અને મેધા ત્રણેય તેજ છે. કોઇપણ વાત ત્વરિત સમજી જાય છે. એક યોગીમાં હોય તેવો હઠાગ્રહ અને ક્રોધ પણ તેમનામાં છે. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ છે. રોજ બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઈને, ગમે એટલી વ્યસ્તતા વચ્ચે દૈનંદિનીનો ક્રમ જાળવી રાખે છે. ઉંમર નાની છે અને કદકાઠી એવરેજથી થોડાં નીચે છે પણ સિદ્ધિઓ અનેક છે.
જૂની પરંપરામાં યોગીઓ અને રાજવીઓ આપખુદ નિર્ણય લઇ શકતા હતા. હવેની લોકશાહી વ્યવસ્થા જટિલ હોય છે અને તેમાંય ઉત્તર પ્રદેશ જટિલશ્રેષ્ઠ છે. યોગી આદિત્યનાથ પ્રખર હિંદુવાદી છે. એમના ઘણા વિચારોનો ભારતનાં બંધારણ સાથે મેળ જામતો નથી. એવું બની શકે કે એમના વિચારોને અમલમાં મૂકવાથી ઉત્તર પ્રદેશમાં કોઈ બંધારણીય સમસ્યા પેદા થાય. તે ના થાય તે માટે બબ્બે નાયબ મુખ્યમંત્રીઓ યોગીની આસપાસ હેન્ડબ્રેક તરીકે રખાયા છે. દિનેશ શર્મા સૌમ્ય, મૃદુભાષી, શિક્ષિત અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે. કેશવપ્રસાદ મૌર્ય પણ પ્રિસ્ક્રિપ્શનમાં ફિટ બેસે તેવા નેતા છે. યોગીના ઉગ્ર ચહેરા પર હમણા લગામ રખાશે. હાલ તુરત તો વિકાસનો એજન્ડા આગળ ધપાવાશે, કારણ કે હવે પછીનાં સવા બે વરસ બાદ લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે. દરેક કદમ એ રીતે આગળ વધશે જેમાં ઉત્તર પ્રદેશમાં મતદારો ઘટવા ન જોઇએ. યુપીમાં જે શાસન અપાશે તેની રાષ્ટ્રીય સ્તરે પણ અસર પેદા થશે. સ્વામી જ્યારે શાસક બની ગયા છે ત્યારે એમની પરીક્ષા થશે. એમના માટે સારી વાત એ છે કે યુપીમાં ભાજપની પ્રચંડ બહુમતી છે અને કેન્દ્રમાં પણ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર છે. આવું વાતાવરણ હોય ત્યારે આપખુદી પણ વધી જાય તેવી સંભાવના રહે છે. આ સ્થિતિને કારણે યુપી અને દેશની રાજ્યવ્યવસ્થા એક નવા ઉત્સાહપ્રદ, રોમાંચક અને રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. ભારતનાં લોકોની આંખ યોગી અને ઉત્તર પ્રદેશ પર મંડાયેલી રહેશે.
સર્વશ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ખૂબ બુદ્ધિપૂર્વક ત્રિપુટીની રચના કરી છે. યુપી જેનાથી પીડાય એ જ્ઞાતિ, જાતિનાં સમીકરણો યોગીને લાગુ પાડવાનાં નથી, કારણ કે સાધુ એ તમામ ગણિતોથી પર હોય છે. જાત ન પૂછો સાધુ કી. આથી તમામ હિંદુઓના એ એક સરખા પ્રિય નેતા બની રહેશે. હા, ધર્મના આધારે નવા વિવાદો થઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ સ્થિતિ ભાજપને માટે ફાયદાકારક નીવડશે. બહુમતી હિંદુ મતદારો સંગઠિત રહેશે.
યોગીની અચાનક પસંદગી થઈ તેમ કહેવાય છે. આ વાત સાચી નથી. મોદી અને શાહે અગાઉથી જ મુખ્યમંત્રીઓનાં નામ નક્કી કરી રાખ્યાં હતાં. પારિકરને ગોવા મોકલવાનું અગાઉથી જ નક્કી હતું. યોગીએ યુપીની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી હતી. ભાજપના ચૂંટણી અગાઉના ખાનગી સરવેમાં ભાજપના લોકપ્રિય નેતાઓ તરીકે રાજનાથસિંહ યોગી બંને લગભગ સરખા પ્રમાણમાં લોકપ્રિય હતા પણ રાજનાથ યુપી જવા માગતા નહોતા. એ વખતે યુપીના નેતા જાહેર કરાયા નહીં. એ વ્યૂહ પણ ભાજપ માટે મદદરૂપ પુરવાર થયો છે. નામ જાહેર થવાથી અમુક મતદારો બીજા પક્ષ તરફ જતા રહે એવું થયું નથી. પ્રચાર વખતે યોગીની લોકપ્રિયતા ખૂબ વધી. યોગીએ કર્મઠતા અને શિસ્તના ગુણોનો પરિચય આપ્યો તેનાથી મોદી પણ ખુશ થયા હતા. સાતમા તબક્કાનાં મતદાન માટે પૂર્વીય યુપીના ગોરખપુરમાં ભાજપના અનેક બળવાખોર ઉમેદવારો ઊભા રહી ગયા હતા. યોગીએ ગોરખપુર જિલ્લામાં ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો અને એકપણ બળવાખોર ચૂંટાઇ ન આવે તેવી તજવીજ કરી. પક્ષના કેટલાક અસંતુષ્ટોની પાછળ ખુદ યોગી આદિત્યનાથ રહેલા છે તેવો કુપ્રચાર શરૂ થયો તેને મોદી અને શાહે ધ્યાનમાં લીધો નહોતો. અમિત શાહ વારે-પ્રસંગે ગોરખનાથ મંદિરના આશ્રમમાં જતા. યોગીની શિસ્ત, વહીવટ, ઇતિહાસનું જ્ઞાન અને નિખાલસતા શાહને પસંદ પડયાં હતાં. ચૂંટણીપ્રચારમાં યોગીની મહેનત નોંધપાત્ર રહી હતી. ટૂંકમાં યુપીના નાથ તરીકે આદિત્યનાથનું નામ પરિણામો જાહેર થયા તે અગાઉથી જ નક્કી હતું. એ જ રીતે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતનું નામ પહેલેથી જ નક્કી હતું. ધારાસભ્યો દ્વારા નેતાની પસંદગી એટલા માટે થઈ કે ધારાસભ્યઓએ કોને પસંદ કરવાના છે તે ટોચની નેતાગીરીએ નક્કી કરવાનું હતું. પત્રકાર વાસિન્દ્ર મિશ્રાએ સરસ વાત કહી. મહાભારતનું યુદ્ધ નક્કી જ હતું. છતાં કૃષ્ણએ એવો દેખાવ કર્યો જેમાં અર્જુનને પ્રેરણા આપવી પડી. પાંડવોમાં યુદ્ધ માટેની ભાવના જગાડવી પડી અને કૃષ્ણ સહમતી બનાવી રહ્યા છે તેવી સ્થિતિ પેદા કરવી પડી. યોગીની પસંદગીમાં સંઘની કોઇ ભૂમિકા નથી રહી પણ મોદી અને શાહની ભૂમિકા જ મહત્ત્વની રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે કે યે તો સિર્ફ ઝાંખી હૈ.. વધુ કડક બનીશું...

૫૬'ની છાતી તો યોગી આદિત્યનાથની છે, કે જેણે ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાન પદ સંભાળવાની સાથે જ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા શરૃ કર્યા છે. લાગે છે કે મૂંગા પશુઓનો ચિત્કાર સાંભળનાર કોઇ આવી ગયો છે. મોટાભાગના રાજકારણીઓને કતલખાનાના નામથી જ કરંટ લાગે છે. દરેક પક્ષના મોવડીઓ કહે છે કે કતલખાનાને છંછેડવા નહીં કેમકે તે મત મેળવી આપતા કેન્દ્રો છે. યોગી આદિત્યનાથે જે કરી બતાવ્યું છે એવું કોઇ મુખ્ય પ્રધાને કરી બતાવ્યું નથી.


યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માગે છે. તે માટે તે ગુંડાઓને ભગાડશે. ઉત્તર પ્રદેશના જંગ તરફ સૌની નજર હતી; પછી કોણ મુખ્ય પ્રધાન બનશે તે અંગે ઉત્તેજના હતી અને હવે નવા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શું કરશે તે પર સૌની નજર છે. યોગી આદિત્યનાથ પોતાના મૂળ સ્વભાવને છોડશે તો અસરકારક પગલાં લઇ નહીં શકે !!

ઘણાં ક્રિકેટરો પોતાની મૂળ બેટિંગ ટેકનિક છોડીને કૉચની સૂચના પ્રમાણે ચાલે છે. તેની સ્વભાવગત કે ગળથૂથીમાં સમાયેલી બેટિંગ તે છોડે છે ત્યારે જોનારા કહે છે કે ક્રિકેટર મૂડમાં નથી !! તાજેતરમાં ૧૦૦ કરોડ કમાયેલી ફિલ્મ દંગલમાં પણ કોચની સૂચના અવગણીને પોતાની રીયલ ફાઇટ કરનાર હિરોઇન જીતે છે. એવી જ રીતે યોગી આદિત્યનાથનું છે. વડાપ્રધાને તેમને મૂળ સ્વભાવ પ્રમાણે બેટિંગ કરવા કહ્યું છે. એટલે જ ગેરકાયદે કતલખાના પર તરાપ એ પહેલા બોલે 'સીક્સ' સમાન હતું. ગેરકાયદે ચાલતા કતલખાના વગેરે પર્યાવરણને નુકસાનકારક છે. આપણે જે પીંક રીવોલ્યુશનની વાતો કરીએ છે તે કદાચ યોગી આદિત્યનાથના પગલાંથી શરૃ થશે એમ મનાય છે.

દારૃબંધીનો આદેશ આપવો અને ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરવાનો આદેશ આપવો તેમાં આસમાન-જમીનનો ફર્ક છે. બિહારમાં ચૂંટણી જીત્યા પછી નીતીશકુમારે દારૃબંધી બિહારમાં દાખલ કરી હતી. જોકે આવી બંધીથી પોલીસ બેડા માટે ઉઘરાણીની દુકાનો આસાન બની જાય છે. દારૃબંધી એક ઠરાવ સાથે થાય છે, જ્યારે ગેરકાયદે કતલખાના બંધ રાખવા મુસ્લિમ સમુદાય સામે આ સૌથી મોટો પડકાર છે. સરકારની મંજૂરીવાળા કતલખાના સામે કોઇ વાંધો ના ઊઠાવી શકે પણ ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા એ તો પુણ્યનું કામ છે. દેવાગ્રસ્ત કિસાનો પાસે મફતના ભાવે પશુધન લઇ લેવાય છે; ક્યાંક તે લૂંટી લેવાય છે તો ક્યાંક પશુધનની ચોરીનો ધંધો ચાલે છે. આ પશુઓને ટ્રક કે ટેમ્પોમાં કતલખાના સુધી લઇ જવાય છે.




આખી સિસ્ટમ ભ્રષ્ટાચારને વરેલી છે જે વિરોધ કરે તેને ક્યાં તો પૈસા આપીને ચૂપ કરાય છે અથવા તો પતાવી દેવાય છે. કતલખાના બંધ કરાવવા એ હિંમતભર્યું પગલું છે. ગેરકાયદે ચાલતા કતલખાના કેટલા પ્રાણીઓની કતલ કરે છે કે સ્વચ્છતાના કેવા પગલાં લે છે તેની કોઇ નોંધ નથી રખાતી. તલવારના જોરે ચાલતા કતલખાના મૂંગા પશુઓ પર છરા ફેરવે છે. કમનસીબી તો એ છે કે કાયદેસરના કતલખાના કરતાં ગેરકાયદે ચાલતા કતલખાના બમણાં છે. જેમાં દૂધાળાં ઢોર પણ ઊઠાવી લેવાય છે. જે ટ્રકોમાં માંડ ૧૦ ભેંસ સમાય તેમાં ૩૦-૩૦ ભેંસો ઘૂસાડાય છે. જ્યારે તેમને કતલખાને લવાય છે ત્યારે અડધીના પગ તૂટી ગયા હોય છે તો ૨૫ ટકાના શિંગડા બીજી ભેંસના શરીરમાં ઘૂસેલા હોય છે
.


યોગી આદિત્યનાથ આમ તો વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે પરંતુ વિપક્ષમાં હોવું અને સત્તા પર હોવું એ બંનેનું અલગ વ્યક્તિત્વ યોગી ધરાવી શકે છે. સત્તા સંભાળવામાં અઠવાડીયા પછી તે ગુંડાઓની સાફ-સૂફીનું કામ હાથમાં લેવાના છે. સત્તાના બે દિવસ બાદ જ બગીચાઓની બહાર રખડતા રોમિયોને પકડવાની શરૃઆત થઇ ગઇ છે.

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઘણાં વચનો આપ્યા છે. રાહતની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે યોગીના શપથના ચોથા દિવસે રામ મંદિરનો વિવાદ બંને પક્ષે ભેગા મળીને સમાધાન કરે એવું સૂચવ્યું છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોઇ સમાધાનની પ્રક્રિયા શરૃ થશે અને તેમાં ભાજપનો હાથ ઉપર રહેશે.
યોગી આદિત્યનાથ સપનાં જોવામાં નથી માનતા, તે હકીકતમાં માને છે. એટલે જ તેમણે ખાતાની ફાળવણી અગાઉથી જ તૈયાર કરી નાખી હતી.





યોગી આદિત્યનાથ હાજર જવાબી છે પણ તે વિવાદને લાંબો નથી ચાલવા દેતા. તે એકશનમાં માને છે. એમ લાગે છે કે તેમના પગલાની અસર ઠેઠ પાકિસ્તાન સુધી વર્તાશે.યોગી આદિત્યનાથના ગામનું ઘર જુવો તો ખ્યાલ આવે કે આ માણસ બૉટમ લેવલેથી ટૉપ પર આવ્યો છે. તે કશાથી અંજાય એમ નથી. સોનામાં સુગંધ જેવી વાત તો એ છે કે કેન્દ્રમાં ભાજપની સરકારે તેમને ફ્રી-સ્ટાઇલ બેટિંગ કરવાની છૂટ આપી છે. કહે છે કે મોદી વડાપ્રધાન પદે હોવાના કારણે જે નથી કરી શકતા તે બધું યોગી આદિત્યનાથ પાસે કરાવશે..


ગુજરાત સમાચાર 22 માર્ચ 2017

उत्तर प्रदेश के बाद गुजरात को पूर्ण हिन्दू राज्य बनाना हे समय आ गया हे l
हिन्दू युवा वाहिनी में जुड़े और अपना हिंदुत्व को साबित करे तभी तो बनेगा हिन्दूराष्ट्र


हिन्दू युवा वाहिनी ने जुड़ ने के लिए ऑनलाइन फॉर्म के लिए यह लिंक का प्रयोग करे 




हिन्दू युवा वाहिनी गुजरात प्रदेश —
१२ /३ भक्तिनगर स्टेशन प्लाट
राजकोट (गुजरात)
+91 94093 45768

Sunday, 18 September 2016

राष्ट्रिय एवं क्रन्तिकारी संत पूज्य श्री ब्रह्मलीन महंत अवैद्यनाथ महाराज जी का जीवन परिचय

गोरक्षपीठाधीश्वर महंत अवैद्यनाथ का जीवन परिचय


गुरु का नाम- ब्रह्मलीन महन्त दिग्विजयनाथ जी महाराज
जन्म तिथि- 18 मई, 1917
जन्म स्थान- ग्राम-कांडी, जिला-गढ़वाल (उत्‍तराखंड)
पारिवारिक स्थिति- बाल ब्रह्मचारी
शिक्षा- शास्त्री संस्कृत (वाराणसी एवं हरिद्वार में अध्ययन)
कार्य क्षेत्र- हिंदू धर्म के प्रचार-प्रसार के लिए सतत् कार्यरत 
अनेक धार्मिक संगठनों से संबद्ध।
स्थाई पता- गोरक्षनाथ मंदिर, गोरखपुर- 273015 (उ.प्र.)

पूर्व सांसद और रामजन्म भूमि आन्दोलन के अग्रणी नेता रहे गोरक्षपीठ के ब्रह्मलीन पीठाधीश्वर महंत अवैद्यनाथ गोरखपुर राजनीति के कई बड़े दिग्गज इनका सम्मान करते थे, इनके पैर छूते थे। यही नहीं नरेंद्र मोदी भी इनके बहुत बड़े मुरीद थे।
उन्हें उनकी उत्साही देशभक्ति और समाज सेवा के प्रति प्रतिबद्धता के लिए याद किया जाएगा।' गोरखनाथ मंदिर परिसर स्थित ब्रह्मलीन गोरक्षपीठाधीश्वर महंत दिग्विजयनाथ की समाधि स्थल के बगल में ब्रह्मलीन हुए महंत अवैद्यनाथ को समाधि हैं।

हिमालय की पवित्र गोद में हुआ था अवैद्यनाथ जी का जन्म

इनका जन्म हिमालय की पवित्र गोद में स्थित पौढ़ी गढ़वाल जिले के कांडी प्रसिद्ध सूर्यवंशी क्षत्रियकुल में 18 मई 1917 को हुआ था। प्रारंभिक जीवन दिव्य संस्कारों और सहज आध्यात्मिक मनोवृत्तियों से हमेशा संपन्न रहा। इनके पिता रायसिंह बिष्ट ने अवैद्यनाथ जी के पालन-पोषण और शिक्षा-दीक्षा में बड़ी सतर्कता बरती। इनकी प्रारंभिक शिक्षा उच्चतर माध्यमिक श्रेणी तक ही हो पाई थी, तभी वाराणसी में निवास कर संस्कृत के अध्ययन में उन्होंने बड़ी तत्परता दिखाई। यहीं से उनके मन में योगी जीवन के प्रति श्रद्धा और आस्था बढ़ने लगी।

आध्यात्मिक जिज्ञासा शांति के लिए की ऋषिकेश की यात्रा

अवैद्यनाथ जी ने तरुणावस्था के आरंभ में ही आध्यात्मिक जिज्ञासा की शांति के लिए ऋषिकेश की यात्रा की। उन्होंने मानसरोवर, कैलाश, तिब्बत और उत्तराखंड के अनेक तीर्थस्थलों की यात्रा कर कई महात्माओं से सत्संग किया। पूर्व जन्म के संस्कारों के अनुरूप योगदर्शन और विशेतया नाथ सम्प्रदाय के सिद्धांतों के अनुशीलन में समय का सदुपयोग किया। 

महंत दिग्विजयनाथ जी को थी सद्शिष्य की खोज

जब अवैद्यनाथ जी भ्रमण कर ज्ञानार्जन कर रहे थे, उसी समय गोरक्षपीठ के महंत दिग्विजयनाथ जी को एक सद्शिष्य की खोज थी। दैवी प्रारब्ध के अनुरूप योगी शान्तिनाथ जी ने अवैद्यनाथ जी महराज को गोरखनाथ मंदिर की ओर आकृष्ट किया। वे उन्हीं के साथ गोरखनाथ मठ में उपस्थित हुए।

साल 1942 में अवैद्यनाथ जी को घोषित किया गया उत्तराधिकारी

महंत दिग्विजयनाथ ने अवैद्यनाथ जी को शिष्य के रूप में स्वीकार कर साल 1942 में 8 फरवरी को योग-दीक्षा प्रदान कर विधिवत अपना उत्तराधिकारी घोषित किया। उत्‍तराधिकारी बनने से पूर्व वो देश के राजनीतिक, सामाजिक और सांस्कृतिक जीवन में अपनी भूमिका निभाते हुए आधात्मिकता के पथ पर अडिग रहे। उन्‍होंने अपनी बढ़ती आयु और अस्वस्थता को देखते हुए 15 फरवरी 1994 को सद्शिष्य योगी आदित्यनाथ को गोरक्षपीठ का उत्तराधिकारी घोषित किया। तभी से महंत योगी अपने पिता बड़े महंत योगी अवैद्यनाथ जी की सेवा करने के साथ-साथ समाज सेवा और नाथ संप्रदाय के विश्व प्रसिद्द मंदिर गुरु गोरक्षनाथ की सेवा में तन-मन और धन से लगे हुए हैं।


महंत अवैद्यनाथ जी की राजनीतिक उपलब्धियां

साल 1970 से लेकर साल 1996 तक 
महंत अवैद्यनाथ लोकसभा सदस्‍य के रूप में भमिका निभाते रहे।

1970, गोरखपुर संसदीय क्षेत्र (निर्दलीय)
1989 - गोरखपुर संसदीय क्षेत्र (हिंदू महासभा)
1991 - गोरखपुर संसदीय क्षेत्र (बीजेपी)
1996 - गोरखपुर संसदीय क्षेत्र (बीजेपी)

विधानसभा सदस्य

1962 - मानीराम विधानसभा क्षेत्र (हिंदू महासभा)
1967 - मानीराम विधानसभा क्षेत्र (निर्दलीय)
1974 - मानीराम विधानसभा क्षेत्र (हिंदू महासभा)
1977 - मानीराम विधानसभा क्षेत्र (जनता पार्टी)

महंत अवैद्यनाथ जी की संसदीय जिम्मेदारियां

1971 - सदस्य, परामर्शदात्री समिति, गृह मंत्रालय (भारत सरकार)।
1989 - सदस्य, परामर्शदात्री समिति गृह मंत्रालय (भारत सरकार) ।
1993 - संसदीय प्रणाली व्यवस्था के लागू होने पर गृह मंत्रालय के सदस्य।

महत्वपूर्ण पदों पर भी रहे महंत अवैद्यनाथ जी

महंत अवैद्यनाथ आल इंडिया हिंदू महासभा के उपाध्‍यक्ष और एक्‍जीक्‍यूटिव पद पर रहे। इसके बाद आल इंडिया हिंदू महासभा के सदस्‍य और पूर्व महासिचव भी रह चुके हैं।

महंत अवैद्यनाथ के उत्तराधिकारी योगी आदित्यनाथ ने 1998 में सबसे कम उम्र का सांसद बनने का गौरव प्राप्त किया। योगी आदित्यनाथ ने 'हिन्दू युवा वाहिनी' का गठन किया जो हिन्दू युवाओं को धार्मिक बनाने के लिए प्रेरणा देती है। महंत अवैद्यनाथ का गोरखपुर और उसके आसपास के क्षेत्रों में काफी प्रभाव था। चार बार सांसद रहे अवैद्यनाथ ने 1998 में योगी आदित्यनाथ को अपना राजनीति वारिस बनाया था। योगी तभी से गोरखपुर का प्रतिनिधित्व करते आ रहे हैं।

इन धार्मिक पदों पर रहे महंत अवैद्यनाथ जी

गोरक्षपीठाधीश्वर- गोरक्षनाथ पीठ, गोरखपुर।
अध्यक्ष- श्रीराम जन्म भूमि मुक्ति यज्ञ समिति।
अध्यक्ष- अखिल भारत वर्षीय अवधूत भेष बारहपंथ-योगी महासभा, हरिद्वार।
अध्यक्ष- श्रीराम जन्म भूमि उच्चाधिकार समिति।
अध्यक्ष- गुरु गोरखनाथ सेवा संस्थान, गोरखनाथ (गोरखपुर)।
अध्यक्ष- श्रीराम जानकी मंदिर, झुंगिया बाजार, गोरखपुर।

इन कॉलेजों के अध्‍यक्ष रहे महंत अवैद्यनाथ जी रहे

महाराणा प्रताप स्नातकोत्तर, महाविद्यालय, जंगल धूसड़, गोरखपुर।
गोरक्षपीठाधीश्वर महंत अवैद्यनाथ महाविद्यालय, चौक, महराजगंज।
दिग्विजयनाथ एल.टी. प्रशिक्षण महाविद्यालय, गोरखपुर।
दिग्विजयनाथ इंटर कालेज, चौक बाजार, महाराजगंज।
महाराणा प्रताप कृषक इंटर कॉलेज, जंगल धूसड़, गोरखपुर।
दिग्विजयनाथ जूनियर हाई स्कूल, चौक माफी, पीपीगंज, गोरखपुर।
गोरखनाथ विद्यापीठ, पितेश्वरनाथ मंदिर, भरोहिया, पीपीगंज, गोरखपुर।
महाराणा प्रताप सीनियर सेकेंडरी स्कूल, मंगलादेवी मन्दिर, बेतियाहाता, गोरखपुर।
महंत दिग्विजयनाथ बालिका विद्यालय, चौक, महाराजगंज।
आदि शक्ति मां पाटेश्वरी पब्लिक स्कूल, देवीपाटन, तुलसीपुर, बलरामपुर।
योगिराज बाबा गंभीरनाथ सेवाश्रम समिति, जंगल घूसड़, गोरखपुर।
गुरू श्री गोरक्षनाथ स्कूल ऑफ नर्सिंग, गोरखनाथ, गोरखपुर।
गुरू गोरखनाथ संस्कृत विद्यालय, मैदागिन वाराणसी।

महंत अवैद्यनाथ जी इन कॉलेजों में रहे प्रबंधक

स्नातकोत्तर महाविद्यालय, गोरखपुर।
महाराणा प्रताप महिला महाविद्याल, रामदत्तपुर, गोरखपुर।
गोरक्षनाथ संस्कृत विद्यापीठ, गोरक्षनाथ, गोरखपुर।
महाराणा प्रताप इंटर कॉलेज, गोरखपुर।
गोरक्षनाथ उ.मा. विद्यालय,गोरखनाथ, गोरखपुर।
महाराणा प्रताप पूर्व माध्यमिक विद्यालय, रामदत्तपुर, गोरखपुर।
महाराणा प्रताप पूर्व माध्यमिक विद्यालय, लालडिग्गी, गोरखपुर।
महाराणा प्रताप शिशु शिक्षा विहार, रामदत्तपुर, गोरखपुर।
महाराणा प्रताप शिक्षा परिषद, गोरखपुर।

चिकित्सा के क्षेत्र महंत जी का योगदान

गुरू श्री गोरखनाथ चिकित्सालय, गोरखनाथ, गोरखपुर
महंत दिग्विजयनाथ आयुर्वेद चिकित्सालय, गोरखनाथ, गोरखपुर
श्री मां पाटेश्वरी सेवाश्रम चिकित्सालय, देवीपाटन, तुलसीपुर, बलरामपुर
गोरखनाथ इंस्‍टीट्यूट ऑफ मेडिकल साइंसेज, सोनबरसा, मानीराम, गोरखपुर

सामाजिक और सांस्कृतिक उपलब्धियां

श्रीराम जन्मभूमि मुक्ति आन्दोलन के प्राणेयताकार्य।
हरिजनों और निर्धनों का उत्थान, शैक्षणिक संस्थाओं की स्थापना करना।
हिंदूवाद को प्रोत्साहन देना, अस्पृश्यता के विरूद्ध सामुदायिक कार्यक्रम आयोजित करना।
साहित्यक, कलात्मक और वैज्ञानिक उपलब्धियां

विभिन्न मासिक पत्रिकाओं में योग और दर्शन पर लेख प्रकाशित।
प्रबंध संपादक- मासिक पत्रिका 'योगवाणी।'

महंत जी की विशेष अभिरुचि

योग, धार्मिक, सांस्कृतिक, दार्शनिक और ऐतिहासिक साहित्य का अध्ययन करना और धार्मिक स्थलों की यात्रा करना।

योग के क्षेत्र में महंत जी का योगदान

अध्यक्ष- महायोगी गुरू गोरखनाथ योग संस्थान, गोरखनाथ, गोरखपुर।




Monday, 11 July 2016

જોગીના યોગ

યોગને ત્રણ રીતે જોઈ શકાય. આધુનિક રીતે યોગને હોલિસ્ટિક થેરપી તરીકે જોઇ શકાય. બધા પ્રકારના શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવી થેરપી. બીજી રીત ઉપનિષદની છે, જેનું વિગતે વર્ણન ભગવદ ગીતામાં છે. અહીં યોગને બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સાક્ષાત્કારના માધ્યમ તરીકે જોવામાં આવ્યો છે. ત્રીજી રીત છે સિદ્ધ યોગ, જેના દ્વારા અસહજ શક્તિઓ પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રીજી રીત વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં પરંપરાથી યોગની આ ત્રીજી રીત જ સૌથી વધારે પ્રચલિત હતી.

જોગી એટલે હરતોફરતો સાધુ, ત્યાગી, સિદ્ધ, બાબા અને જાદુગર – બધું એકમાં જ આવી જાય. બ્રહ્મચર્યને કારણે તેને જાદુઇ તાકાત પ્રાપ્ત થયેલી ગણાતી અને ઇન્દ્રીયો પર તેનો કાબૂ ગણાતો. તેને સિદ્ધ જોગી કહેવામાં આવતો હતો. તેની પાસે વસ્તુઓનો આકાર બદલી નાખવાની, હવામાં ઉડવાની, પાણી પર ચાલવાની, હવામાંથી ભોજન પેદા કરવાની, પશુ-પક્ષીઓને કાબુ કરવાની, માંદાને સાજા કરવાની, સાપના ઝેરમાંથી બચાવવાની, વાંઝિયાને ઘરે પારણું બંધાવી આપવાની, ધરતીને ફળદ્રુપ કરી દેવાની, દેવ ને દાનવને હાજરાહજૂર કરી દેવાની અને મૃતકને જીવતા કરી દેવાની શક્તિ હોવાનું મનાતું. સિદ્ધ જોગી વાઘ, મોર કે બળદ પર બેસીને ફરતો હોય કે પછી શીખર પર ચઢીને સમાધીમાં બેઠો હોય કે ગુફામાં ધ્યાનમાં બેઠો હોય.
આજે આવી શક્તિની કોઈ જોગી વાત કરે તો તેને તાંત્રિક ગણવામાં આવે છે. આ તો સારો શબ્દ થયો. કેટલાક તો તેને ધૂતારો જ કહે. આમ છતાં લોકો આવા સિદ્ધ જોગીઓની શોધમાં બાવાની મઢીમાં અને આશ્રમોમાં ફરતા રહે છે, જાદુઇ રાખ શોધવા માટે ભટકતા રહે છે.
યોગ અને તંત્ર વચ્ચે ઘણી સમાનતા છે. તે બંને પુરુષ અને પ્રકૃત્તિ ભિન્ન છે તેમ માને છે. યોગમાં પ્રકૃત્તિને જડ માનવામાં આવે છે, જ્યારે તંત્રમાં પ્રકૃત્તિ ચેતન-સજીવ મનાય છે. પ્રકૃત્તિ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે. તેથી જ તેને શક્તિ કહેવામાં આવે છે, એટલે કે એક દેવી. જ્યારે યોગમાં તેને માયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી મુક્ત થવાનું હોય છે. તંત્રનો ઉપાસક કુદરત પર અને કુદરતી આવેગો પર કાબૂ કરવા માગે છે, જ્યારે યોગનો ઉપસાક કુદરતના બંધન અને આવેગોમાંથી મુક્ત થવાની એષણા રાખે છે. તેથી જ તાંત્રિક એક જાદુગર જેવો ગણાય છે, જ્યારે યોગીને આધ્યાત્મિક પુરુષ કે સાધક ગણવામાં આવે છે. જોકે આ બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.
તંત્ર અને યોગના રહસ્યો લોકો જાણી શક્યા તે માટે ગોરખનાથને જશ મળે છે. ગોરખનાથની પહેલા આ બધી જાણકારી ખાનગી જ રહેતી હતી. ફક્ત નાથ પંથીઓમાં ગુરુ દ્વારા શિષ્યોને જ આ રહસ્યો કહેવાતા હતા. નાથ પંથ વિશે હજી પણ રહસ્યો રહેલા છે, કેમ કે નાથ પંથીઓ હજીય મૌખિક પરંપરામાં માને છે એટલે તેમના વિશે જે કંઈ જાણકારી છે તે દંતકથાઓમાં જ છે.
નાથ સંપ્રદાયના સાધુઓ આજે પણ કાનમાં મોટો છેદ કરીને કુંડળ પહેરે છે. તેથી જ તેમને કાનફટા જોગીઓ કહેવાય છે. ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને કમર પર ઉનની દોરી બાંધી હોય છે. હાથમાં બાજુ પર અને પગમાં પણ રુદ્રાક્ષની માળા વીંટાળેલી હોય. ભભૂત ચોળી હોય અને હાથમાં ત્રિશૂળ હોય. ચીમટો, ચલમ અને લોટો પણ હાથમાં જ હોય. બ્રહ્મચર્ય પાળનારા આ નાથ બાવાઓ એક જગ્યાએ લાંબો સમય રહે નહીં. યોગ દંડ બેસતી વખતે અને સૂતી વખતે કામમાં આવે. લોટાનો ઉપયોગ ભીક્ષા લેવા માટે અને સ્નાન બંને માટે થાય. ચલમમાં ગાંજો ભરીને પીવામાં આવે. ત્રીશૂળનો ઉપયોગ ધૂણીને ધખતી રાખવા માટે પણ થાય અને તેનાથી જ રાખ ચૂલામાંથી બહાર કાઢી શકાય. મૃત્યુ પછી નાથ બાવાને બેઠા હોય તેવી સ્થિતિમાં જ સમાધી આપવામાં આવે છે.
અલખ નિરંજન એવો પોકાર નાથ બાવાની ઓળખ છે. અલખ નિરંજન એટલે કોઈ લક્ષ વિનાનો, લક્ષણ વિનાનો કે કોઈ જાતના ડાઘ વિનાનો મનુષ્ય. અથવા તો કહો કે નિરાકાર ઇશ્વર. સંસારને તુચ્છ દૃષ્ટિથી જોનારા નાથ પંથમાં ઇશ્વરને કોઈ આકારમાં બાંધી દેવાતો નથી. તેથી જ મંદિરોની વિધિઓ, સાકાર ઇશ્વર, ખાણીપીણીના નિષેધ અને જ્ઞાતિ વ્યવસ્થામાં બંધાયેલા વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયના હિન્દુઓ નાથ પંથીઓને શંકાની નજરથી જોતા હોય છે.
કેટલાક નાથ જોગીઓને ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગલાદેશના મુસ્લિમોમાં પણ પીર તરીકે માનવામાં આવે છે. સ્થાનિક લોકો માટે પીરની દરગાહ એટલે આસ્થાનું સ્થાનક. સંસારની પીડાઓમાંથી મુક્તિની પ્રાર્થના લઇને સૌ કોઈ પીરની દરગાહે આવે.
– દેવદત્ત પટ્ટનાયક (ચિત્રલેખા)

Wednesday, 6 July 2016

દરેક ડેડીએ વાંચવા જેવો એક પિતાએ શિક્ષકને લખેલો પત્ર...

આજથી લગભગ ૧૬૦ વર્ષ અગાઉ એક પિતાએ પોતાના વહાલસોયા નાનકડા દીકરાની શાળાના શિક્ષકને પત્ર લખી તેને ચારિત્ર્યવાન વ્યક્તિ બનાવવાની તાલીમ આપવાની વિનંતી કરી હતી. મોડર્ન ડેડી-મોમને પોતાના દીકરા- દીકરીની શાળાના શિક્ષકને મળવાનીય ફુરસદ નથી. એવું નથી કે આજના માતા-પિતા તેમના પ્રોફેશનમાં નોકરીમાં કે બિઝનેસમાં અતિશય વ્યસ્ત થઇ ગયા છે. મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા માટે, હિલ સ્ટેશને આઉટિંગ માટે, બેડમિન્ટન કે ગોલ્ફ રમવા માટે કે મિત્રો સાથે પાર્ટી માટે તેઓ ગમે તે રીતે સમય કાઢી શકે છે.

૧૬૦ વર્ષ અગાઉ એક એવા પિતા થઇ ગયા કે જે પોતાના લાડકા દીકરાને કોઇ મોટો ડોક્ટર કે એન્જિનિયર બનાવવાની મહેચ્છા રાખવાના બદલે એ બાળક મોટું થઇને, એક સર્વાંગ સંપૂર્ણ સજ્જન માનવી બને તેવી ઇચ્છા રાખતા હતા, અને એટલે જ તેમના દીકરાને જ્યારે શાળામાં મુકવાનો વખત થયો ત્યારે તેના શિક્ષકને જે પત્ર પાઠવ્યો હતો તે આજે ૧૬૦ વર્ષે પણ એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું એ પત્રનું તે સમયમાં મહત્વ હતું. વાસ્તવમાં એ સમય કરતાં આજે આ પત્રની પ્રસ્તુતતા અને અગત્યતા અનેકગણી વધી ગઇ છે.
એ દીર્ઘદ્રષ્ટા અને આદર્શવાદી પિતા હતા, અબ્રાહમ લિંકન- અમેરિકાના ૧૬માં પ્રમુખ અને અત્યંત વિચારવંત સુધારાવાદી રાજપુરૃષ.આ વિશ્વ વિખ્યાત વિભૂતિ પોતાના પુત્રને મોટો નેતા કે નામાંકિત ડોકટર કે બિઝનેસમેન નહી, પણ એક સારો માણસ બનાવવાની મહેચ્છા રાખતા હતા.

જે પુસ્તકનો સારાંશ બાળઉછેરના અગાઉના ત્રણેક લેખમાં અપાયો, તે  ‘52 brilliant ideas' પુસ્તકમાં આ પત્રની વાત નથી, પરંતુ આ પત્રનું લખાણ એટલું હૃદયસ્પર્શી અને આદર્શમય છે કે પોતાના બાળકનો સર્વાંગી વિકાસ ઝંખતા દરેક ડેડીએ આ પત્ર વાંચવો અતિ આવશ્યક છે, એટલે જ પ્રસ્તુત પુસ્તકમાં આ પત્રની વાતનો ઉલ્લેખ ન હોવા છતાં પત્રનો મહત્વનો સારાંશ આ લેખમાં સમાવાયો છે.
અબ્રાહમ લિંકને તેમના નાનકડા દીકરાના શાળા પ્રવેશના પહેલા જ દિવસે તેના શિક્ષકને લખેલો પત્ર બાળક ઉછેરમાં ખાસ કાળજી રાખતા દરેક માતાપિતાએ વાંચવા જેવો છે. ૧૬૦ વર્ષ અગાઉ લખાયેલા એ પત્રના કેટલાક અંશ...

''મારા પુત્ર માટે શાળા પ્રવેશનો આજે પહેલો દિવસ છે. થોડો વખત તેને બધું અજાણ્યુ અને નવુ નવુ લાગશે. હું આશા રાખું છુ કે તમે સાલસ અને સૌમ્યરીતે એને બધુ શીખવશો.
દુનિયામાં બધાજ માણસો ન્યાયપ્રિય કે સત્યવાદી નથી હોતા, એ વાત તો મારો દિકરો મોટો થશે એટલે સમજશે જ. પણ તમે એને એ શીખવજો કે દુનિયામાં દુર્જનોની સાથોસાથ ઉમદા માણસો પણ હોય છે. દુષ્ટ રાજકારણીઓની સાથો સાથ એટલી જ સંખ્યામાં નિષ્ઠાવાન નેતાઓ પણ હોય છે. તમે અંતે ખાસ એ પણ શીખવજો કે દુનિયામાં દુશ્મનો હોય છે, પણ સાથોસાથ દોસ્તો પણ ઓછા નથી હોતા.
મને ખબર છે કે આ બધું શિખવવામાં સમય લાગશે, પરંતુ તમે એને શીખવી શકો તો એ ખાસ શીખવજો કે મફતના એક ડોલર કરતાં મહેનતનો એક સેન્ટ (પૈસો) વધુ કિંમતી છે. એને પરાજય પચાવવાનું અને જીત માણવાનું શીખવજો. ઇર્ષાથી તેને શક્ય તેટલો દુર રાખજો.

શાળામાં એને શીખવજો કે છેતરપિંડીથી કે ચોરી કરીને પાસ થવા કરતાં નપાસ થવું વધુ ગૌરવપ્રદ છે. દુઃખમાં શી રીતે હસતા રહેવું એ તેને શીખવજો.જ્યારે બીજા બધા જ ટોળાને અનુસરતા હોય ત્યારે મારા દીકરાને, બને તો ટોળાને નહી અનુસરવાની શીખામણ અને તાકાત આપજો.
સૌની વાત સાંભળવાનું એને શીખવજો, પણ સાંભળેલી વાતોમાંથી સત્યના ગળણે ગાળેલી વાતો જ તેના મનમાં ઉતારે એવું ખાસ શીખવજો.
જ્યારે બીજા બધા જ કહે કે તારા આઇડિયા ખોટા છે, તેવા સંજોગોમાં તેને ખુદના આઇડિયામાં શ્રધ્ધા રાખવાનું શીખવજો. સજ્જનોની સાથે સૌમ્ય પરંતુ દુર્જન સાથે કડક રહેવાનું તેને શીખવજો.
તેને હંમેશા ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાનું શીખવજો, પોતાની જાતમાં પણ શ્રધ્ધા રાખવાનું તેને શીખવજો કારણ ઇશ્વરમાં અને પોતાની જાતમાં એ શ્રધ્ધા રાખવાનું શીખશે તો સદાય માનવજાતમાં તેને શ્રધ્ધા રહેશે.
આ પત્રમાં અબ્રાહમ લિંકને  પોતાના દીકરાના શિક્ષકને અત્યંત વિનમ્રતાથી લખેલી વાતોનો સારાંશ કેવળ એટલો જ છે કે તમે મારા પુત્રને એવી તાલીમ આપજો, એવું શિક્ષણ આપજો કે મોટો થઇને તે એક સાચુકલો ઇન્સાન બને, એક આદર્શ આદમી બને અને તેની જીવન સફર એવી રીતે પરિપૂર્ણ કરે કે તેના જીવતરની મહેંક ચોતરફ ફેલાઇ જાય.

તમારા લાડકવાયામાં બાળપણથી જ સંસ્કારોનું સિંચન કરવા માટે તમે અબ્રાહમ લિંકનની જેમ જાગૃત રહેજો. ગુજરાતીમાં સરસ કહેવત છે ઃ કુમળો છોડ વાળીએ તેમ વળે. કહેવતનો મતલબ એ છે કે બાળકોને શરૃઆતથી જ શિસ્ત અને સંયમ, આદર અને વિવેક, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો, સત્ય અને સાદગીના સંસ્કારોના બીજ રોપશો તો બાળક જેમ મોટું થતું જશે, તેમ તેનામાં આ સંસ્કારો વધુને વધુ દ્રઢ થતા જશે.
દરેક માતા પિતા તેમના બાળકને સૌથી વધુ સુખ મળે એવી અપેક્ષા રાખતા હોય છે. તેને સારામાં સારી સ્કુલ, સારામાં સારા કપડા, અને રમકડાં, સારૃં ભોજન અને અન્ય સારી સગવડો આપવા માટે વાલીઓ પ્રયાસ કરતાં રહે છે. પણ પોતાના બાળકો પ્રત્યેનો કોઇ વાલીનો પ્રેમ શું એટલી હદે રેલાયો કે તેમણે અબ્રાહમ લિંકનની જેમ બાળકના શિક્ષકનો સંપર્ક કરી તેને આદર્શ મનુષ્ય બનવાની તાલીમ આપવાનું સૂચન કર્યું હોય....! એક પિતા તરીકે તમે ક્યારેય તમારા લાડકા સંતાનના શિક્ષક પાસે આવી માંગણી મુકી છે ખરી ?

અગાઉના સમયમાં તરતના જન્મેલા શિશુને ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ નાની ચમચીથી પીવડાવાતું હતું. આજે પણ કદાચ ઘણાં પરિવારોમાં આ પરંપરા ચાલુ હશે. નવજાત શિશુને અપાતા આ મિશ્રણને માટે ગુજરાતીમાં શબ્દ છે : ગળથૂથી.
તમારા સંતાનને 'ગળથૂથી'થી જ એવી માવજત કરો કે તેનામાં સહજતાથી જ સારા મૂલ્યોનું સિંચન થતું રહે. બાળ ઉછેરમાં એક ખાસ મુદ્દો ફરી દોહરાવું છું કે ઘરમાં ડેડી- મોમનું આચરણ જ એવું હોવું જોઇએ કે બાળકનું આપોઆપ જ  આદર્શ ઘડતર થાય.
તમે ઘરમાં ઘાંટા પાડીને બોલો, ફોન પર વાત કરતી વખતે અસભ્ય ભાષા પ્રયોગ કરો, જુઠું બોલો, કે પડોશી સાથે સારી રીતે ન વર્તો, ઘેર આવેલા મિત્રો સાથે છળકપટની કે ભ્રષ્ટ રીતરસમની વાતો કરો તો, ભલે બાળકને બધી સમજ ન પડે, પણ જાણે અજાણ્યે એના માનસપટમાં આ બધુ અંકિત થતું રહે છે. અંગ્રેજીમાં એક સચોટ કથન છે કે, 'પ્રેકટીસ ઇઝ બેટર ધેન પ્રિચીંગ, સલાહ- શિખામણ કરતાં જાતે અમલમાં મુકવું બહેતર છે.

બાળ કેળવણી ક્ષેત્રે જેમનું પ્રદાન મોટું છે અને 'બાળકોની મુછાળી મા'ના હુલામણા નામથી જાણીતા ગિજુભાઈ બધેકાએ અત્યંત વેધક અને ચોટદાર રીતે લખ્યું છે કે યુવાન લોકો કોઈપણ તૈયારી વિના મા-બાપ બની બેસે છે. પરિણામે તેમના કુમળા ફૂલને જતનથી સાચવવાનું અને સંભાળવાનું તેમનામાં આવશ્યક જ્ઞાાન નથી હોતું. બાળકને બુદ્ધિના વિષયો શીખવીએ તે પહેલાં હૃદયના વિષયો શીખવવા જોઈએ. બાળકનું હૃદય સારી રીતે વિકસ્યું હશે તો તેની બુદ્ધિ તેને સારા માર્ગે જ લઈ જશે.

યુવાન-યુવતીઓ એક વાત તેમના મનમાં ભારપૂર્વક યાદ રાખે કે મા-બાપ થવું સહેલું નથી..

તમારો લાડકવાયો તમારા ભવિષ્યનો આધારસ્તંભ છે. તેના ઘડતરમાં જરાય કચાશ ન રાખશો. તેની બાહ્ય જરૃરિયાતોની સાથો સાથ તેની આંતરિક જરૃરિયાતોનો પણ ખાસ ખ્યાલ રાખજો. બાળ માનસને સલુકાઇથી અને નજાકતથી કેળવજો. તમારા ઉજળા ભવિષ્ય માટે અને તમારી પાછલી જિંદગીની સાચી શાંતિ માટે જ નહી પણ તમારે સમાજને એક આદર્શ નાગરિક આપવાનો છે, એવી ઉચ્ચ ભાવનાથી બાળ ઉછેરનું પરમ કર્તવ્ય બજાવશો એવી અભ્યર્થના.....

વિનોદ ડી. ભટ્ટ