Monday, 31 July 2017

મેલેરિયા નાબૂદી ...

મચ્છરજન્ય રોગચાળો ફરી એકવાર લોકોને ભરડામાં લઈ રહ્યો છે.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ ત્રણેય મચ્છરો દ્વારા સંક્રમિત થતા રોગ છે. દર વર્ષે વિશ્વમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓના કારણે ૧૦ લાખ લોકોનાં મોત નીપજે છે. ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકો મચ્છરજન્ય બીમારીઓના ભોગ બને છે. વિશ્વમાં દર વર્ષે ૩૦ થી ૩૫ કરોડ લોકો મચ્છરજન્ય રોગોની લપેટમાં આવી જાય છે. ભારતમાં ૨૦૧૫માં ૨૪ હજાર લોકોના મચ્છરજન્ય રોગોનાં કારણે મોત નીપજ્યાં હતાં.




દુનિયાભરમાં ૩૫૦૦ જેટલી મચ્છરોની પ્રજાતિઓ જોવા મળી છે, પરંતુ તેમાંથી કરડવાવાળી પ્રજાતિઓ ૧૦૦ની આસપાસ છે. મચ્છરો કરડવાથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓનો ધંધો રૃા.૨૦૦૦ કરોડથી યે વધુનો છે

દેશમાં પ્રતિવર્ષ લાખ્ખો માણસો મેલેરિયાથી મોતને ભેટે છે. મેલેરિયા નાબૂદીનો કાર્યક્રમ વર્ષોથી ચાલે છે પરંતુ આ દેશનું પ્રશાસન મેલેરિયા ફેલાવતા મચ્છરો પર વિજય મેળવી શક્તું નથી.

 ભારતથી ટેકનોલોજી અને બીજી અનેક બાબતોમાં પછાત ગણાતા ભારતના જ પાડોશી દેશ શ્રીલંકાએ મેલેરિયા સામેનું યુદ્ધ જીતી લીધું છે. ગયા વર્ષે તા.૫મી સપ્ટેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રિજીયોનલ કમિટી સમક્ષ શ્રીલંકાને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. આ કમિટીની બેઠક કોલંબો ખાતે યોજાઈ હતી. શ્રીલંકા માટે આ સિદ્ધિ એક સીમા ચિહન છે.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં માલદીવ પછી મેલેરિયા નાબૂદ કરનાર આ બીજો દેશ છે. હવે ભારત જેવા ન્યુક્લિયર રાષ્ટ્રએ મેલેરિયા કેવી રીતે ખતમ કરવો તે શીખવા શ્રીલંકા કે માલદીવ્સ જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

મેલેરિયા સામેની લડાઈ લડવામાં શ્રીલંકાને વર્ષો લાગ્યાં છે. વર્ષો પહેલાં ભારતમાં ગામડે ગામડે ડીડીટી છાંટવામાં આવતું હતું. શ્રીલંકામાં પણ છેક ૧૯૪૦થી બ્રિટિશ શાસન દરમિયાન ડીડીટીનો છંટકાવ શરૂ થયો હતો. આમ તો પિૃમના દેશોએ છેક ૧૯૩૦ થી મેલેરિયા નાબૂદ કરવા ડીડીટીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

અલબત્ત, શ્રીલંકા આ કામ કરી શક્યું તો ભારત કેમ નહીં ?

(રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ)

No comments:

Post a Comment