૨૦૦૬માં હૈદરાબાદના ‘પ્રવાસ દિવસ’ કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના તૈ વખતના મુખ્યમંત્રી અને આ આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મારો રોચક સામનો થયો. મોદીજી ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત કરવાની વાત કરતા હતા, ત્યારે મારી સાથે બેઠેલા મિત્ર કે જેઓ પ્રથમ ભારતીય છે કે જેમણે હિલ્ટન હોટેલ, લોસ એન્જલસ ખરીદી હતી. તૈઓ ઊભા થયા અને બોલ્યા : નરેન્દ્રભાઈ! તમારાથી વિનીત નારાયણ ખુશ નથી. મોદીજી એક પળ માટે રોકાયા ત્યારે ચંદુભાઈએ વાત પૂરી કરી, કારણ કે તૈમને તૈમનાં રાજ્યમાં કોઈ કૌભાંડ-કાંડ મળતું નહોતું. આ વાત પર મોદીજી મુક્તમને હસ્યા તૈ પૂર્વે મારો મોદીજી સાથે કોઈ પૂર્વ પરિચય નહોતો.

મને આૃર્ય થયું કે મોદીજીએ તુરત જ ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. તૈમણે કહેલું કે, વિનીતભાઈ નારાયણ ભારતના મોટા પત્રકાર છે તૈમને ભ્રષ્ટાચારની જડમાં જઈ છાશ નાખવાની મજા આવે છે મારું તૈમને નિમંત્રણ છે. તૈઓ ગુજરાત આવી મારા કાંડ-કૌભાંડો શોધી કાઢે. આ વાત પર હું ઊભો થયો અને બોલ્યો કે હું જ વિનીત નારાયણ છું પણ હવે હું ગોટાળા-કાંડની પાછળ નથી પડતો. હવે તૈ ભગવાન શ્રી રાધા-કૃષ્ણની લીલાભૂમિ વ્રજને સજાવવામાં વ્યસ્ત છું. અમારા ઠાકોરજી વ્રજ છોડી દ્વારકા જઈ વસ્યા હતા. તૈથી તમે બધા ‘જય શ્રીકૃષ્ણ’ કહો છો. જૂના જમાનામાં અનેક રાજા-મહારાજા વ્રજમાં આવી કુંડ ઘાટ બનાવતા હતા. તમે આજે ગુજરાતના રાજા છો. કહેવત છે કે દુનિયાના ગુરુ સંન્યાસી, સંન્યાસીઓના ગુરુ વ્રજવાસી. હું વ્રજવાસી છું તૈથી આશીર્વાદ આપું છું કે તમે ભારતના વડા પ્રધાન બનશો અને વ્રજની જાહોજલાલી માટે અમને મદદ કરશો. આ સાંભળી નરેન્દ્રભાઈ મોદી ભાવુક થઈ ગયા અને બોલ્યા, જ્યારે હું દિલ્હી ભાજપ મથકે હતો ત્યારે મારા મનમાં ગોવર્ધનની પરિક્રમા સજાવવાની પ્રબળ ઇચ્છા હતી. હું કંઈ કરી શકું તૈ પહેલાં મને ગુજરાત મોકલી આપવામાં આવ્યો. વિનીતભાઈ! તમે ગુજરાત આવો, અમે તમને સંપૂર્ણ સહયોગ આપીશું.
૨૦૧૪માં હું જ્યારે નરેન્દ્રભાઈ મોદીને વ્રજના વિકાસની પોતાના પાવર પોઇન્ટની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે તૈમને મેં વ્રજ ફાઉન્ડેશન નિષ્ણાતોની ટીમ દ્વારા ગોવર્ધનનાં સૌંદર્યીકરણ માટે તૈયાર કરવામાં આવેલી પરિકલ્પનાની પણ રજૂઆત કરી હતી. તૈમણે ખૂબ પ્રશંસા કરી હતી.
આજે ગોવર્ધનના વિકાસનાં નામે જે કંઈ રજૂ થાય છે તૈની વિગત અખબારોમાંથી જાણે દરેક કૃષ્ણભક્ત અને ગોવર્ધનપ્રેમી ખૂબ જ વિચલિત છે. ગોવર્ધનનો વિકાસ અમૃતસરની તરાહ પર શક્ય નથી, કારણ કે સુવર્ણ મંદિર શહેર વચ્ચે એક શહરીકૃત તીર્થસ્થળ છે, જ્યારે કે ગોવર્ધનનો અર્થ છે-ગાયોનું સંવર્ધન કરનાર પર્વત, જ્યાં ગાયો સ્વચ્છંદતાથી ચરતી હોય. ગોવર્ધન મહાત્મ્યના તમામ ગ્રંથોમાં રસિક સંતોને ગોવર્ધનનાં નૈર્સિગક સૌંદર્યનું દિવ્ય વર્ણન કર્યું છે. જેથી જાણવા મળે છે કે, અહીં સઘન વૃક્ષાવલી તૈમજ ફળોથી લદાયેલાં વૃક્ષો ચારેય બાજુ દૂધ જેવાં જણાતા જળપ્રપાત અને સ્વચ્છ જળથી ભરેલાં સરોવરોની ભરમાર હતી અને તૈ જ આ સ્થળની શોભા હતી.
ગોવર્ધનની તળેટીની રજમાં આળોટી સંત ભજનાનંદી અને પરિક્રમાર્થી સ્વયંને ધન્ય માનતા હતા. કળિયુગની અસરથી ગોવર્ધનનાં આ સ્વરૂપનો ઝડપથી વિનાશ કરવામાં આવ્યો. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં કેટલાંક વૃક્ષોનું રોપણ કરાવેલું, ત્યાર બાદ કોઈ મોટા તો શું નાનાં રાજનેતાને ગોવર્ધનનાં માહાત્મ્યને જાણવા અને ગિરિરાજ મહારાજની યોગ્ય સેવા કરવાનો કોઈ ગંભીર પ્રયાસ નથી કર્યો.
૨૦૦૪માં હું જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના પ્રયાસથી મને ગોવર્ધન દાનઘાટી મંદિરનો માનદ રિસીવર બનાવાયો ત્યારથી મેં સ્થાનિક નિષ્ણાતો અને જિલ્લા વહીવટીતંત્રની સાથે નિયમિત વિચાર-વિમર્શ કરી ગોવર્ધનની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ દેશ-વિદેશમાં સ્થિત અને ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતા આર્િકટેક્ટની મદદથી ગોવર્ધનનાં સૌંદર્યીકરણ અને યાત્રીઓ માટે અદ્યતન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એક વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી. આ તૈયારીમાં ૫ વર્ષ લાગ્યાં. જોનારા તૈને જોતા જ રહે છે. આ યોજના ૨૦૦૮માં અમે ઉ.પ્ર. પ્રવાસન વિભાગને સત્તાવાર રીતૈ સોંપી. અમારી ચિંતાનો વિષય એ છે કે, ગોવર્ધનની મૂળ ભાવનાને સમજ્યા વિના ગોવર્ધનના વિકાસના જે સ્વરૂપની વાત આજ થઈ રહી છે તૈનાથી ગોવર્ધનનું સ્વરૂપ બગડશે, બનશે નહીં. તૈના પર ધ્યાન આપવું જોઈએ અને હૈદરાબાદમાં કરવામાં આવેલો વાયદો નિભાવવો જોઈએ. જેથી ગોવર્ધન ગિરિરાજ મહારાજની એવી સેવા હોય કે સંત, ભક્ત અને વ્રજવાસી જયજયકાર કરે.
આધુનિક વ્યવસ્થાથી અમને વાંધો નથી સમયની સાથે પરિસ્થિતિઓ બદલાય છે, તૈથી બંને વિચારધારા વચ્ચે સંઘર્ષ ન હોય અને સૌહાર્દપૂર્ણ સામંજસ્ય હોય તો વાત બને. અમે અમારી વાત વડા પ્રધાન, મુખ્યમંત્રી તૈમજ ઉચ્ચ અમલદારો સમક્ષ રજૂ કરી છે કે ગોવર્ધનનો વિનાશ રોકો.
સંદેશ: -વિનીત નારાયણ(વિચાર સેતુ)
No comments:
Post a Comment