દેશને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, એટલે કે ૭૦ વર્ષ પૂર્વે ચેન્નાઈના ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકાવવામાં આવેલો ૧૨ બાય ૮ ફિટના આ ત્રિરંગો ધ્વજ માટે હવાચૂસ્ત શોકેસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સહિસલામત જાળવી રખાયો છે.
આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે.
માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે.
૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે.
આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.
આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે.
માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે.
૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે.
આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.
No comments:
Post a Comment