Friday, 22 May 2015

'અજોડ દેશભક્ત વિર ભામાશા "


ભારત દેશના ઈતિહાસમા ભામાશા નામે એક અજોડ દેશભક્ત થયા કે જેમણે મોગલ સામ્રાજ્યને અળખામણા થઈને પણ દેશભક્તિ દાખવી. મહારાણા પ્રતાપને આટલી બધી તન, મન ધનથી મદદ કરવી જેવી તેવી વાત નથી. આવો દાખલો ઇતિહાસમાં બીજો જડતો નથી કાવડિયા ગોત્રના ઓસ્વાલ જૈન સમાજના વણિક ભારમલના પુત્ર ભામાશાની આ વાત છે. વણિક હોવા છતાં ભારમલ એ રણથંભોરના કિલ્લેદાર હતા. શૌર્ય અને સખાવત તેમના રક્તમાં હતાં. દેશભક્તિ સાથે સાથે ઔદાર્યની એક અપ્રતિમ મિશાલ છોડી ગયા.
હલ્દીઘાટીના મોગલ સમ્રાટ અકબર સામેના યુદ્ધમાં હારી ગયા પછી મહારાણા પ્રતાપ પાસે સૈન્ય જમાવવા માટે કશું જ રહ્યું ન હતું તેવી અણીની ઘડીએ આ શેઠ મદદે આવે છે. તે રાણા પ્રતાપના મુખ્ય પ્રધાન પણ હોય છે. પોતાની તમામ સંપત્તિ રાણાને ચરણે ધરી દે છે અનેે કહે છે, આ બધું બીજે ક્યાં કામે લાગવાનું છે. તે વખતના ૧૦૦ કરોડ રૂપિયા જેટલું ધન રાણાને ખૂબ જ કામ આવે છે. રાણા ભારતના ઇતિહાસમાં પહેલી વાર એક અદ્ભુત કામ કરે છે.
ભીલો અને આદિવાસીઓને શસ્ત્રો આપીને તેમને ક્ષત્રિયો બનાવી, સૈન્ય તૈયાર કરે છે અને આવું સૈન્ય મોગલ સેનાને ટક્કર આપે છે. મોગલ સામ્રાજ્યને અળખામણા થઈને પણ દેશભક્તિ દાખવી. મહારાણા પ્રતાપને આટલી બધી તન, મન ધનથી મદદ કરવી જેવી તેવી વાત નથી. આવો દાખલો ઇતિહાસમાં બીજો જડતો નથી. ભામાશા ૧૫૪૨માં જન્મેલા. તેમના પિતા ભારમલને રાણા સાંગાએ રણથંભોરના કિલ્લેદાર તરીકે નીમેલા. જે પછીથી રાણા ઉદયસિંહના મહામંત્રી બનેલા. ભામાશા પણ પોતાની આવડતથી એક મહાન યોદ્ધા અને મેવાડના મહાઅમાત્ય બનેલા. તેઓ અને તેમના નાના ભાઈ તારકચંદ બંનેએ મેવાડ માટે અનેક લડાઈઓ લડી. બંને ભાઈઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયીઓ હોવા છતાં પોતાની મુત્સદ્દીગીરી, દેશભક્તિ અને ઉદારતા માટે પ્રખ્યાત હતા.
ભામાશા રણનીતિ અને યુદ્ધ કૌશલ્ય ધરાવતા હોવાથી મોગલોના સૈન્યોની ટુકડીઓ પર છાપા મારી તેમને લૂંટી લેતા અને અઢળક માલ મેળવી રાણા પ્રતાપને મદદ કરતા. ભામાશા મહાઅમાત્ય બને છે અને તારકચંદ્રને ગોડવાડના ગવર્નર બનાવે છે. જે હોદ્દો મૃત્યુપર્યંત સારી રીતે જાળવી રાખે છે. આ કામ માટે તેમને ઠાકુરની પદવી આપવામાં આવે છે. આ બંધુઓ ઘણાં જૈન મંદિરો બનાવે છે. દેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરો આમાંનાં છે. ભામાશા ૧૬૦૦ની સાલમાં મૃત્યુ પામ્યા ત્યારે તેઓ મેવાડના ખજાનચી હતા. જ્યારે અમરસિહ મહારાણા હતા. ભામાશાના વંશજો પણ ઉદયપુરના પેઢીઓ સુધી મહાઅમાત્યો રહ્યા. આજે પણ તેમના વંશજો ઉદયપુરમાં છે.
સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

No comments:

Post a Comment