Sunday, 31 May 2015

31 મે વર્લ્ડ નો-ટબૅકો ડે

World No-Tobacco Day: વર્ષો જુની તમાકુની લત છોડાવશે, 10 શ્રેષ્ઠ ટિપ્સ


31 મેના દિવસે સમગ્ર દુનિયામાં તમાકુનાં દૂષણો વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ નો-ટબૅકો ડે મનાવવામાં આવે છે. તમાકુનાં ઉત્પાદન અને વપરાશ બન્નેમાં ભારત વર્ષોથી ઘણું આગળ રહ્યું છે જેનું પ્રમાણ છે કે આપણે ત્યાં દર વર્ષે દસ લાખ લોકો તમાકુને કારણે મૃત્યુ પામી રહ્યા છે.
તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે. પરંતુ શું તમે જાણો છો કે અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલ્દીથી વ્યસનમુક્ત થઇ શકતો નથી. આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર જેથી આજે અમે તમાકુના સેવનથી થતાં રોગો, તમાકુને છોડવા માટેના સરળ 10 રસ્તા અને તમાકુ છોડવાથી થતાં ફાયદાઓ વિશે તમને જણાવીશું.

World No-Tobacco Day: વર્ષો જુની તમાકુની લત છોડાવશે, 10 શ્રેષ્ઠ ટિપ્સ

તમાકુ છોડવાનાં સરળ પગથિયા
 
- તમાકુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો.
 
- ફરીથી તમાકુ ખાવાનું મન ન થાય એ માટે એની કોઇ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો - એશટ્રે - થૂંકદાની વગેરેને તિલાંજલિ આપી દો.
 
- પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે.
 
- કસરત કરો - ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.
- હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઇ જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હૂંફ તમને કામ આવશે. તમારી સમસ્યા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો...
 
- રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.
 
- એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે. 
- બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.
 
- બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે.
 
- એક તમાકુમુક્ત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુક્ત ગયો એનો આનંદ થવો જોઇએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.

તમાકુ છોડવાના ફાયદાઓ
 
- તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.
 
- મોંની ખરાબ એશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.
 
- આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.
 
- તમાકુ છોડયા પછી એક જ વરસમાં હ્રદયરોગ થવાની શકયતા અડધી થઇ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હ્રદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આવવાની શકયતા ઘણી ઘટી જાય છે. દસ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શકયતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઇ જાય છે.
 
- આર્થિક ફાયદાઓ - બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચાઓ ઘટે.
 
- સામાજિક ફાયદાઓ - સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
World No-Tobacco Day: વર્ષો જુની તમાકુની લત છોડાવશે, 10 શ્રેષ્ઠ ટિપ્સ

તમાકુથી ઉદભવતા રોગો
 
કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર.
 
શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.
 
હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.
 
પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન.
 
ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.
 
પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.


Thursday, 28 May 2015

गंगा पर अध्ययन को बनेगा इको सेंटर और म्यूजियम

Image Loading
पटना के गंगा घाट पर घूमने आनेवाले पर्यटकों को गंगा का महत्व बताया जाएगा। खासकर बच्चों को गंगा के ऐतिहासिक, धार्मिक और सामाजिक महत्व की जानकारी दी जाएगी। इसके लिए कलेक्ट्रेट घाट और गायघाट में इको सेंटर और गंगा म्यूजियम का निर्माण किया जाएगा। इन केंद्रों पर गंगा के परिवेश में होनेवाले पर्यावरणीय परिवर्तन व डॉल्फिन पर भी अध्ययन होगा। दोनों केंद्रों के रखरखाव के लिए एक समिति भी बनाई जाएगी जिसमें विशेषज्ञों के अलावा प्रशासनिक अधिकारी भी होंगे।

रिवर डेवलपमेंट योजना के तहत होगा काम
इको सेंटर के लिए जमीन मिल गई है। डिजाइन तैयार हो रहा है। गंगा म्यूजियम के लिए गायघाट के पास जमीन की तलाश है। दोनों प्रोजेक्ट 2016 तक पूरे होंगे। रिवर डेवलपमेंट प्रोजेक्ट के तहत गंगा घाटों का विकास किया जा रहा है। केंद्र ने इसके लिए 254 करोड़ रुपए का फंड दिया है। घाटों के विकास की जिम्मेवारी बुडको को सौंपी गई है।

बच्चे जानेंगे गंगाजल की महत्ता
दोनों सेंटरों के मार्फत बच्चों को बताया जाएगा कि गंगा जल क्यों महत्वपूर्ण है। क्यों सदियों से गंगा जल को शुद्ध माना जाता रहा है। बच्चों को पौराणिक मान्यताओं से लेकर अब तक गंगा के विकास की कहानी बताई जाएगी। गंगा कहां-कहां से बहती है। कौन-कौन से महत्वपूर्ण शहर इसके तट पर बसे हैं। इसकी भी जानकारी दी जाएगी।

ऐसे समझें प्रोजेक्ट
रिवर डेवलपमेंट प्रोजेक्ट के तहत दोनों प्रोजेक्ट पर होगा काम
बुडको इको सेंटर व गंगा म्यूजियम बनाएगा
गंगा म्यूजियम के लिए गायघाट के पास जमीन की तलाश
इको सेंटर के लिए कलेक्ट्रेट घाट के पास मिली जमीन


गंगा म्यूजियम
गंगा म्यूजियम गायघाट के नजदीक बनाया जाएगा
अभी इसके लिए जमीन की तलाश की जा रही
बिहार ज्यूडिशियल एकेडमी के आसपास जमीन उपलब्ध कराने की हो रही बात
यहां 950 वर्गमीटर में बिल्डिंग बनायी जाएगी
ग्राउंड फ्लोर पर होगा रिसर्च सेंटर 
डॉल्फिन व गंगा पर रिसर्च कार्य होगा
प्रथम तल पर प्रदर्शनी हॉल होगा


ऐसा होगा इको सेंटर
कलेक्ट्रेट घाट पर करीब 2100 वर्गमीटर जमीन उपलब्ध कराई गई
कागजी प्रक्रिया पूरी, डिजाइन तैयार किया जा रहा
तीन मंजिला भवन बनेगा जिसके ग्राउंड फ्लोर पर रिसर्च सेंटर होगा
प्रथम तल पर मीटिंग हॉल और द्वितीय तल पर कैफे सेंटर होगा
कैफे सेंटर पर्यटकों और यहां अध्ययन करने आने वाले लोगों के लिए होगा
सेंटर पर गंगा को लेकर अब तक हुए शोध की पूरी जानकारी मिलेगी

Friday, 22 May 2015

'અજોડ દેશભક્ત વિર ભામાશા "


ભારત દેશના ઈતિહાસમા ભામાશા નામે એક અજોડ દેશભક્ત થયા કે જેમણે મોગલ સામ્રાજ્યને અળખામણા થઈને પણ દેશભક્તિ દાખવી. મહારાણા પ્રતાપને આટલી બધી તન, મન ધનથી મદદ કરવી જેવી તેવી વાત નથી. આવો દાખલો ઇતિહાસમાં બીજો જડતો નથી કાવડિયા ગોત્રના ઓસ્વાલ જૈન સમાજના વણિક ભારમલના પુત્ર ભામાશાની આ વાત છે. વણિક હોવા છતાં ભારમલ એ રણથંભોરના કિલ્લેદાર હતા. શૌર્ય અને સખાવત તેમના રક્તમાં હતાં. દેશભક્તિ સાથે સાથે ઔદાર્યની એક અપ્રતિમ મિશાલ છોડી ગયા.
હલ્દીઘાટીના મોગલ સમ્રાટ અકબર સામેના યુદ્ધમાં હારી ગયા પછી મહારાણા પ્રતાપ પાસે સૈન્ય જમાવવા માટે કશું જ રહ્યું ન હતું તેવી અણીની ઘડીએ આ શેઠ મદદે આવે છે. તે રાણા પ્રતાપના મુખ્ય પ્રધાન પણ હોય છે. પોતાની તમામ સંપત્તિ રાણાને ચરણે ધરી દે છે અનેે કહે છે, આ બધું બીજે ક્યાં કામે લાગવાનું છે. તે વખતના ૧૦૦ કરોડ રૂપિયા જેટલું ધન રાણાને ખૂબ જ કામ આવે છે. રાણા ભારતના ઇતિહાસમાં પહેલી વાર એક અદ્ભુત કામ કરે છે.
ભીલો અને આદિવાસીઓને શસ્ત્રો આપીને તેમને ક્ષત્રિયો બનાવી, સૈન્ય તૈયાર કરે છે અને આવું સૈન્ય મોગલ સેનાને ટક્કર આપે છે. મોગલ સામ્રાજ્યને અળખામણા થઈને પણ દેશભક્તિ દાખવી. મહારાણા પ્રતાપને આટલી બધી તન, મન ધનથી મદદ કરવી જેવી તેવી વાત નથી. આવો દાખલો ઇતિહાસમાં બીજો જડતો નથી. ભામાશા ૧૫૪૨માં જન્મેલા. તેમના પિતા ભારમલને રાણા સાંગાએ રણથંભોરના કિલ્લેદાર તરીકે નીમેલા. જે પછીથી રાણા ઉદયસિંહના મહામંત્રી બનેલા. ભામાશા પણ પોતાની આવડતથી એક મહાન યોદ્ધા અને મેવાડના મહાઅમાત્ય બનેલા. તેઓ અને તેમના નાના ભાઈ તારકચંદ બંનેએ મેવાડ માટે અનેક લડાઈઓ લડી. બંને ભાઈઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયીઓ હોવા છતાં પોતાની મુત્સદ્દીગીરી, દેશભક્તિ અને ઉદારતા માટે પ્રખ્યાત હતા.
ભામાશા રણનીતિ અને યુદ્ધ કૌશલ્ય ધરાવતા હોવાથી મોગલોના સૈન્યોની ટુકડીઓ પર છાપા મારી તેમને લૂંટી લેતા અને અઢળક માલ મેળવી રાણા પ્રતાપને મદદ કરતા. ભામાશા મહાઅમાત્ય બને છે અને તારકચંદ્રને ગોડવાડના ગવર્નર બનાવે છે. જે હોદ્દો મૃત્યુપર્યંત સારી રીતે જાળવી રાખે છે. આ કામ માટે તેમને ઠાકુરની પદવી આપવામાં આવે છે. આ બંધુઓ ઘણાં જૈન મંદિરો બનાવે છે. દેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરો આમાંનાં છે. ભામાશા ૧૬૦૦ની સાલમાં મૃત્યુ પામ્યા ત્યારે તેઓ મેવાડના ખજાનચી હતા. જ્યારે અમરસિહ મહારાણા હતા. ભામાશાના વંશજો પણ ઉદયપુરના પેઢીઓ સુધી મહાઅમાત્યો રહ્યા. આજે પણ તેમના વંશજો ઉદયપુરમાં છે.
સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

Tuesday, 19 May 2015

શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જીલ્લો બનાસકાંઠા)

સંત શ્રી દતશરણાનંદજી મહારાજ (ગૌધામ - પથમેડા), પ્રેરિત માંદી, લુલી - લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગૌશાળા તથા ગૌ હોસ્‍પિટલ શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જીલ્લો બનાસકાંઠા) એ માંદી ગાયોની સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્‍પિટલ તથા ગૌશાળા છે. જયાં હાલ લગભગ ૮૦૦૦ જેટલી ગાયોની સારવાર તથા નિભાવ થઈ રહ્યો છે. શ્રી જલારામ ગૌશાળા ભાભર પૂણ્‍યની પરબડી છે અહીં માતાઓની દેવભાવથી સેવા, સુશ્રુષા, બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળાની સ્‍થાપના આજથી ૩૫ વર્ષ પહેલા એકલ - દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ શરૂઆતથી ગૌ સેવકોનો એક જ ભાવ રહેલ કે આવેલ ગાય દુઃખી ના થવી જોઈએ અને આવેલ ફંડનો માત્ર ગૌસેવાના કાર્યમાં જ ઉપયોગ થવો જોઈએ.
   ગૌશાળાને વર્તમાન યુગનો ચમત્‍કાર એટલે કહેવુ પડે છે કે આજ સુધી ટ્રસ્‍ટીઓની  કોઈ વિધિસરની મીટીંગ મળી નથી અને આ ગૌશાળામાં કયારેય નાણાની ઘટ નથી પડી કે નથી થયો વધારો. જોઈએ એટલુ જ જલાબાપા આપી દે છે. કયારેય ફિકસ ડિપોઝીટ મૂકવાનો પ્રસંગ નથી આવ્‍યો કે નથી વ્‍યાજ મેળવવાનો પ્રસંગ આવ્‍યો.
   શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં ૬ એકર ભૂમિમાં ગૌ હોસ્‍પિટલ બનાવવામાં આવેલ છે. ૨૦ એમ્‍બ્‍યુલન્‍સો દ્વારા લગભગ ૨૫૦ કિ. મી. સુધીથી રોજેરોજ ૨૦ થી ૨૫ માંદી ગાયોને લાવવામાં આવે છે. ૩૫ ડોકટરો અને (એલ. આઈ.) નો સ્‍ટાફ ઓપરેશનો તથા પાટાપીંડી કરી ગાયોને સાજી કરે છે. ગાયોના કેન્‍સર વોર્ડ, આહ (મૂત્રાશયનો ભાગ બહાર નીકળી જવો) વોર્ડ, ફેકચર વોર્ડ, સીઝેરીયન વોર્ડ, સુરદાસ વોર્ડ, આઈ. સી. યુ. યુનિટ, બર્ન વોર્ડ, કીડની વોર્ડ અને વૃદ્ધાશ્રમ વોર્ડ જેવા અલગ અલગ વોર્ડમાં ગાયોને રાખીને સારવાર કરવામાં આવે છે. ફેકચરનો ભોગ બનેલ ગાયો માટે એકસ-રે મશીનની સુવિધાનો ઉપયોગ થાય છે. એસીડથી દાઝેલી ગાયો માટે (એસી) વોર્ડની સગવડ છે. રોજેરોજ જે ગાયો આવે છે તેમાંથી સરેરાશ ૩ થી ૪ ગાયોનું મરણ થાય છે.
   કુલ ૨૫૦ વ્‍યકિતઓના વેતનીક સ્‍ટાફ ગાયોની સારસંભાળમાં રોકાયેલા છે. પ્રતિદિન સરેરાશ રૂ. ૨,૫૦,૦૦૦ ના ખર્ચ સામે ટ્રસ્‍ટીઓ માત્ર ઉતરાયણ ઉપર એક વખત ફાળો ઉઘરાવે છે.
   ગુજરાતના અલગ અલગ શહેરોમાં ૬૦૦૦ જેટલા દાનપાત્રો મૂકેલ છે. જેમાંથી ૬૦ થી ૭૦ હજાર જેટલી રકમ રોજ એકઠી થાય છે. અમદાવાદ ખાતે ગૌશાળાની ઓફીસ છે જયાં ૨૦ વ્‍યકિતઓનો સ્‍ટાફ કાર્યરત છે અને એમ્‍બ્‍યુલન્‍સ માંદી ગાયોને લઈ જવા અમદાવાદ ખાતે જ રહે છે.
   ૩ એકર જગ્‍યામાં સંવર્ધન કેન્‍દ્ર બનાવેલ છે. જયાં સારી ઓલાદની તૈયાર થયેલ ગાયોને સારા સારા ખેડૂતોને ટોકન રાશી સામે આપવામાં આવે છે.
   ગૌશાળામાં માત્ર બિમાર અશકત, વૃદ્ધ ન વિયાઈ શકે તેવી જ ગાયોનો નિભાવ થાય છે. આવા ગૌવંશના નિભાવ હેતુ ગુજરાતની સૌથી આધુનિક ૧૮૦ વિઘામાં પથરાયેલ શ્રી હરીધામ ગૌશાળાનું નિર્માણ કરેલ છે.
   અહિ સરસ મજાના હવા ઉજાસ વાળા શેડો, સરોવર, ઘાસ ગોડાઉનો, ગોવાળધરો અને ઓફીસનું નિર્માણ કરેલ છે. પ્રાતઃ સ્‍મરણીય સંત શ્રી હરીરામ બાપાના આર્શીવાદથી આ ગૌશાળાની સ્‍થાપના કરવામાં આવેલ છે. ગાયોને આપવાનો તમામ ઘાસચારો કટર મશીનથી કાપીને આપવામાં આવે છે. માંદી ગાયોને ખોરાકમાં કપાસખોળ, ટોપરા, ખોળ, બાજરીના રોટલા વગેરે રોજેરોજ સ્‍વયંસેવકો દ્વારા જાતે બેસીને ખવડાવવામાં આવે છે.
   ઉત્તર ગુજરાતના લગભગ દરેક શહેરમાં ગૌ એમ્‍બ્‍યુલન્‍સોની સુવિધા ચાલુ કરાવેલ છે. મા વિનાના નાના - નાના વાછરડાઓને નાના બાળકોની જેમ ટોટીથી દૂધ પીવડાવવામાં આવે છે. શ્રી જલારામ ગૌશાળામાં ગૌસેવા ઉપરાંત માનવ સેવા, ઘાયલ પશુ - પક્ષીઓની સેવા, કીડીઓને કીડીયારૂ વગેરે જીવદયાના કાર્યો થાય છે. મંદબુદ્ધિ, અપંગ, પાગલ, વિધવા, નિરાધાર એવા ૨૩૬ પરીવારોને દર મહિને જીવનનિર્વાહ કીટનું વિતરણ કરવામાં આવે છે.
   ઉતરાયણ ઉપર અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવારનું સુંદર કાર્ય અમદાવાદ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે. સાજા થયા પછી જે પક્ષીઓ ઉડી ના શકે તેવા હોય તે તમામ પક્ષીઓને આજીવન અહીં શ્રી હરીધામ ગૌશાળાના વિશાળ મોર ઘરમાં આશ્રય આપવામાં આવે છે. ૧૫ લાખના ખર્ચે વિશાળ મોરઘરનું નિર્માણ કરવામાં આવેલ છે. ગાયોને પીવાના પાણી માટે વિશાળ સરોવરનું નિર્માણ કરેલ છે. લગભગ ૨૦૦૦ વૃક્ષોથી લહેરાતી આ વિશાળ ગૌશાળાએ જલાબાપાનો વર્તમાનયુગનો ચમત્‍કાર જ સમજો. અહીં નથી કયારેય નાણાના અભાવે કોઈ ગાય ભુખી રહી કે નથી કયારેય ફીકસ ડિપોઝીટો બનાવીએ એટલુ વધારે નાણા આવ્‍યા. જેટલી જરૂર એટલુ શ્રી જલારામ બાપા આપ્‍યે રાખે છે. તેમ આજે અકિલાને આંગણે આવેલા ટ્રસ્‍ટીઓ જણાવે છે. શ્રી હરીધામ જાણે સાક્ષાત પરમપીતા શ્રી ગોપાલ કૃષ્‍ણ જ આ વિશાળ ગૌશાળા ચલાવી રહ્યા હોય તેવુ લાગે છે. ભગવાન શ્રી કૃષ્‍ણે ગાયોની સેવા કરી જગતને રાહ ચીંધ્‍યો, ગાંધી બાપુએ કહ્યું છે કે જયા સુધી ગાય હશે ત્‍યાં સુધી હિન્‍દુ ધર્મ રહેશે. આચાર્ય રજનીશે કહ્યું છે કે વિશ્વનું છેલ્લામાં છેલ્લું પ્રાણી ગાય હશે. આવો ગૌ રૂપી ખજાનો આજે વિનાશને આરે ઉભો છે. તેને  બચાવવા ગામે ગામ જાગૃતિ આવી રહી છે.
   શ્રી હરિરામબાપાની પ્રેરણા તથા તેમના પુનિત આશીર્વાદથી શ્રી હરીધામ ગૌશાળાના કાર્યનો શુભારંભ કરેલ. ગૌસેવા, માનવસેવા, પશુપંખીઓની સેવા અને કીડી જેવા નાના જંતુઓની સેવાનું લક્ષ્ય રાખી શ્રી હરીધામનું નિર્માણ કાર્ય આરંભેલ. પરમાત્‍માની કૃપાથી ૧૮૦ વ્‍દ્યિા જમીન ખરીદી ત્‍યાં ગાયો માટે હવા ઉજાસવાળા શેડો, ઘાસ ગોડાઉન, ગૌશાળા કવાર્ટર, પાણીની વિશાળ ટાંકી, સરોવર, પક્ષીઘર તથા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ વિગેરેનું નિર્માણ કરેલ છે.
   શ્રી હરિધામ ગૌશાળામાં ૧૧૦૦૦ ગાયો માટેનાં આવાસ (શેડો) ગાર્ડન, ઉપેક્ષિત વડીલો માટે ‘‘વકિલનું વૈકુંઠ'' વૃધ્‍ધાશ્રમ, નિરાધાર બાળાઓ તથા માનસિક અસ્‍થીર મહિલાઓ માટે આશ્રમ શાળા, પંચગવ્‍ય આધારીત ઔષધાલય (દવાખાનું) સહ પશુ નિરીક્ષક (એલ.આઇ.) કોલેજની સ્‍થાપના આવા અનેક શુભકાર્યો કરવાના સંકલ્‍પો હોવાનું ભાલીરની ગૌશાળાના ટ્રસ્‍ટીશ્રીઓએ જણાવેલ.
   આવનારા વર્ષોમાં ૧૧૦૦૦ ગાયોના રહેઠાણો, ચરીયાણ, ઉભા કરવાનું વિરાટ કાર્ય ચાલુ છે. શ્રી જલારામ ગૌશાળા એક એવી ગૌશાળા બનવા જઇ રહી છે જ્‍યાં માનવ સેવા, પશુ પંખીઓની સેવા, જીવજંતુઓની સેવાની સરીતા ખળખળ વહી રહી છે, પુણ્‍યશાળીઓને આચમન લેવા તથા સહ પરિવાર પધારવા હૃદયપૂર્વકનું ભાવભીનું નિમંત્રણ અપાયું સંચાલક મંડળ તરફથી છે.
   સેવાની સરીતા ખળખળ વહી રહી છે. તેનાં ન્‍હાઇ પુણ્‍યકમાવા હૃદયપૂર્વક આમંત્રણ છે. અહિં હજારો મુંગા જીવો આપની કરૂણાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. શ્રી જલારામ ગોશાળા પરીવાર (ભાભર, જિલ્લાઃ બનાસકાંઠા)ના ગૌસેવકો લીલાધરભાઇ ઠક્કર (મો.૯૮૨૪૦ ૩૧૧૦૧), પ્રતાપભાઇ ઠક્કર (મો.૯૭૧૪૭ ૩૪૦૦૦), મહેશભાઇ ઠક્કર (મો.૯૭૧૪૭ ૩૧૦૦૦), (ટ્રસ્‍ટીઓ), તથા વિશાલભાઇ ઠક્કર,
દાનપેટી અવશ્‍ય મૂકાવો

   જલારામ ગૌશાળાનુ રોજનું ખર્ચ રૂ. અઢી લાખ જેટલું થઇ જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય આ મહેવતને સાચી ઠેરવે એવી વાત છે. જલારામ ગૌશાળાની દાનપેટીઓ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મુકી છે. લોકો રોજગારના સ્‍થળે અથવા ઘરમાં પૂજાના સ્‍થળે દાનપેટી રાખી ૫ રૂપીયા, ૧૦ રૂપીયા દાનપેટીમાં મુકી ગૌદાન આપે છે. આમ આ નાની નાની દાનની સરવાણી સરિતા બની માતબર આવક દાનપેટીના માધ્‍યમથી થઇ છે. આગ્રહભરી વિનંતી છે કે, આપને ત્‍યાં તથા આપના મિત્ર વર્તુળ-સગાસંબંધીઓના ધંધાના સ્‍થળે આજે જ દાનપેટી મુકાવી આંગળી ચીંધ્‍યાનું પુણ્‍ય મેળવો

આપનું દાન... અમારૂં જીવન...

આપનો જન્‍મદિન અમારો અભયદિન બનાવો.
આપના લગ્નોત્‍સવને અમારો જીવનોત્‍સવ બનાવો.
સ્‍વજનના મૃત્‍યુનો શોક ગૌદાનથી હળવો બનાવો.
ધાર્મિક મહોત્‍સવને જીવદયાનો પણ મહોત્‍સવ બનાવો.
આપની માંદગીમાં પશુઓને શાતા આપી પુણ્‍યનું ઉપાર્જના કરો અને સાજા થાઓ.
અબોલ જીવો આપના પ્રત્‍યે આશાભરી મીટ માંડીને બેઠા છે.
આપ તેમના તારણહાર બની શકો છો.

ગૌમાતા માટે આપણે શું કરવું જોઇએ?


   ગૌસેવા માટે પ્રત્‍યેક કુટુંબે ૧ ગાયના નિભાવ જેટલી રકમ દૈનિક ૩૦ રૂ.ના ગુણાંકમાં નજીકની ગૌશાળામાં જમા કરાવવી જોઇએ, દરેક વેપારીએ તેની વાર્ષિક આવકના ઓછામાંઓછા ૧૦ ટકા ગૌદાન માટે વાપરવા જોઇએ, ગૌ માતાના દૂધ- દહિં, ઘીના તેમજ ગૌમૂત્રની દવાઓનો ઉપયોગ કરવો તેમજ પ્રચાર- પ્રસાર કરવો જોઇએ, પૂજ્‍ય કથાકાર સંતોએ કથામાં ગૌ દાન પાત્ર મુકવા, ગૌ મહીમા તથા ગૌ દાન વિશે ઉપદેશ આપવા અમારી પ્રાર્થના છે. જન્‍મદિવસ, લગ્નતિથિ, શ્રદ્ધા, સ્‍વજનોની પૂણ્‍યતિથિ કે અન્‍ય સારા- માઠા પ્રસંગોએ ગૌશાળામાં જઇ ગૌ પૂજન કરી ગૌ દાન કરવું, આપણા ધંધા રોજગારના સ્‍થળે તથા ઘરે ગૌદાન પેટી મુકવાનો સંકલ્‍પ કરો.

हम अरुणा को न्याय दिलाने में क्यों नाकाम रहे ?

दिसंबर 2012 में एक मेडकिल छात्रा की मौत जघन्य सामूहिक बलात्कार के बाद हुई. इस घटना पर हमने पूरे देश को उबलते हुए देखा.
हमने दोषियों पर कार्रवाई की मांग की. इस घटना के असर से कानून को बदलते देखा, किशोर अपराधियों की सजा पर भी बहस हुई. इससे यही जाहिर हुआ कि हम न्याय चाहते हैं और हम न्याय होते हुए देखना भी चाहते हैं.
नवंबर, 1973 में मुंबई के केईएम अस्पताल की नर्स अरुणा शानबाग के साथ अस्पताल के ही एक वॉर्ड ब्वॉय ने अप्राकृतिक बलात्कार किया. इसके बाद उसने कुत्ते को बांधने वाली जंजीर से अरुणा का गला घोंटा और मरा हुआ समझकर छोड़ गया.
दूसरे लोगों को अरुणा का पता 11 घंटे बाद चला तब तक उसके शरीर से काफी खून निकल चुका था और वह लकवाग्रस्त हो चुकी थीं. कुछ साल बाद उन्हें ब्रेन डेड घोषित कर दिया गया, लेकिन वो जीवित लाश की तरह बनी रहीं.

लूटपाट का आरोप लगा

अरुणा के साथ जब ये हादसा हुआ तब उनकी उम्र महज 26 साल थी. इस हादसे के 42 साल बाद 18 मई, 2015 को उनकी मौत हुई.
अरुणा शानबाग के साथ जघन्य अपराध को अंजाम देने वाले पर कभी बलात्कार का आरोप नहीं लगा. उस पर केवल लूटपाट और हत्या की कोशिश के आरोप लगे.


अरुणा को न्याय नहीं मिला. उसके परिवार वालों ने उसे नहीं अपनाया लेकिन उसके साथ अस्पताल में काम करने वाली नर्सों ने उसे अस्पताल में रखा और बाद की नर्सों ने ही उनकी देखभाल की जिम्मेदारी कुशलता पूर्वक निभाई.
हादसे के वक्त लोगों ने गुस्सा जताया था और विरोध प्रदर्शन भी किया था, लेकिन क्या हम अरुणा को न्याय दिला पाए?
महिलाओं के साथ होने वाले अपराध के मामलों में वैसे भी ढिलाई देखने को मिलती है. 'चार दशक पहले तो महिलाओं को काफी कुछ झेलना पड़ता' - ऐसी राय रखने वाले कई लोग मिल जाएंगे.
बलात्कार हमारे पापुलर सिनेमा में मनोरंजन के रूप में दिखाया जाता रहा है और न्यायिक व्यवस्था भी अभियुक्त के बदले पीड़िता के व्यवहार में ख़ामियां निकालती रही है.

न्याय दिलाने की कोशिश

दिसंबर, 2012 के मामले में सभी दोषियों को गिरफ्तार किया गया और पीड़िता को न्याय देने की कोशिश की गई, वहीं अरुणा पर हमला करने वाले को लूटपाट के लिए सात साल क़ैद की सजा मिली और वह रिहा होने के बाद अपना जीवन जीने के लिए स्वतंत्रत था.


दरअसल उसे उसके असली गुनाह की सजा नहीं मिली. ये किसी महिला के लिए भयवाह अनुभव है कि उस पर हमला करने वाला आजाद है और फिर से किसी महिला पर हमने करने के लिए खुला घूम रहा है.
हालांकि अरुणा के मामले में इच्छामृत्युकी मांग भी हुई. ये मांग अच्छी नीयत से की गई थी, लेकिन इसने न्याय और बलात्कार के मसले को ढक दिया. चाहे वह पुरुष का हो या फिर महिला का, शारीरिक और यौन उत्पीड़न हर हाल में भारी अपराध है.
2012 की घटना ने बलात्कार को लेकर हमारी सोच को बदला. हम ये मानने को मज़बूर हुए कि बलात्कार को लेकर हमारी सोच पुराने ढर्रे वाली थी, पीछे ले जाने वाली थी.

सोच पर सवाल



2012 के मामले में भी कई राजनेताओं और सामाजिक नेताओं ने पीड़िता पर रात में निकलने का दोष मढ़ा था. लोगो ने ये भी कहा था कि उसने हद से बाहर निकलने की कीमत चुकाई.
पिछले कुछ सालों में हम लोगों ने ये भी सुना है कि चाउमिन खाने, जींस पहनने और मोबाइल फोन के इस्तेमाल से यौन उत्पीड़न के मामले बढ़े हैं.
लोगों ने इन तर्कों को सही ठहराने की कोशिश भी की. हालांकि राहत की बात ये है कि ऐसे कथनों को खुले तौर पर ख़तरनाक, हास्यास्पद और बकवास ठहराया जाता रहा है.
अरुणा की मौत और उसका जीवन, दोनों ही हमें याद दिलाते रहेंगे कि लिंग और यौन उत्पीड़न को लेकर हमारी सोच कितनी ग़लत है.
बलात्कारी अगर पीड़िता के साथ शादी करने को तैयार हो तो उसे माफ़ी देने की राय रखने वाला प्रत्येक जज, महिलाओं के रात में घर से बाहर निकलने पर सवाल पूछने वाले इंवेस्टीगेटर, महिलाओं की स्कर्ट की लंबाई पूछने वाले हर वकील, ये सब के सब अपने मुवक्किल के आपराधिक व्यवहार को सही साबित करने की कोशिश करते हैं.


ये सब उदाहरण हमें अरुणा के जीवन और उसकी मौत की भयावह याद दिलाएंगे.
दर्पण में ये हमारा बदसूरत चेहरा है और हमें इसे पहचानना भी चाहिए और स्वीकार भी करना चाहिए.

GAUMATA - RASTRAMATA

VANDE GAUMATRAM


Gaumata Rashtramata Abhiyan