Monday, 31 July 2017

મેલેરિયા નાબૂદી ...

મચ્છરજન્ય રોગચાળો ફરી એકવાર લોકોને ભરડામાં લઈ રહ્યો છે.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ ત્રણેય મચ્છરો દ્વારા સંક્રમિત થતા રોગ છે. દર વર્ષે વિશ્વમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓના કારણે ૧૦ લાખ લોકોનાં મોત નીપજે છે. ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકો મચ્છરજન્ય બીમારીઓના ભોગ બને છે. વિશ્વમાં દર વર્ષે ૩૦ થી ૩૫ કરોડ લોકો મચ્છરજન્ય રોગોની લપેટમાં આવી જાય છે. ભારતમાં ૨૦૧૫માં ૨૪ હજાર લોકોના મચ્છરજન્ય રોગોનાં કારણે મોત નીપજ્યાં હતાં.




દુનિયાભરમાં ૩૫૦૦ જેટલી મચ્છરોની પ્રજાતિઓ જોવા મળી છે, પરંતુ તેમાંથી કરડવાવાળી પ્રજાતિઓ ૧૦૦ની આસપાસ છે. મચ્છરો કરડવાથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓનો ધંધો રૃા.૨૦૦૦ કરોડથી યે વધુનો છે

દેશમાં પ્રતિવર્ષ લાખ્ખો માણસો મેલેરિયાથી મોતને ભેટે છે. મેલેરિયા નાબૂદીનો કાર્યક્રમ વર્ષોથી ચાલે છે પરંતુ આ દેશનું પ્રશાસન મેલેરિયા ફેલાવતા મચ્છરો પર વિજય મેળવી શક્તું નથી.

 ભારતથી ટેકનોલોજી અને બીજી અનેક બાબતોમાં પછાત ગણાતા ભારતના જ પાડોશી દેશ શ્રીલંકાએ મેલેરિયા સામેનું યુદ્ધ જીતી લીધું છે. ગયા વર્ષે તા.૫મી સપ્ટેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રિજીયોનલ કમિટી સમક્ષ શ્રીલંકાને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. આ કમિટીની બેઠક કોલંબો ખાતે યોજાઈ હતી. શ્રીલંકા માટે આ સિદ્ધિ એક સીમા ચિહન છે.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં માલદીવ પછી મેલેરિયા નાબૂદ કરનાર આ બીજો દેશ છે. હવે ભારત જેવા ન્યુક્લિયર રાષ્ટ્રએ મેલેરિયા કેવી રીતે ખતમ કરવો તે શીખવા શ્રીલંકા કે માલદીવ્સ જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

મેલેરિયા સામેની લડાઈ લડવામાં શ્રીલંકાને વર્ષો લાગ્યાં છે. વર્ષો પહેલાં ભારતમાં ગામડે ગામડે ડીડીટી છાંટવામાં આવતું હતું. શ્રીલંકામાં પણ છેક ૧૯૪૦થી બ્રિટિશ શાસન દરમિયાન ડીડીટીનો છંટકાવ શરૂ થયો હતો. આમ તો પિૃમના દેશોએ છેક ૧૯૩૦ થી મેલેરિયા નાબૂદ કરવા ડીડીટીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

અલબત્ત, શ્રીલંકા આ કામ કરી શક્યું તો ભારત કેમ નહીં ?

(રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ)

Sunday, 30 July 2017

પ્લાસ્ટિકનો આતંક અને આપણી આત્મઘાતી બેફિકરાઈ

ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઉભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજૂ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું ?

a3


છેલ્લાં કેટલાંક વર્ષથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો વિકાસ થવાથી તેના કચરાનો પણ પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે. જેને ઈ-વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વાયર-સોકેટ-પ્લગ – કમ્પ્યુટર્સની સીડી તેમ જ મોબાઈલ ફોનના હાર્ડવેર-અંદરના પાટર્સ અને એવી તે ઘણી બાબત છે જેનો ઉપયોગ થયા બાદ તે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ધીમે 

ધીમે પ્રશ્ર્ન એ ઊભા થવા લાગ્યા છે કે આવા કચરાનો નિકાલ કઈ રીતે લાવવો? કારણ કે સમગ્ર દેશમાંથી વાર્ષિક ૬,૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે. જો તેને સળગાવી દેવામાં આવે 
તો તેનો નિકાલ થતાં ખૂબ વાર લાગે છે. ઉપરાંત હવામાં તેના ઝેરી વાયુ ભળી જવાથી 
સમગ્ર વાતાવરણને પ્રદૂષિત કરે છે. જે પ્રક્રિયા ખૂબ જ જલદ અને જોખમી છે. આથી અન્ય કોઈ રીત હજુ શોધીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો નથી. સમુદ્રમાં અન્ય ક્યાંય નિકાલ 
કરી શકાય તેમ નથી. કારણ કે તે હેવી આઈટમો છે. પ્લાસ્ટિકના જ રૂપાંતર કહી શકાય 
તેવી આ ચીજવસ્તુઓનો નિકાલ સરળ નથી. સમગ્ર વિશ્ર્વને આ સમસ્યા હવે એકપડકારજનક લાગે છે. ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં 
થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઊભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજુ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો 
ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું? પ્લાસ્ટિકની વિરુદ્ધમાં જનજાગૃતિ આવી તેમાં 
૧૫-૨૦ વર્ષે નીકળી ગયાં. હજુ પણ કેટલાક તો કપડાંની થેલીનો ઉપયોગ કરવાને બદલે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છે. તેમની પાસેથી હવે તો સ્ટોર્સમાંથી થતી ખરીદી પેટે પ્લાસ્ટિકની થેલી માગનારા પાસે યોગ્ય કિંમત વસૂલ કરવામાં આવે છે.

દૈનિક જીવનમાં પ્લાસ્ટિકનો અનેક સ્વરૂપે વપરાશ થઈ રહ્યો છે. પ્લાસ્ટિકના બકેટ, 

પ્લાસ્ટિકના ટિફિન – બાળકોના લંચ બોક્સ અને વોટરબેગ પણ પ્લાસ્ટિકની અને તે 
સિવાયના કંપાસ બોક્સ જેવા અભ્યાસક્રમના સાધન પણ પ્લાસ્ટિકનાબેસવાની ખુરશી અને 
ટેબલ પણ પ્લાસ્ટિકનાં આ રીતે હિસાબ કરવામાં આવે તો પ્લાસ્ટિક જ ચારે તરફ જોવામાં 
આવે છે અને તેનો વપરાશ પણ વધ્યો છે. વૈશ્ર્વિક સ્તરે જોવામાં આવે તો ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો ૭ અબજ ટન પ્લાસ્ટિક કચરો મનુષ્યએ પેદા કર્યો છે. પ્લાસ્ટિકની સાધારણ આઈટેમને જમીનમાં પીગળતા અને તેનું રૂપાંતર થવામાં ૧૫ થી ૫૦ વર્ષ લાગે છે. આટલો 
સમય રાહ જોવાની ધીરજ કોનામાં હોય? જમીનમાં તેનો નિકાલ કોઈક રીતે નુકસાન અવશ્ય 
કરે છે. પરંતુ તેનું વિશ્ર્લેષણ થતું નથી. વ્યાપક જનજાગૃતિની આ દિશામાં જરૂર છે. ખાસ કરીને યુવાન વર્ગને આ મુદ્દે શિક્ષિત કરવાની જરૂર છે. કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી. ભવિષ્યમાં આ સમસ્યા વિકરાળ બને તેવી શક્યતા છે. ૧૯૫૦ સુધી કેન્સરનું પ્રમાણ દર દસ લાખ વ્યક્તિએ માત્ર બેથી ત્રણનું હતું તે ગુણોત્તર આજે ક્યાંય આગળ છે. વિસ્તાર 
અને પ્રદેશ અનુસાર કેન્સરનું પ્રમાણ વધ્યું છે.

એક કેન્સર દર્દીની સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચ થયા પછી પણ પરિણામ માટે કોઈ ખાતરી આપી શકાતી નથી. આવું અનિશ્ર્ચિત વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે સમગ્ર માનવજાતને માટે એક શ્રાપરૂપ બાબત છે. ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો સમગ્ર માનવજાતની જેટલી પ્રગતિ થઈ છે તેટલી જ અધોગતિ થઈ છે. હવે કોઈ વ્યક્તિ એમ કહી શકતી નથી કે “લીલાલહેર છે!! આ શબ્દ તો ક્યાંય પાછળ ધકેલાયો છે. આજે તે સિવાયની તમામ આડઅસર માત્ર આરોગ્ય જ નહિ. સામાજિક સંવાદિતા – માનસિક શાંતિ અને પરસ્પરના સંબંધ ઉપરાંત જીવનના દરેક ક્ષેત્રમાં અસમતુલા ઊભી કરનારી બની રહી છે.


નાગરિકોએ જ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાની શરૂઆત દૃઢતાથી કરીને એક પણ બાબતે પ્લાસ્ટિક ચીજ નહિ તેવો ૧૦૦ ટકા નિરધાર કરવો જરૂરી છે. ખૂબ મોડું થયું છે અને ભારત જેવા દેશમાં નબળા કાયદા અને ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે પ્લાસ્ટિક સામે લડત આપવી મુશ્કેલ બની રહી છે. પ્લાસ્ટિકને કારણે પશુઓને જે નુકસાન થાય છે તે જુદી જ ચર્ચાનો વિષય છે. હવા – પાણી – જમીન કશું જ બાકી રહ્યું નથી. વન્ય જીવન અને ઘરગથ્થુ પક્ષીઓ ચકલા 

– કબૂતર – કોયલ – કાબર અદૃશ્ય થઈ રહ્યાં છે. માત્ર ૫૦ વર્ષમાં આ અધોગતિ થઈ છે. તેમાં આવતો દાયકો તો વધુ ખતરનાક પુરવાર થવાનો છે. તેમ હાલથી જ લાગી રહ્યું છે. માત્ર ઈશ્ર્વર જ હવે ચમત્કાર કરી શકવાને શક્તિમાન છે.

Saturday, 1 July 2017

ગોવર્ધન પર્વતનો વિનાશ રોકે: સરકાર

૨૦૦૬માં હૈદરાબાદના ‘પ્રવાસ દિવસ’ કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના તૈ વખતના મુખ્યમંત્રી અને આ આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મારો રોચક સામનો થયો. મોદીજી ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત કરવાની વાત કરતા હતા, ત્યારે મારી સાથે બેઠેલા મિત્ર કે જેઓ પ્રથમ ભારતીય છે કે જેમણે હિલ્ટન હોટેલ, લોસ એન્જલસ ખરીદી હતી. તૈઓ ઊભા થયા અને બોલ્યા : નરેન્દ્રભાઈ! તમારાથી વિનીત નારાયણ ખુશ નથી. મોદીજી એક પળ માટે રોકાયા ત્યારે ચંદુભાઈએ વાત પૂરી કરી, કારણ કે તૈમને તૈમનાં રાજ્યમાં કોઈ કૌભાંડ-કાંડ મળતું નહોતું. આ વાત પર મોદીજી મુક્તમને હસ્યા તૈ પૂર્વે મારો મોદીજી સાથે કોઈ પૂર્વ પરિચય નહોતો.
મને આૃર્ય થયું કે મોદીજીએ તુરત જ ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. તૈમણે કહેલું કે, વિનીતભાઈ નારાયણ ભારતના મોટા પત્રકાર છે તૈમને ભ્રષ્ટાચારની જડમાં જઈ છાશ નાખવાની મજા આવે છે મારું તૈમને નિમંત્રણ છે. તૈઓ ગુજરાત આવી મારા કાંડ-કૌભાંડો શોધી કાઢે. આ વાત પર હું ઊભો થયો અને બોલ્યો કે હું જ વિનીત નારાયણ છું પણ હવે હું ગોટાળા-કાંડની પાછળ નથી પડતો. હવે તૈ ભગવાન શ્રી રાધા-કૃષ્ણની લીલાભૂમિ વ્રજને સજાવવામાં વ્યસ્ત છું. અમારા ઠાકોરજી વ્રજ છોડી દ્વારકા જઈ વસ્યા હતા. તૈથી તમે બધા ‘જય શ્રીકૃષ્ણ’ કહો છો. જૂના જમાનામાં અનેક રાજા-મહારાજા વ્રજમાં આવી કુંડ ઘાટ બનાવતા હતા. તમે આજે ગુજરાતના રાજા છો. કહેવત છે કે દુનિયાના ગુરુ સંન્યાસી, સંન્યાસીઓના ગુરુ વ્રજવાસી. હું વ્રજવાસી છું તૈથી આશીર્વાદ આપું છું કે તમે ભારતના વડા પ્રધાન બનશો અને વ્રજની જાહોજલાલી માટે અમને મદદ કરશો. આ સાંભળી નરેન્દ્રભાઈ મોદી ભાવુક થઈ ગયા અને બોલ્યા, જ્યારે હું દિલ્હી ભાજપ મથકે હતો ત્યારે મારા મનમાં ગોવર્ધનની પરિક્રમા સજાવવાની પ્રબળ ઇચ્છા હતી. હું કંઈ કરી શકું તૈ પહેલાં મને ગુજરાત મોકલી આપવામાં આવ્યો. વિનીતભાઈ! તમે ગુજરાત આવો, અમે તમને સંપૂર્ણ સહયોગ આપીશું.
૨૦૧૪માં હું જ્યારે નરેન્દ્રભાઈ મોદીને વ્રજના વિકાસની પોતાના પાવર પોઇન્ટની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે તૈમને મેં વ્રજ ફાઉન્ડેશન નિષ્ણાતોની ટીમ દ્વારા ગોવર્ધનનાં સૌંદર્યીકરણ માટે તૈયાર કરવામાં આવેલી પરિકલ્પનાની પણ રજૂઆત કરી હતી. તૈમણે ખૂબ પ્રશંસા કરી હતી.
આજે ગોવર્ધનના વિકાસનાં નામે જે કંઈ રજૂ થાય છે તૈની વિગત અખબારોમાંથી જાણે દરેક કૃષ્ણભક્ત અને ગોવર્ધનપ્રેમી ખૂબ જ વિચલિત છે. ગોવર્ધનનો વિકાસ અમૃતસરની તરાહ પર શક્ય નથી, કારણ કે સુવર્ણ મંદિર શહેર વચ્ચે એક શહરીકૃત તીર્થસ્થળ છે, જ્યારે કે ગોવર્ધનનો અર્થ છે-ગાયોનું સંવર્ધન કરનાર પર્વત, જ્યાં ગાયો સ્વચ્છંદતાથી ચરતી હોય. ગોવર્ધન મહાત્મ્યના તમામ ગ્રંથોમાં રસિક સંતોને ગોવર્ધનનાં નૈર્સિગક સૌંદર્યનું દિવ્ય વર્ણન કર્યું છે. જેથી જાણવા મળે છે કે, અહીં સઘન વૃક્ષાવલી તૈમજ ફળોથી લદાયેલાં વૃક્ષો ચારેય બાજુ દૂધ જેવાં જણાતા જળપ્રપાત અને સ્વચ્છ જળથી ભરેલાં સરોવરોની ભરમાર હતી અને તૈ જ આ સ્થળની શોભા હતી.
ગોવર્ધનની તળેટીની રજમાં આળોટી સંત ભજનાનંદી અને પરિક્રમાર્થી સ્વયંને ધન્ય માનતા હતા. કળિયુગની અસરથી ગોવર્ધનનાં આ સ્વરૂપનો ઝડપથી વિનાશ કરવામાં આવ્યો. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં કેટલાંક વૃક્ષોનું રોપણ કરાવેલું, ત્યાર બાદ કોઈ મોટા તો શું નાનાં રાજનેતાને ગોવર્ધનનાં માહાત્મ્યને જાણવા અને ગિરિરાજ મહારાજની યોગ્ય સેવા કરવાનો કોઈ ગંભીર પ્રયાસ નથી કર્યો.
૨૦૦૪માં હું જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના પ્રયાસથી મને ગોવર્ધન દાનઘાટી મંદિરનો માનદ રિસીવર બનાવાયો ત્યારથી મેં સ્થાનિક નિષ્ણાતો અને જિલ્લા વહીવટીતંત્રની સાથે નિયમિત વિચાર-વિમર્શ કરી ગોવર્ધનની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ દેશ-વિદેશમાં સ્થિત અને ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતા આર્િકટેક્ટની મદદથી ગોવર્ધનનાં સૌંદર્યીકરણ અને યાત્રીઓ માટે અદ્યતન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એક વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી. આ તૈયારીમાં ૫ વર્ષ લાગ્યાં. જોનારા તૈને જોતા જ રહે છે. આ યોજના ૨૦૦૮માં અમે ઉ.પ્ર. પ્રવાસન વિભાગને સત્તાવાર રીતૈ સોંપી. અમારી ચિંતાનો વિષય એ છે કે, ગોવર્ધનની મૂળ ભાવનાને સમજ્યા વિના ગોવર્ધનના વિકાસના જે સ્વરૂપની વાત આજ થઈ રહી છે તૈનાથી ગોવર્ધનનું સ્વરૂપ બગડશે, બનશે નહીં. તૈના પર ધ્યાન આપવું જોઈએ અને હૈદરાબાદમાં કરવામાં આવેલો વાયદો નિભાવવો જોઈએ. જેથી ગોવર્ધન ગિરિરાજ મહારાજની એવી સેવા હોય કે સંત, ભક્ત અને વ્રજવાસી જયજયકાર કરે.
આધુનિક વ્યવસ્થાથી અમને વાંધો નથી સમયની સાથે પરિસ્થિતિઓ બદલાય છે, તૈથી બંને વિચારધારા વચ્ચે સંઘર્ષ ન હોય અને સૌહાર્દપૂર્ણ સામંજસ્ય હોય તો વાત બને. અમે અમારી વાત વડા પ્રધાન, મુખ્યમંત્રી તૈમજ ઉચ્ચ અમલદારો સમક્ષ રજૂ કરી છે કે ગોવર્ધનનો વિનાશ રોકો.
સંદેશ: -વિનીત નારાયણ(વિચાર સેતુ)

બીટી રાયડાની ખેતીને મંજૂરી : સરકાર સાવધ રહે

દેશભરમાં અત્યારે જાણે ખેડૂતો માટે દેવાનાબૂદી જ મહત્ત્વપૂર્ણ મુદ્દો હોય તૈવી ચર્ચાઓ ચાલે છે પણ ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે કે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધુ ઉત્પાદનનાં સુફિયાણાં બહાનાં નીચે જિનેટિકલી મોડિફાઇટ (જીએમ) બિયારણો દેશમાં ઘુસાડીને ભારતની ખેતી, જમીન, આરોગ્ય અને પર્યાવરણને જે નુકસાન પહોંચાડશે તૈ તરફ કેન્દ્ર સરકારે સાવધ રહેવાની જરૂર છે. દેશમાં અનેક પ્રકારના વિરોધ વચ્ચે ૨૦૦૦માં ગેરકાયદે બીટી કપાસ ઘુસાડાયો અને ૨૦૦૨માં તૈની કાયદેસર મંજૂરી મળી. વધુ આવક અને ઉત્પાદનની લાલચે ખેડૂતો બીટી કપાસની બહુરાષ્ટ્રીય જાળમાં ફસાયા પણ પાંચ વર્ષ પછી હવે ખેડૂતોને સાચો ખ્યાલ આવ્યો અને બીટી કપાસનું વાવેતર કરવાને બદલે ખેડૂતો બીજા પાકો તરફ વળ્યા. આવો જ વિરોધ બીટી રીંગણના પાક સામે યુપીએ સરકાર વખતૈ દેશભરમાં થયો ત્યારે તૈ સમયના કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દેશભરનાં રાજ્યોનો વ્યાપક પ્રવાસ કરીને ખેડૂતોની વાત સાંભળીને બીટી રીંગણને ખેતીનાં હિતમાં મંજૂરી ન આપી. જાણીતા કૃષિ વિજ્ઞાની સ્વામીનાથને તૈ સમયે કહેલું કે, લાંબા સમયની કસોટીઓ, સ્વતંત્ર પરીક્ષણો અને રીંગણની દેશી જાતો સામે ખતરો ઊભો ન થાય તૈવી પૂરી પ્રતીતિ થયા વિના આવા જીએમ પાકની ખેતીની પરવાનગી આપી શકાય નહીં.
બીટી કપાસ સમયે કહેવાયેલું છે કે, બીટી કપાસથી જીંડવાની ઈયળોનો ઉપદ્રવ ઘટશે અને જંતુનાશકોની વપરાશ ઘટશે. હવે ખેડૂતોને સમજાયું છે કે, ગુલાબી ઈયળને બીટીનાં ઝેરની કોઈ અસર થતી નથી. ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. ૨૦૦૨ની સરખામણીમાં ૨૦૧૪માં જંતુનાશકોનો ઉપયોગ ૧૧ ટકા વધ્યો હોવાનું નાગપુરના કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્રે જણાવ્યું છે. કપાસમાં ૨૦૦૮માં રાસાયણિક ખાતરોની વપરાશ હેક્ટર દીઠ ૧૩૧ કિલો હતી તૈ ૨૦૧૩માં ૨૨૪ કિલો થઈ છે. આમ બીટી પછી વધ્યો છે અને એક હેક્ટરમાં બીટીની ખેતીથી ૧,૧૭૪ ગ્રામ બીટીનું ઝેર જમીનમાં ઉમેરાય છે. આમ બીટીનું ઝેર અને ઉપર છાંટેલ દવાનું ઝેર ઉમેરાતાં જમીનમાં વધુ ઝેર ભળે છે. હવે ખેડૂતોને બીટી કપાસની વિપરીત અસરોનો ખ્યાલ આવવા માંડયો છે અને ખેડૂતો બીટી કપાસને બદલે મૂળ જૂના પાક તરફ વળવા લાગ્યા છે અને ખેતીખર્ચ ઘટે તથા જમીન-પાણી બગડે નહીં તૈ માટે ખેડૂતો સજીવ ખેતી તરફ વળવા લાગ્યા છે. દેશનાં ૧૦ જેટલાં રાજ્યોએ તો સજીવ ખેતીના સેલ શરૂ કર્યા છે. તો ગુજરાતમાં તો સજીવ ખેતીની યુનિવર્સિટી પણ સ્થપાવાની છે, ત્યારે જીએમ પાકોને મંજૂરી આપવી યોગ્ય નથી. રાસાયણિક પાકને બદલે અનુભવે સજીવ ખેતી તરફ વળવું પડયું છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે જીએમ રાયડો ઘુસાડવાની તૈયારી કરી રહી છે અને હવે સીધી નહીં તો આડકતરી રીતૈ ‘સ્વદેશી જીમ’નાં નામે ૨૮ ટકા વધુ ઉત્પાદન આપતી બીટી રાયડાની જાતની મંજૂરી મેળવવા ભારે પ્રયાસો ને ભરપૂર કોશિશ થઈ રહી છે. જેની સામે ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સત્તાપક્ષની ભગિની સંસ્થાઓ, દેશનાં ૫૬થી વધુ ખેડૂત સંગઠનો, બસો જેટલા કૃષિ વિજ્ઞાનીઓ, સર્વોચ્ચ અદાલતના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને સચિવો વગેરેએ કેન્દ્ર સરકારને બીટી રાયડાને મંજૂરી ન આપવા અનુરોધ કર્યો છે. દેશમાં ૪૬ ટકા રાયડો પકવતાં રાજસ્થાનની રાજ્ય સરકારે પણ વિરોધ નોંધાવ્યો છે. બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવાં રાજ્યોમાં પણ ખેડૂતોનો વિરોધ છે. ગુજરાતમાં તો જીએમ રાયડાની ખેતી તો દૂરની વાત રહી તૈના પ્રયોગો કે અખતરા કરવા સામે પણ પ્રતિબંધ છે ત્યારે કેન્દ્ર સરકારે બીટી રાયડાની ખેતીને મંજૂરી આપતાં પહેલાં સો વાર વિચારવાની જરૂર છે. બીટી રાયડાની ખેતીથી ખાદ્યતૈલનું ઉત્પાદન વધતાં તૈલની આયાતમાં રાહત થશે તૈવી દલીલ મોટાપાયે બીટી રાયડાના હિમાયતીઓ કરી રહ્યા છે પણ આ માટે પૂરતાં વૈજ્ઞાનિક પરીક્ષમો કરાયાં નથી. જે ભારતના કૃષિ વિજ્ઞાનીઓનું પણ એક પ્રકારનું અપમાન છે. જીએમ રાયડાથી પણ વધુ ઉત્પાદન આપતી દેશી જાતો ભારતીય કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે અને તૈનો ઉપયોગ ખેડૂતો કરે પણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો બીટી કપાસ બાદ બીટી રાયડાને મંજૂરી મળી જાય તો મકાઈ સહિત બીજી ૭૨ જેટલી જીએમ જાતો ભારતમાં ઘુસાડવાનો રીતસરનો વ્યૂહ છે. આજે ખાદ્યતૈલ બાબતૈ ભારત ૯૭ ટકા સ્વાવલંબી છે છતાં ખાદ્યતૈલની આયાતો પરનાં નિયંત્રણો હટાવી લેવાયાં. પરિણામે ભાવો ઘટતાં ખેડૂતોનો તૈલીબિયાંની ખેતીમાંથી રસ ઊડી ગયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવમાં પણ એક વર્ષમાં ઘટાડો થયો છે. આથી તૈલીબિયાંનું વધુ ઉત્પાદન આપતી જાતો શોધાયા છતાં રાયડાનો વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન અને હેક્ટર દીઠ ઉત્પાદન છેલ્લા દાયકામાં સ્થગિત થઈ ગયાં છે યા ઘટયાં છે અને ખાદ્યતૈલની આયાત વધતી રહી છે. બીટી રાયડાથી ખેતીની જમીનમાં ઝેર વધશે, પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થશે, મધમાખી ઉછેરને પણ વિપરીત અસર થશે. વળી, એક ખેતરમાં બીટી રાયડો હોય તો તૈની અસર બાજુનાં ખેતરની દેશી જાતના રાયડાની ખેતીને પણ થશે. ખેડૂતોને દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડશે. આથી કેન્દ્ર સરકારે પૂરું પરીક્ષણ અને કસોટી કર્યા વિના કે ખેડૂતો તથા કૃષિ વિજ્ઞાનીઓના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા વિના યા નજરઅંદાજ કરીને નિર્ણય લેતાં પહેલાં સાવધાનીપૂર્વક વર્તવાની દેશની ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતમાં જરૂર છે.
 સંદેશ: -મણિલાલ એમ. પટેલ