Sunday, 22 April 2018

ભારત કૃષિ-પ્રધાન કે ખુર્શી-પ્રધાન ???

જગતના તાતને કમનસીબીની લાત...




મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી... દેશભક્તિના ગીતોમાં સોના જેવો પાક ઉતરે એવી ભાવના વ્યકત થાય છે. પણ પાક ઉગાડનારા ખેડૂતોની આ કૃષિપ્રધાન દેશમાં હાલત કેવી કથળેલી છે ?
અન્ન ઉગાડી આખા દેશને જમાડતા અને જીવાડતા જગતના તાત કર્જ  કમનસીબીની લાત ખાઈને મોતને ભેટે છે.

૨૦૧૪થી ૨૦૧૬ સુધીના ત્રણ વર્ષના ગાળામાં  દેશના ૩૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  કિસાન કલ્યાણ યોજનાઓ પાછળ કરોડો  રૃપિયાની ફાળવણી થાય છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફી આપવામાં આવી છે અને કૃષિકારોની સહાય માટે કેટલાય પેકેજ જાહેર કરવામાં આવે છે છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો થંભવાનું નામ  જ નથી લેતો.

No comments:

Post a Comment