Monday, 2 April 2018

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ:-

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 'સ્વલીંનતા' નું પ્રમાણ દર 1000 બાળકોએ દોઢ ટકા - છોકરાઓમાં આ રોગનું પ્રમાણ વધારે - બીમારીની ઓળખ નાની ઉંમરથી કરી યોગ્ય વર્તન અને સારવારથી આવા બાળકોમાં કૌશલ્ય વિકસાવી શકાય...

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨ એપ્રિલ એ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઓટિઝમ અંગે જાગૃતિ સભર કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી માતા-પિતા પોતાના બાળકોને જો આ પ્રકારે કોઇ ચિન્હો જોવા મળે તો તેને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી શકે અને યોગ્ય પગલાઓ લઇ શકે. 


ઓટિઝમ શબ્દનો ગુજરાતી અર્થ 'સ્વલીનતા' છે. આ બિમારીથી પિડિત બાળકો જાણે પોતાનામાં જ મગ્ન રહે છે. અન્યો સાથેનો સામાજિક વાર્તાલાપ લગભગ નહીં જેવો હોય છે. તેઓનો અન્યો સાથે શાબ્દિક અને બિન-શાબ્દિક વાર્તાલાપ કરવા જાણે શક્ત હોય છે. તેઓ ઘણી વખત એકના એક કાર્યમાં લાંબો સમય જોતરાયેલ રહે છે. આ બિમારીની બાળકના શારિરીક તથા માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે. ઓટીઝમનું પ્રમાણ દર ૧૦૦૦ બાળકોએ લગભગ ૧.૫ ટકા થી ૨ ટકા જેટલુ છે. જેમાં છોકરાઓમાં પ્રમાણ છોકરીઓની સાપેક્ષે ૪ ગણાથી પણ વધુ છે. ઓટીઝમ થવાવું કોઇ ચોક્કસ કારણ જાણ શકાયુ નથી.

વારસાગત, જનીનોની ખામીઓ ઉપરાંત માતા-પિતાની મોટી ઉંમરે બાળકનું અવતરવુ, ૯ માસ કરતા ઓછા સમયની ગર્ભાવસ્થા બાદ બાળકનો જન્મ થવો, જન્મ સમયે બાળકનુ ઓછુ વજન વગેરે જોવા મળ્યા છે. આ બાળકોમાં મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. 
ઓટિઝમથી પિડીત સ્ત્રીઓ અને બાળાઓનું સશક્તિકરણ ને વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે ૨૦૧૮ની મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ધ્યાને સ્ત્રીઓ અને બાળકીઓનું ઓટીઝમની બિમારીના લીધે શોષણ થતુ હોવાની વાત સામે આવતા તેમણે આ વર્ષે આ વિષય પર જાગૃતી અર્થે કામ કરવાનું નક્કી કર્યું છે. 

બાળકમાં આ બિમારીની ઓળખ નાની ઉંમરથી જ કરવામાં આવે તથા દવાઓ ઉપરાંત યોગ્ય સામાજીક તથા વર્તન સબંધિત સારવાર વડે શિક્ષણ, વાણી, ભાષા, સામાજીક કૌશલ્ય તથા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે તો તેઓમાં સ્વ-સંભાળ, સામાજિક તથા વ્યવસાયિક કૌશલ્ય વિકસાવી શકાય.

No comments:

Post a Comment