Sunday, 19 July 2020

કલકત્તા ટુ લંડન બસ સર્વિસ....

આપણને ખબર છે કે જગતનો સૌથી લાંબો બસનો રુટ કયો ? આ રુટ હતો કલકત્તા ટુ લંડન
થયું કે આશ્વર્ય ? ‌ હા આ ૭૯૦૦ કી.મી.નો અસ્તીત્વમાં હતો.

આ બસ કલકત્તાથી નીકળી
દીલ્હી, અમૃતસર, વાધા બોર્ડર લાહોર. ( પાકિસ્તાન) કાબુલ, હેરાણ, (અફઘાનિસ્તાન) તહેરાન ( ઇરાન) ઇસ્તંબુલ (તુર્કસ્તાન) જર્મન, ઓસ્ટ્રીયા, ફ્રાન્સ, થઈ ને લંડન જતી હતી. 

આ બસ ૧૫ એપ્રિલ ૧૯૫૭ ના ચાલુ થઈ હતી બસ ભાડુ ૮૫ પાઉન્ડ હતું આ બસ ૧૫ એપ્રિલ ૧૯૭૩ સુધી ચાલુ હતી ત્યારે ભાડુ ૧૪૫ પાઉન્ડ હતું છે ત્યારબાદ બસ સર્વિસ બંધ કરવામાં આવેલ.

"કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું....

ગુજરાત પોષણ અભિયાન - ૨૦૨૦ અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને પીડિત બાળકો ને સુપોષણ આપવા હેતુ રાજ્ય ના તમામ જિલ્લા માં "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. 

હાલ રાજ્ય ના સાત (૭) જિલ્લામાં થી 1680 બાળકો દત્તક લેવા માં આવેલ છે.

આ જરૂરીયાત વાળા દત્તક લેવાયેલા અતિકુપોષિત બાળકોને વજન પ્રમાણે સામુદાયિક સ્તરે 12 મહિના (એક વર્ષ) સુધી દર મહિને ‘’પોષણ આહાર કીટ’’ (પોષક તત્વો યુક્ત આહાર Nutritus Hy Pro પાઉડર નો એક ડબ્બો, ઘઉં, ચણા અને સોયાબીન નો આટો એક કિલો, મિક્ક્ષ કઠોળ, ઘી, ખજૂર, ગોળ, ચણા,સુખડી, દૂધ, ફળ) વિગેરે નું વિતરણ કરવામાં આવશે તેમજ બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું સેવાકીય કાર્ય કરશે.

હિન્દુ યુવા વાહિની  ગુજરાત રાજ્ય માં પહેલું સંગઠન છે કે જેને રાજ્યો ના આ પીડિત બાળકો ની મદદ હેતુ "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરેલ છે. ગત વર્ષ 2019 માં રાજકોટ જિલ્લા ના અતિ કુપોષિત પીડિત બાળકો એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ...

દેવભૂમિ દ્વારકા જિલ્લા થી તારીખ:- 30 જાન્યુ.2020 ના રોજ વહીવટી અધિકારીઓ સર્વ  શ્રી અનુપમ આનંદ સાહેબ સચિવ શ્રી ગાંધીનગર, દ્વારકા મામલતદાર સાહેબશ્રી, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, હિન્દૂ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ ગઢવી રાજપાલસિંહ ગોહિલ તથા હિયુવા  દ્વારકા જિલ્લા પ્રભારી તપન શુક્લા વિગેરે ની ઉપસ્થિત રહેલ તેમજ પ્રથમ કન્યાઓનું પૂજન કરીને "પોષણ આહાર કીટ" નું વિતરણ શરૂ કરવામાં આવેલ.

આ મહા અભિયાન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે શ્રીમતી કોકિલાબેન જોશી (જસદણ / વીંછીયા ના નિવૃત cdpo)  જોઈન્ટ ઇન્ચાર્જ પ્રોફેસર પિન્ટુબેન પટેલ  ને નિયુક્ત કરવામાં આવેલ છે.

આ મહા અભિયાન ને સફળ બનાવવા તથા પીડિત બાળકોને આ ગંભીર સમસ્યા માં થી સામાન્ય બાળક ની શ્રેણીમાં લાવવામાં હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા તથા અન્ય સહયોગી મહાનુભાવો ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ ઝુંઝા વિગેરે માર્ગદર્શન અને સુચનાનુસાર તેમજ હિયુવા ના જિલ્લા અધ્યક્ષ તેમજ નાના મોટા દરેક સદસ્યો અને પદાધિકારીઓ વ્યક્તિગત જવાબદારી સમજી સ્વૈચ્છિક રીતે સેવાકીય કાર્ય માં જોડાયા છે.



Saturday, 18 July 2020

‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’

આજ રોજ દેવ ભૂમિ દ્વારકા (ખંભાળિયા) ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષસ્થાને યોજાયેલ ICDS (આંગણવાડી ) સંકલન બેઠક માં ‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’ અંતર્ગત રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને અભિયાન ને સાર્થક બનાવવા હેતુને લઈને હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પદાધિકારીઓ ને બેઠક માં ખાસ  ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ...  ધન્યવાદ સાથે આભાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત (ખંભાળિયા).

આ અભિયાન અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય ના સાત જિલ્લા ના 1680 અતિ કુપોષિત બાળકો એક વર્ષ માટે દત્તક લીધેલા છે. આ તમામ બાળકો ને આગામી દિવસો માં "પોષણ આહાર કીટ" શરૂ કરવામાં આવશે. 

આજ ની બેઠક  જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તમામ તાલુકા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રીગ્રામ અધિકારીશ્રી, તમામ તાલુકાના સીડીપીઓ શ્રી તથા હિન્દુ યુવા વાહિની તરફ થી હરપાલસિંહ જાડેજા,  મંગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેલ....


Friday, 17 July 2020

લોકોને મારવા માટે પોલીસ નથી ; ભાવનગર રાજ ના દીવાન પ્રેમશંકર....

રાજા (શાસકો) કેવા હોય…અને પ્રજા સાથે રાજા નું વર્તન શું હોય... પોલીસ માટે અને ખાસ પોલીસ નો દુરુપયોગ કરી પોતાના વટક વાળતા શાસકો માટે આ ઘટના  ”બોધપાઠ” બની તે હેતુ થી મુકી છે… એટલે તો ભાવનગર નાં રાજા પ્રજાવત્સલ રાજવી કહેવાયા છે… જેનું આખા દેશના લોકો અને અમો ક્ષત્રિય રાજપુતો ને ગૌરવ છે.

૧૯૨૭ ની વાત છે તે વખતે ભાવનગરના બાળમહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલ્યા હતા…. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે લોકો બાળમહારાજાના સ્વાગત માટે હારતોરા લઈને, રેલવે સ્ટેશને ઉમટ્યા…. ટ્રેન શિહોર રેલવે સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી હતી… લોકો સ્વાગત માટે અધીરા થયા હતા… એવો ધસારો થયો કે દીવાન પ્રભાશંકરની પાઘડી પડી ગઈ અને કપડા ફાટી ગયા…. બાળમહારાજા ધક્કે ચડી ગયા… અને તેમનો સાફો નીકળી ગયો.. લોકોનો ધસારો વધતો હતો… તેમને રોકવા ફોજદારે લાઠીચાર્જ કર્યો… દીવાન પ્રભાશંકરે બૂમ પાડી… “લોકોને મારવા માટે પોલીસ નથી આઘા ખસો ” બાળમહારાજાએ પણ કહ્યું “ મારા લોકોને શામાટે મારો છો..?”

દીવાન પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ કર્યો “ફોજદાર પાસેથી આજે જ 10 રુપિયા દંડ વસૂલ કરવો”…. પરંતુ બીજે દિવસે તેમણે દંડ માફ કર્યો… 

થોડા દિવસ પછી દીવાન પ્રભાશંકરનો કેમ્પ શિહોર મુકામે હતો ત્યારે ફોજદાર આભાર માનવા ગયા…
પ્રભાશંકરે કહ્યું : “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો… પરંતુ લોકોને મારવાથી ઊલટી ગેરવ્યવસ્થા વધે… “લોકોને રાજ્ય તરફ માન ઘટે”…. હું તમારી જગ્યાએ હોઉં તો..? લોકો લાંબા સમયથી રાહ જોઈને કંટાળે… જો આ રીતે લોકોને અગાઉથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત.. ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે.”

મુળ લેખક:-
શ્રી લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન (ગુજરાત)

Thursday, 16 July 2020

नेटफ्लिक्स वेब सीरीज़ पे प्रतिबंध की मांग

राजकोट जिल्ला कलेक्टर श्री के माध्यम से मान. केंद्रीय मंत्रीश्री प्रकास जावड़ेकर जी (Ministry of Information & Broadcasting, Government of India) को एक निवेदन दिया गया है, जिसमें वेब श्रृंखला Netflix India और Amazon Prime Video पर प्रतिबंध लगाने का अनुरोध किया गया है, जो हिन्दु संस्कृति व धार्मिक आस्था को चोट पहुंचा रही है।
हिन्दु युवा वाहिनी गुजरात के प्रदेश प्रभारी हरपालसिंह जडेजा जीऔर हिन्दु जागरण मंच राजकोट के विक्रमसिंह परमार, मंगेशभाई देसाई, राजुभाई पिलाई, खोडियार धाम आश्रम के महंत पूज्य १००८ जयरामदास जी महाराज, वल्लभश्रय हवेली के मुख्याजी अभिषेक बावा जी विगेरे उपस्थिति रहे थे।
#bannitflixindia




Thursday, 28 November 2019

भारत के सबसे कम उम्र के आईएएस

गरीबी के कारण कभी स्कूल से कटने वाला था नाम आज है भारत के सबसे कम उम्र के आईएएस ।



अंसार शेख अपने परिवार में ग्रेजुएशन करने वाले पहले व्यक्ति है और सरकारी नौकरी पाने वाले भी। पर केवल अपने परिवार में ही नहीं बल्कि पुरे भारत में अंसार सबसे कम उम्र के आईएएस अधिकारियों में से एक है।
महाराष्ट्र निवासी अंसार ने साल 2016 में अपने पहले ही प्रयास में यूपीएससी की परीक्षा को पास कर लिया था। वे तब केवल 21 साल के थे। इतना ही नहीं उनकी ऑल इंडिया रैंक 361 थी।
अगर आप कभी उनके भाषण सुने, तो आपको पता चलेगा कि शिक्षा प्राप्त करने के लिए उन्होंने और उनके परिवार ने कितनी परेशानियों का सामना किया है। उनके पिता, मराठावाड़ा के जालना जिले में शेलगाँव में एक रिक्शा चालक थे और शराब की लत से ग्रस्त थे। उन्होंने तीन बार शादी की। अंसार की माँ, जो खेत में काम करती थी, उनकी दूसरी पत्नी है।
अंसार घरेलू हिंसा और बाल विवाह जैसी कुरूतियों को देखकर बड़े हुए। उनकी बहनों की शादी 15 साल की उम्र में हुई थी, और उनके भाई को छठी कक्षा के बाद अपने चाचा के गेराज पर काम करने के लिए पढ़ाई छोड़नी पड़ी।
भले ही अंसार के भाई उनसे दो साल छोटे है, लेकिन अंसार उन्हें हर तरीके से खुद से बड़ा मानते है। ऐसा क्यूँ है ये आपको उनकी कहानी जानकर पता चलेगा।
हर कोई सोचता था कि अंसार अपने घर से दबाब के चलते पढ़ाई छोड़ देंगे, लेकिन ऐसा नहीं हुआ।
अपने एक भाषण में उन्होंने बताया,
“मेरे सभी रिश्तेदार मेरे माँ-बाप से पूछते थे कि क्या जरूरत है अंसार को पढ़ाने की। जब मैं चौथी कक्षा में था, तो मेरे माता-पिता ने मेरे टीचर से कहा कि वे मेरा स्कूल छुड़वाना चाहते हैं, पर उन्होंने इस बात से इनकार कर दिया। उन्होंने उनसे कहा कि आपका बेटा एक उज्ज्वल छात्र है। उसकी पढ़ाई में पैसा लगा कर आपको पछतावा नहीं होगा। वो एक दिन आपकी किस्मत बदल देगा। मेरे अशिक्षित माता-पिता के लिए मेरे शिक्षक द्वारा कही गयी यह बा बहुत बड़ी थी।”
और इसलिए, उनके माता-पिता ने शिक्षा और अंसार को एक मौका देने का फैसला किया। अंसार ने भी 12वीं में 91 प्रतिशत अंक लाकर अपने टीचर की कही उस बात का मान रखा!
वे जिला परिषद स्कूल में पढ़ाई के संघर्षों के बारे में हँसते हुए बताते हैं, “मुझे बड़े होने पर चिकन बहुत पसंद था। लेकिन जिस घर में एक वक़्त का खाना नसीब होना भी किस्मत थी। वहां चिकन भूल जाओ। इसलिए जब कभी दोपहर के भोजन में कीड़े मिलते थे तो शाकाहारी खाना खुद ब खुद मांसाहारी हो जाता था।”

उन्होंने 12वीं मराठी माध्यम से पढ़ने के बाद पुणे के फर्गूसन कॉलेज में पॉलिटिकल साइंस विषय से ग्रेजुएशन में दाखिला लिया। हालाँकि, यह निर्णय आसान नहीं था। उनके पिता हर महीने उन्हें थोड़े-बहुत पैसे भेजते थे। बाकी इसके अलावा उनका भाई महीने की अपनी पूरी कमाई- 6000 रूपये उनके अकाउंट में जमा करा देता था।
हालांकि, बड़ा सवाल यह था कि वह यूपीएससी कोचिंग की फीस कैसे भरेंगे जो कि 70,000 रुपये थी।
उन्होंने याद करते हुए बताया, “जब मैंने जाधव सर को मेरे परिवार के बारे में बताया तो उन्होंने मुझे फीस में 50% डिस्काउंट दिया, क्योंकि उन्हें लगता था कि मैं कुछ कर सकता हूँ। जब मैंने क्लास में पहला कदम रखा, तो देखा कि वहां आए ज़्यादातर छात्र 20 से 30 साल के बीच में थे, जिन्होंने दो से तीन बार परीक्षा दी थी। मैं केवल 19 साल का था। इसलिए मैं अक्सर डरता था और सबसे बातचीत करना मुश्किल लगता था।”
लेकिन जैसे ही क्लास शुरू होने लगीं, अंसार  की उत्सुकता बढ़ने लगी। उन्होंने सबसे बातचीत शुरू कर दी। साथ ही वे क्लास में कोई भी सवाल पूछने से नहीं कतराते थे।
“कभी-कभी मैं नोट्स के लिए पैसे बचाता और सिर्फ वड़ापाव खाकर गुजारा करता था। अपने दोस्तों से किताबे लेकर फोटोकॉपी करा लेता था। मैंने दिन में 13 घंटे पढ़ना शुरू किया। क्योंकि फेल होना मेरे लिए कोई विकल्प नहीं था। मुझे दूसरी बार तैयारी करने का मौका नहीं मिलता,” उन्होंने कहा।
उन्हें थोड़ी राहत मिली जब उनका प्रीलिम्स पास हो गया। लेकिन मेन्स और साक्षात्कार अभी भी रहता था। जब वह अपने मेन्स की तैयारी कर रहे थे, तब उनकी बहन के पति की बहुत ज्यादा शराब पीने से मौत हो गयी! इसके बाद परिवार को संभालने की ज़िम्मेदारी उनके कंधों पर आ गयी थी, क्योंकि उनके पिता और भाई दोनों काम कर रहे थे।
“लेकिन मुश्किल समय में भी, मेरी बहन, जिसने अपने पति को खोया था, उसने हार नहीं मानी। उसने मुझे पुणे लौटने और परीक्षा के लिए तैयारी करने को कहा।”
बाद में जब परीक्षा का परिणाम आया तो उन्होंने परीक्षा पास कर ली थी।
अंसार आज भी अपना पैनल के साथ इंटरव्यू को याद करते हैं, जहां एक रिटायर्ड आईएएस अधिकारी ने उन्हें कट्टरपंथी संगठनों में शामिल मुस्लिम युवाओं के बारे में पूछा। वे अंसार के जवाबों से प्रभावित हुए। इस इंटरव्यू में उनसे पूछा गया था कि वे शिया संप्रदाय से है या सुन्नी से।
अंसार ने कभी भी अपनी गरीबी को अपने रास्ते का कांटा नहीं बनने दिया। ग्रेजुएशन के फर्स्ट ईयर में उन्हें यूपीएससी की परीक्षा के बारे में पता चला। पढ़ाई के साथ-साथ परीक्षा की तैयारी करने के लिए उन्होंने यूनिक अकेडमी के तुकाराम जाधव से सम्पर्क किया और पाठ्यक्रम में प्रवेश के लिए उनसे अनुरोध किया।

उन्होंने 275 में से 199 अंक प्राप्त किये, जो आईएएस के इंटरव्यू राउंड में बहुत बड़ी बात है।
आईएएस की तैयारी कर रहे छात्रों के लिए अपने संदेश में, अंसार कहते हैं, “अगर आपको लगता है कि आपकी प्रतिस्पर्धा अन्य उम्मीदवारों के साथ है जो परीक्षा देते हैं, तो आप गलत हैं। आपकी एकमात्र प्रतियोगिता आप से है। तो अपने सभी निराशावादी विचारों से बाहर निकले और सफलता खुद आपको मिल जाएगी। याद रखें, गरीबी और सफलता का कोई संबंध नहीं है। आपको केवल कड़ी मेहनत और दृढ़ संकल्प की ज़रूरत है। आप कहाँ से आते हैं, इससे कोई फर्क नहीं पड़ता। ”

Sunday, 22 April 2018

ભારત કૃષિ-પ્રધાન કે ખુર્શી-પ્રધાન ???

જગતના તાતને કમનસીબીની લાત...




મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી... દેશભક્તિના ગીતોમાં સોના જેવો પાક ઉતરે એવી ભાવના વ્યકત થાય છે. પણ પાક ઉગાડનારા ખેડૂતોની આ કૃષિપ્રધાન દેશમાં હાલત કેવી કથળેલી છે ?
અન્ન ઉગાડી આખા દેશને જમાડતા અને જીવાડતા જગતના તાત કર્જ  કમનસીબીની લાત ખાઈને મોતને ભેટે છે.

૨૦૧૪થી ૨૦૧૬ સુધીના ત્રણ વર્ષના ગાળામાં  દેશના ૩૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  કિસાન કલ્યાણ યોજનાઓ પાછળ કરોડો  રૃપિયાની ફાળવણી થાય છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફી આપવામાં આવી છે અને કૃષિકારોની સહાય માટે કેટલાય પેકેજ જાહેર કરવામાં આવે છે છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો થંભવાનું નામ  જ નથી લેતો.

Wednesday, 4 April 2018

વિપ્લવ (ક્રાંતિકારી ફેરફાર)

૧૮૫૭ પહેલા વિપ્લવના ૪૦ પ્રયત્નો થયા હતા જો સંભવ હોત તો ડેલહાઉસી જાનવરો પાસેથી પણ વેરો વસૂલત ૧૮૫૭ના વિપ્લવનું એક કારણ હતું પરદેશ જવાથી ધરમ ભ્રષ્ટ થાય એવી અંધશ્રદ્ધા....

૧૮૫૭નો વિપ્લવ રાષ્ટ્રીય ભાવનાને લીધે નહીં, પણ ધાર્મિક ભાવનાને કારણે થયો હતો. કંપની રાજથી બધા ત્રસ્ત હતા, પરંતુ બધા આ વિપ્લવમાં સામેલ થયા નહોતા. ઈતિહાસકારો તેને સૈનિક વિદ્રોહ કહે છે. શું થયું હતું? જાણવા જેવું છે. રસપ્રદ છે. ૨૯ માર્ચ, ૧૮૫૭, રવિવાર. બેરકપુર સ્થિત ૩૪મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીનો એડજુટેંટ લેફ્ટિનેંટ બાઉ ચર્ચ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને જાણ કરવામાં આવી કે ખુશ્કીદળમાં અશાંતિ વ્યાપેલી છે. છઠ્ઠી કંપનીનો સિપાઈ મંગલ પાન્ડે ધુઆપુઆ થઈને ફરી રહ્યો હતો. કહેતો હતો કે જો કોઈ અંગ્રેજ અધિકારી મારી સામે આવી જશે તો તેને મારી નાખીશ. તે બીજા સિપાઈઓને સાથ આપવા કહી રહ્યો હતો. 

દેવળ જઈ રહેલા લેફ્ટિનેંટનો ઇરાદો બદલાયો. તેણે તરત જ વરદી ધારણ કરી. બે ભરેલી પિસ્તોલ લઈ ઘોડો પલાણી યુનિટ તરફ રવાના થયો. મેદાનની વચ્ચોવચ્ચ કંપનીની તોપ પડી હતી. મંગલ પાન્ડેએ બાઉને આવતા જોયો એટલે તરત જ તે તોપ પાછળ છુપાઈ ગયો. લેફ્ટીનેંટે જોયું કે બધા જવાનો બરેકમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ મંગલ પાન્ડે ક્યાંય દેખાતો નહોતો. તેણે બળવાખોર સિપાઈઓને આત્મસમર્પણ કરવાની હાકલ કરી. ત્યાં ધડાકાનો અવાજ સંભળાયો. તેના ઘોડાને ગોળી વાગી હતી. બંને જમીન પર પટકાયા. તે તુરંત જ ઊભો થઈ ગયો. કમરમાં ખોંસેલી પિસ્તોલ હાથમાં લઈને મંગલ પાન્ડેની પાછળ દોડયો. તેને બીજી વખત રાઇફલમાં કારતૂસ ભરવાનો મોકો પણ ન આપ્યો. તેણે તલવાર કાઢી. બાઉએ ગોળી ચલાવી. તે બચી ગયો. બાઉએ તલવાર કાઢી. ત્યાં તો પાન્ડે તેના તરફ ધસી ગયો. તેને જમીન પર પછાડી માથે ચડી ગયો. વધારે કઈ કરે એટલામાં સાર્જન્ટ હડસન આવી પહોંચ્યો. તેણે પાન્ડેને ઈજાગ્રસ્ત કરી જમીન પર પટકી દીધો. હડસને સામે ઊભેલા જવાનોને મદદ માટે બોલાવ્યા, પણ કોઈ ન ગયું. સૈનિકોનો રોષ પ્રગટ થઈ ચૂક્યો હતો. ત્યાં અંગ્રેજોનો એક ઓર સાથી શેખ પલ્ટુ આવી પહોંચ્યો. તેેણે મંગલ પાન્ડેને કાબૂમાં કરી લીધો. એટલામાં અનેક અંગ્રેજ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે મંગલ પાન્ડેને ઘેરી લીધો. મંગલ પાન્ડેએ સ્વયંને ગોળી મારવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. તેના પર કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. ૧૮મી એપ્રિલે ફાંસી મુકરર થઈ કિન્તુ ૧૦ દિવસ પહેલા જ એટલે કે આઠમી એપ્રિલે ફાંસી આપી દેવામાં આવી. 

આ સાથે જ મેરઠથી બંડ શરૃ થઈ ગયો. અહીં આપણે ૧૮૫૭માં શું બન્યું એની વાત નથી કરવી. એ પહેલા શું બન્યું? એના માટેની ભૂમિકા કેવીરીતે તૈયાર થઈ? એના પર ઉજાસ ફેંકવો છે. લોર્ડ ડેલહાઉસી ૧૮૫૬માં હિંદુસ્તાન છોડીને જતો રહ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેણે જે પરાક્રમો કર્યા હતા તેના પ્રતાપે ભારતનો ઈતિહાસ સદા માટે બદલાઈ જવાનો હતો.  તેેણે ખાલસા નીતિ(ડોક્ટ્રિન ઑફ લેપ્સ) દ્વારા અનેક રાજાઓ અને નવાબોનાં રાજ્યો છીનવી લીધાં હતાં. 

ફ્રીડમ સ્ટ્રગલ ઑફ ઇંડિયા પુસ્તકમાં ઇતિહાસકાર બિપિનચંદ્ર લખે છે કે હજારો જમીનદારોએ અને દક્ષિણ ભારતના પોલીગરોએ પોતાની જમીન ગુમાવવી પડી હતી. પોલીગર પણ એક પ્રકારના જમીનદાર જ છે. એક નગરમાં ૭૨ પોલીગર રહેતા. તેઓ સેના પણ રાખતા અને રાજાને મદદ કરતા. જમીનદારો અને પોલીગરોએ કંપનીની તિજોરીમાં ટેક્સ જમા કરાવવો પડતો. તેમ કરવા તેઓ સક્ષમ ન રહેતા તેમને જમીન ગુમાવવી પડી. ઇસ્ટ ઇંડિયા કંપનીની લાલચે દેશના ખેડૂતોની કેડ ભાંગી નાખી હતી. 

૩૦ વર્ષમાં કેવળ બંગાળમાંથી કંપનીએ મોગલોની તુલનાએ ડબલ વેરો વસૂલવાનો આરંભ કરી દીધો હતો. ડેલહાઉસીની લાલચ એટલી વધી ગઈ હતી કે રાહદારીઓ પાસેથી પણ વેરો વસૂલવા લાગ્યો હતો. તેની મરજી ચાલે તો તે જાનવરો પાસેથી પણ કરની વસૂલાત કરત. ભારતીય સૈનિકોની સ્થિતિ બરાબર નહોતી. ભારતીય અને અંગ્રેજી સૈનિકોના પગાર, ભથ્થા અને સુવિધાઓ વચ્ચે પાતાળ-જમીનનું અંતર હતું. ભૂમિદળના એક સિપાઈને મહિને કેવળ સાત રૃપિયાનો પગાર મળતો હતો. તેમાંથી વરદી, રહેવું, ખાવું, પીવું વગેરે કર્યા પછી માત્ર એક કે બે રૃપિયા બચતા. જે સૈનિક તેના વતન મોકલાવતો. ઘોડેસવાર સૈનિકને મહિને રૃા.૨૭નો પગાર મળતો. સૈનિકોને આપવામાં આવતી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. ચીઠ્ઠી મોકલવા માટે ટપાલ ટિકિટ પણ તેમને જાતે ખરીદવી પડતી હતી. 

૧૭૬૩થી ૧૮૫૬ દરમિયાન વિદ્રોહના ૪૦થી વધારે પ્રયત્નો થયા હતા. છુટા-છવાયા કિસ્સાઓની સંખ્યા ૧૦૦થી અધિક છે. સિપાઈઓનો અસંતોષ વધતો જતો હતો. ૧૮૫૨માં લોર્ડ એલનબરોના કાળમાં પણ એક સિપાઈ વિદ્રોહ થયો હતો, જે દબાવી દેવામાં આવ્યો. 
બીજી ચીનગારી ડેલહાઉસીના કાર્યકાળમાં પંજાબમાં ઊઠી. સૈનિકોને કડક સૂચના આપવામાં આવી હતી કે જનતા પ્રત્યે જરાય દયા દાખવવામાં ન આવે. તેમની પાસેથી ટેક્સ વસૂલવો અને ન ભરનાર સામે નિર્દયતાથી પગલાં લેવાં. અંગ્રેજ અફસરો સૈનિકોને પોતાના જ લોકો પર અત્યાચાર ગુજારવાનો આદેશ આપતા હતા. આથી તેમનામાં અસંતોષ ફેલાયો. ચાર્લ્સ નેપિયરે આ અસંતોષ પોતાની સમજદારીથી દબાવી દીધો. હિંદુ ધર્મમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે પરદેશગમનથી ધર્મ ભ્રષ્ટ થાય. ડેલહાઉસીએ ૩૮ રેજિમેન્ટને બર્મા મોકલવાનો હુકમ કર્યો. આથી સૈનિકોમાં નારાજગી ભભૂકી. એ સમયે પરદેશથી પરત આવનારા લોકોનો સમાજમાં સ્વીકાર પણ થતો નહોતો. સૈનિકોના રોષને પામી જઈ ડેલહાઉસીએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, પણ ત્યાં લગીમાં મોડું થઈ ચૂક્યું હતું. ૧૮૫૬માં ડેલહાઉસી જતો રહ્યો, પરંતુ જમીનની ભીતર સળવળતો લાવા મૂકીને ગયો હતો. તેના સ્થાને આવેલા લોર્ડ કેનિંગને ડેલહાઉસીની નજરથી જ ભારત દર્શન કરાવવામાં આવ્યું. 

૧૮૫૭ના વિપ્લવ ઉપર પ્રથમ પુસ્તક તત્કાલીન મેજર જ્યોર્જ બૂ્રસ માલેસને લખ્યું હતું. એ પુસ્તકનું શીર્ષક છે બંગાળ સૈન્યનો બળવો. એ સમયે ભારત ત્રણ પ્રેસિડેન્સીમાં વિભાજિત હતું. બંગાળ, બોમ્બે અને મદ્રાસ. વિદ્રોહ માત્ર બંગાળ પ્રેસીડેન્સીમાં જ થયો હતો. બંગાળ આર્મીમાં બ્રાહ્મણોનો દબદબો હતો. ૧,૦૦૦ સૈનિકમાંથી ૮૦૦ હિંદુ અને ૨૦૦ મુસ્લિમ હતા. હિંદુમાં ૪૦૦ બ્રાહ્મણ અને ૪૦૦માં બિનબ્રાહ્મણો તથા કથિત નિમ્ન જાતિઓ. ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ મામલે હિંદુ સૈનિકો ખ્રિસ્તી મિશનરીઓ સામે ગુસ્સે ભરાયેલા હતા. 

અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ આ બાબતથી વાકેફ હતા. તેઓ એક સમયે ઇસ્ટ ઇંડિયા કંપનીના મિત્ર હતા. કપરા કાળમાં તેમણે કંપનીની મદદ કરી હતી, કિન્તુ કંપનીએ ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. આથી વેર લેવા તેમણે હિંદુ સૈનિકોને પોતાના એજન્ટો મારફતે ભડકાવવાનું શરૃ કર્યું. તેઓ ઓગસ્ટ ૧૮૫૭માં વિપ્લવ કરાવવા માગતા હતા. કારણ કે ત્યારે રાણી વિક્ટોરિયા ઇન્ગ્લેન્ડ છોડીને બહાર જવાના હતા. વાજિદ અલી શાહ હિંદુ સૈનિકોને ભડકાવી રહ્યા હતા ત્યાં એન્ફિલ્ડ રાઇફલે તેમનું કામ ઓર સરળ કરી નાખ્યું. લંડનમાં ત્યારે નવી નવી આવેલી એન્ફીલ્ડ રાઇફલ કર્નલ બિર્ચ ભારતમાં લાવવા માગતા હતા. તેની કારતૂસનું કવર બનાવવામાં ગાય અને ડુક્કરની ચામડીનો ઉપયોગ થતો હતો. તેમણે ભારતમાં પણ આવી કારતૂસ બનાવવાનો આદેશ આપી દેતા અને સૈનિકોને તેનો ઉપયોગ કરવાની ફરજ પાડતા કેરોસીનમાં તણખો પડયો. સૈનિકોને જ્યારે ખબર પડી એ જ ઘડીએ તેમણે આ કારતૂસનો ઉપયોગ કરવાનો નનૈયો ભણી દીધો. પહેલા તો કર્નલ બિર્ચે આ આક્રોશ પરત્વે ધ્યાન ન આપ્યું. ચાર મહિના પછી તેમણે અસંતોષને ધ્યાને લઈ કારતૂસ બનાવવાનું બંધ કરી દીધું, પરંતુ સિપાઈઓને આ વિશે જાણ કરી નહીં. એન્ફિલ્ડ રાઇફલમાં ગાયના ચામડાનો ઉપયોગ થાય છે એની જાણ થવા વિશેનો કિસ્સો ગજબ છે.

એક વખત નિમ્ન મનાતી જાતિના સૈનિકે બ્રાહ્મણ સૈનિક પાસે પીવાનું પાણી માગ્યું. બ્રાહ્મણ સૈનિકે કહ્યું, તને પાણી આપીને મારે ધરમ ભ્રષ્ટ નથી કરવો. નિમ્ન જાતિના મનાતા સૈનિકે કહ્યું,જ્યારે તમે મારા હાથે કારતૂસ પર લાગેલું ગાયનું ચામડું તમારા મોઢેથી તોડો છો ત્યારે તમારો ધર્મ ભ્રષ્ટ નથી થતો? ઇસ્લામમાં ડુક્કર વર્જ્ય મનાતું હોવાથી તેઓ પણ ડુક્કરના ચામડાના ઉપયોગથી નારાજ હતા. વાજીદ અલી શાહ એવી હવા ફેલાવતા હતા કે ત્રણ વર્ષમાં અગ્રેજો સમગ્ર ભારતને ખ્રિસ્તી બનાવી દેશે. આવું કરવામાં તેમની જ ગણતરી ઊંધી પડી. ઓગસ્ટમાં શરૃ થવો જોઈતો વિપ્લવ મેમા ંશરૃ થયો અને યોગ્ય પરિણામ સુધી પહોંચી શક્યો નહીં.

- નેટવર્ક 
ગુજરાત સમાચાર (04 April, 2018)

Monday, 2 April 2018

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ:-

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 'સ્વલીંનતા' નું પ્રમાણ દર 1000 બાળકોએ દોઢ ટકા - છોકરાઓમાં આ રોગનું પ્રમાણ વધારે - બીમારીની ઓળખ નાની ઉંમરથી કરી યોગ્ય વર્તન અને સારવારથી આવા બાળકોમાં કૌશલ્ય વિકસાવી શકાય...

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨ એપ્રિલ એ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઓટિઝમ અંગે જાગૃતિ સભર કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી માતા-પિતા પોતાના બાળકોને જો આ પ્રકારે કોઇ ચિન્હો જોવા મળે તો તેને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી શકે અને યોગ્ય પગલાઓ લઇ શકે. 


ઓટિઝમ શબ્દનો ગુજરાતી અર્થ 'સ્વલીનતા' છે. આ બિમારીથી પિડિત બાળકો જાણે પોતાનામાં જ મગ્ન રહે છે. અન્યો સાથેનો સામાજિક વાર્તાલાપ લગભગ નહીં જેવો હોય છે. તેઓનો અન્યો સાથે શાબ્દિક અને બિન-શાબ્દિક વાર્તાલાપ કરવા જાણે શક્ત હોય છે. તેઓ ઘણી વખત એકના એક કાર્યમાં લાંબો સમય જોતરાયેલ રહે છે. આ બિમારીની બાળકના શારિરીક તથા માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે. ઓટીઝમનું પ્રમાણ દર ૧૦૦૦ બાળકોએ લગભગ ૧.૫ ટકા થી ૨ ટકા જેટલુ છે. જેમાં છોકરાઓમાં પ્રમાણ છોકરીઓની સાપેક્ષે ૪ ગણાથી પણ વધુ છે. ઓટીઝમ થવાવું કોઇ ચોક્કસ કારણ જાણ શકાયુ નથી.

વારસાગત, જનીનોની ખામીઓ ઉપરાંત માતા-પિતાની મોટી ઉંમરે બાળકનું અવતરવુ, ૯ માસ કરતા ઓછા સમયની ગર્ભાવસ્થા બાદ બાળકનો જન્મ થવો, જન્મ સમયે બાળકનુ ઓછુ વજન વગેરે જોવા મળ્યા છે. આ બાળકોમાં મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. 
ઓટિઝમથી પિડીત સ્ત્રીઓ અને બાળાઓનું સશક્તિકરણ ને વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે ૨૦૧૮ની મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ધ્યાને સ્ત્રીઓ અને બાળકીઓનું ઓટીઝમની બિમારીના લીધે શોષણ થતુ હોવાની વાત સામે આવતા તેમણે આ વર્ષે આ વિષય પર જાગૃતી અર્થે કામ કરવાનું નક્કી કર્યું છે. 

બાળકમાં આ બિમારીની ઓળખ નાની ઉંમરથી જ કરવામાં આવે તથા દવાઓ ઉપરાંત યોગ્ય સામાજીક તથા વર્તન સબંધિત સારવાર વડે શિક્ષણ, વાણી, ભાષા, સામાજીક કૌશલ્ય તથા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે તો તેઓમાં સ્વ-સંભાળ, સામાજિક તથા વ્યવસાયિક કૌશલ્ય વિકસાવી શકાય.

Monday, 26 March 2018

રામનવમીનું મહત્વ

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.



રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત રામ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ… રામ… બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ…રામ…નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુ:ખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું.   ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.

આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. અ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ.

અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.