Sunday, 19 July 2020

કલકત્તા ટુ લંડન બસ સર્વિસ....

આપણને ખબર છે કે જગતનો સૌથી લાંબો બસનો રુટ કયો ? આ રુટ હતો કલકત્તા ટુ લંડન
થયું કે આશ્વર્ય ? ‌ હા આ ૭૯૦૦ કી.મી.નો અસ્તીત્વમાં હતો.

આ બસ કલકત્તાથી નીકળી
દીલ્હી, અમૃતસર, વાધા બોર્ડર લાહોર. ( પાકિસ્તાન) કાબુલ, હેરાણ, (અફઘાનિસ્તાન) તહેરાન ( ઇરાન) ઇસ્તંબુલ (તુર્કસ્તાન) જર્મન, ઓસ્ટ્રીયા, ફ્રાન્સ, થઈ ને લંડન જતી હતી. 

આ બસ ૧૫ એપ્રિલ ૧૯૫૭ ના ચાલુ થઈ હતી બસ ભાડુ ૮૫ પાઉન્ડ હતું આ બસ ૧૫ એપ્રિલ ૧૯૭૩ સુધી ચાલુ હતી ત્યારે ભાડુ ૧૪૫ પાઉન્ડ હતું છે ત્યારબાદ બસ સર્વિસ બંધ કરવામાં આવેલ.

"કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું....

ગુજરાત પોષણ અભિયાન - ૨૦૨૦ અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને પીડિત બાળકો ને સુપોષણ આપવા હેતુ રાજ્ય ના તમામ જિલ્લા માં "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. 

હાલ રાજ્ય ના સાત (૭) જિલ્લામાં થી 1680 બાળકો દત્તક લેવા માં આવેલ છે.

આ જરૂરીયાત વાળા દત્તક લેવાયેલા અતિકુપોષિત બાળકોને વજન પ્રમાણે સામુદાયિક સ્તરે 12 મહિના (એક વર્ષ) સુધી દર મહિને ‘’પોષણ આહાર કીટ’’ (પોષક તત્વો યુક્ત આહાર Nutritus Hy Pro પાઉડર નો એક ડબ્બો, ઘઉં, ચણા અને સોયાબીન નો આટો એક કિલો, મિક્ક્ષ કઠોળ, ઘી, ખજૂર, ગોળ, ચણા,સુખડી, દૂધ, ફળ) વિગેરે નું વિતરણ કરવામાં આવશે તેમજ બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું સેવાકીય કાર્ય કરશે.

હિન્દુ યુવા વાહિની  ગુજરાત રાજ્ય માં પહેલું સંગઠન છે કે જેને રાજ્યો ના આ પીડિત બાળકો ની મદદ હેતુ "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરેલ છે. ગત વર્ષ 2019 માં રાજકોટ જિલ્લા ના અતિ કુપોષિત પીડિત બાળકો એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ...

દેવભૂમિ દ્વારકા જિલ્લા થી તારીખ:- 30 જાન્યુ.2020 ના રોજ વહીવટી અધિકારીઓ સર્વ  શ્રી અનુપમ આનંદ સાહેબ સચિવ શ્રી ગાંધીનગર, દ્વારકા મામલતદાર સાહેબશ્રી, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, હિન્દૂ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ ગઢવી રાજપાલસિંહ ગોહિલ તથા હિયુવા  દ્વારકા જિલ્લા પ્રભારી તપન શુક્લા વિગેરે ની ઉપસ્થિત રહેલ તેમજ પ્રથમ કન્યાઓનું પૂજન કરીને "પોષણ આહાર કીટ" નું વિતરણ શરૂ કરવામાં આવેલ.

આ મહા અભિયાન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે શ્રીમતી કોકિલાબેન જોશી (જસદણ / વીંછીયા ના નિવૃત cdpo)  જોઈન્ટ ઇન્ચાર્જ પ્રોફેસર પિન્ટુબેન પટેલ  ને નિયુક્ત કરવામાં આવેલ છે.

આ મહા અભિયાન ને સફળ બનાવવા તથા પીડિત બાળકોને આ ગંભીર સમસ્યા માં થી સામાન્ય બાળક ની શ્રેણીમાં લાવવામાં હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા તથા અન્ય સહયોગી મહાનુભાવો ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ ઝુંઝા વિગેરે માર્ગદર્શન અને સુચનાનુસાર તેમજ હિયુવા ના જિલ્લા અધ્યક્ષ તેમજ નાના મોટા દરેક સદસ્યો અને પદાધિકારીઓ વ્યક્તિગત જવાબદારી સમજી સ્વૈચ્છિક રીતે સેવાકીય કાર્ય માં જોડાયા છે.



Saturday, 18 July 2020

‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’

આજ રોજ દેવ ભૂમિ દ્વારકા (ખંભાળિયા) ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષસ્થાને યોજાયેલ ICDS (આંગણવાડી ) સંકલન બેઠક માં ‘’ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦/ ૨૨’’ અંતર્ગત રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને અભિયાન ને સાર્થક બનાવવા હેતુને લઈને હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પદાધિકારીઓ ને બેઠક માં ખાસ  ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ...  ધન્યવાદ સાથે આભાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત (ખંભાળિયા).

આ અભિયાન અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય ના સાત જિલ્લા ના 1680 અતિ કુપોષિત બાળકો એક વર્ષ માટે દત્તક લીધેલા છે. આ તમામ બાળકો ને આગામી દિવસો માં "પોષણ આહાર કીટ" શરૂ કરવામાં આવશે. 

આજ ની બેઠક  જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તમામ તાલુકા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રીગ્રામ અધિકારીશ્રી, તમામ તાલુકાના સીડીપીઓ શ્રી તથા હિન્દુ યુવા વાહિની તરફ થી હરપાલસિંહ જાડેજા,  મંગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેલ....


Friday, 17 July 2020

લોકોને મારવા માટે પોલીસ નથી ; ભાવનગર રાજ ના દીવાન પ્રેમશંકર....

રાજા (શાસકો) કેવા હોય…અને પ્રજા સાથે રાજા નું વર્તન શું હોય... પોલીસ માટે અને ખાસ પોલીસ નો દુરુપયોગ કરી પોતાના વટક વાળતા શાસકો માટે આ ઘટના  ”બોધપાઠ” બની તે હેતુ થી મુકી છે… એટલે તો ભાવનગર નાં રાજા પ્રજાવત્સલ રાજવી કહેવાયા છે… જેનું આખા દેશના લોકો અને અમો ક્ષત્રિય રાજપુતો ને ગૌરવ છે.

૧૯૨૭ ની વાત છે તે વખતે ભાવનગરના બાળમહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલ્યા હતા…. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે લોકો બાળમહારાજાના સ્વાગત માટે હારતોરા લઈને, રેલવે સ્ટેશને ઉમટ્યા…. ટ્રેન શિહોર રેલવે સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી હતી… લોકો સ્વાગત માટે અધીરા થયા હતા… એવો ધસારો થયો કે દીવાન પ્રભાશંકરની પાઘડી પડી ગઈ અને કપડા ફાટી ગયા…. બાળમહારાજા ધક્કે ચડી ગયા… અને તેમનો સાફો નીકળી ગયો.. લોકોનો ધસારો વધતો હતો… તેમને રોકવા ફોજદારે લાઠીચાર્જ કર્યો… દીવાન પ્રભાશંકરે બૂમ પાડી… “લોકોને મારવા માટે પોલીસ નથી આઘા ખસો ” બાળમહારાજાએ પણ કહ્યું “ મારા લોકોને શામાટે મારો છો..?”

દીવાન પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ કર્યો “ફોજદાર પાસેથી આજે જ 10 રુપિયા દંડ વસૂલ કરવો”…. પરંતુ બીજે દિવસે તેમણે દંડ માફ કર્યો… 

થોડા દિવસ પછી દીવાન પ્રભાશંકરનો કેમ્પ શિહોર મુકામે હતો ત્યારે ફોજદાર આભાર માનવા ગયા…
પ્રભાશંકરે કહ્યું : “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો… પરંતુ લોકોને મારવાથી ઊલટી ગેરવ્યવસ્થા વધે… “લોકોને રાજ્ય તરફ માન ઘટે”…. હું તમારી જગ્યાએ હોઉં તો..? લોકો લાંબા સમયથી રાહ જોઈને કંટાળે… જો આ રીતે લોકોને અગાઉથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત.. ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે.”

મુળ લેખક:-
શ્રી લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન (ગુજરાત)

Thursday, 16 July 2020

नेटफ्लिक्स वेब सीरीज़ पे प्रतिबंध की मांग

राजकोट जिल्ला कलेक्टर श्री के माध्यम से मान. केंद्रीय मंत्रीश्री प्रकास जावड़ेकर जी (Ministry of Information & Broadcasting, Government of India) को एक निवेदन दिया गया है, जिसमें वेब श्रृंखला Netflix India और Amazon Prime Video पर प्रतिबंध लगाने का अनुरोध किया गया है, जो हिन्दु संस्कृति व धार्मिक आस्था को चोट पहुंचा रही है।
हिन्दु युवा वाहिनी गुजरात के प्रदेश प्रभारी हरपालसिंह जडेजा जीऔर हिन्दु जागरण मंच राजकोट के विक्रमसिंह परमार, मंगेशभाई देसाई, राजुभाई पिलाई, खोडियार धाम आश्रम के महंत पूज्य १००८ जयरामदास जी महाराज, वल्लभश्रय हवेली के मुख्याजी अभिषेक बावा जी विगेरे उपस्थिति रहे थे।
#bannitflixindia