ગુજરાત પોષણ અભિયાન - ૨૦૨૦ અંતર્ગત હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજ્ય માંથી કુપોષણ નું ભારણ ઘટાડવા અને પીડિત બાળકો ને સુપોષણ આપવા હેતુ રાજ્ય ના તમામ જિલ્લા માં "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
હાલ રાજ્ય ના સાત (૭) જિલ્લામાં થી 1680 બાળકો દત્તક લેવા માં આવેલ છે.
આ જરૂરીયાત વાળા દત્તક લેવાયેલા અતિકુપોષિત બાળકોને વજન પ્રમાણે સામુદાયિક સ્તરે 12 મહિના (એક વર્ષ) સુધી દર મહિને ‘’પોષણ આહાર કીટ’’ (પોષક તત્વો યુક્ત આહાર Nutritus Hy Pro પાઉડર નો એક ડબ્બો, ઘઉં, ચણા અને સોયાબીન નો આટો એક કિલો, મિક્ક્ષ કઠોળ, ઘી, ખજૂર, ગોળ, ચણા,સુખડી, દૂધ, ફળ) વિગેરે નું વિતરણ કરવામાં આવશે તેમજ બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું સેવાકીય કાર્ય કરશે.
હિન્દુ યુવા વાહિની ગુજરાત રાજ્ય માં પહેલું સંગઠન છે કે જેને રાજ્યો ના આ પીડિત બાળકો ની મદદ હેતુ "કુપોષણ મુક્ત બાળક" મહા અભિયાન શરૂ કરેલ છે. ગત વર્ષ 2019 માં રાજકોટ જિલ્લા ના અતિ કુપોષિત પીડિત બાળકો એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ...
દેવભૂમિ દ્વારકા જિલ્લા થી તારીખ:- 30 જાન્યુ.2020 ના રોજ વહીવટી અધિકારીઓ સર્વ શ્રી અનુપમ આનંદ સાહેબ સચિવ શ્રી ગાંધીનગર, દ્વારકા મામલતદાર સાહેબશ્રી, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, હિન્દૂ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ ગઢવી રાજપાલસિંહ ગોહિલ તથા હિયુવા દ્વારકા જિલ્લા પ્રભારી તપન શુક્લા વિગેરે ની ઉપસ્થિત રહેલ તેમજ પ્રથમ કન્યાઓનું પૂજન કરીને "પોષણ આહાર કીટ" નું વિતરણ શરૂ કરવામાં આવેલ.
આ મહા અભિયાન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે શ્રીમતી કોકિલાબેન જોશી (જસદણ / વીંછીયા ના નિવૃત cdpo) જોઈન્ટ ઇન્ચાર્જ પ્રોફેસર પિન્ટુબેન પટેલ ને નિયુક્ત કરવામાં આવેલ છે.
આ મહા અભિયાન ને સફળ બનાવવા તથા પીડિત બાળકોને આ ગંભીર સમસ્યા માં થી સામાન્ય બાળક ની શ્રેણીમાં લાવવામાં હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા તથા અન્ય સહયોગી મહાનુભાવો ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ ઝુંઝા વિગેરે માર્ગદર્શન અને સુચનાનુસાર તેમજ હિયુવા ના જિલ્લા અધ્યક્ષ તેમજ નાના મોટા દરેક સદસ્યો અને પદાધિકારીઓ વ્યક્તિગત જવાબદારી સમજી સ્વૈચ્છિક રીતે સેવાકીય કાર્ય માં જોડાયા છે.