Wednesday, 27 January 2016

‘બાપા સીતારામ’ બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત આશ્રમ




બગદાણા નામ સાંભળાતા જ આપણા મુખમાં એક જ નામ આવે ‘બાપા સીતારામ’. ગુજરાત સહિત દેશ-દુનિયામાં બાપા સીતારામ નામ ગુંજતુ કરનાર પૂં. બજરંગદાસ બાપાની આવતીકાલે 39મી પૂણ્યતિથિ છે. ત્યારે ભારતભરમાંથી ભક્તો બગદાણા આવીને ગુરૂ મહારાજના ચરણોમાં શીશ નમાવશે. ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ બન્યું છે. અહીં વર્ષભર શ્રધ્ધાળુઓનો જમેલો રહે છે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે અહીં લાખોની મેદની ઉમટે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે.

બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનુ ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલા બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.
કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઈ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભક્તો રાજીના રેડ થઈ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને ‘સીતારામ સીતારામ’ રટતા.

માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે, જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીના નીર પણ થંભી ગયા હતા. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારા પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતા. બગદાણા ધામમાં ઘણાં એવાં મંદિરો પણ જોવા જેવાં છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઇ એવું લાગે છે કે અહીંયા જ રોકાઇ જવાનું મન થયા કરે છે.  અહીં એવી પણ માન્યતા છે કે બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને અહીં આવવાથી તમારા ભવનો ફેરો પલટાઈ જશે.

બગદાણા જવા માટે  એસ.ટી. બસ મળે છે ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે.

Friday, 15 January 2016

સબરીમાલા: મન, આત્મા અને દેહ શુદ્ધિની ‘મકરજ્યોત’


કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દિવ્ય જ્યોતિ અથવા મકરજ્યોતિનાં દર્શન માટે ભાવિકોની જનમેદની ઉમટી હતી. કુદરતનો આ ચમત્કાર નિહાળવા માટે દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવે છે. પર્વતોની વચ્ચે આવેલું આ મંદિર એક પર્વતની ટોચ પર આવેલું છે. એવી માન્યતા છે કે અહીં દર્શન માટે આવનારાઓની માનતા પૂરી થાય છે.
કેરળમાં સમૃદ્ધ જંગળોની વચ્ચે આવેલ પ્રસિદ્ધ તીર્થ એટલે સબરીમાલા. પશ્ચિમી ઘાટ પર્વત શ્રેણીમાં આવેલા આ સ્થળનો પ્રાકૃતિક સૌંદર્ય આજે પણ પોતાનામાં પ્રાચીન માટે જાણીતું છે. ત્યારે જોઈએ એનું પૌરાણિક મહાત્મ્ય.
પૌરાણિક કથાઓ મુજબ સબરીમાલામાં હિન્દુ ભગવાન અયપ્પાએ ખતરનાક રાક્ષસ મહિષીને માર્યા બાદ તપસ્યા કરી હતી. સબરીમાલાનું મંદિર અનેક લોકો માટે એકતા, સમાનતા અને દુનિયાની તમામ સારાઇઓનું એક પ્રતીક છે. આ મંદિરનો સંદેશ છે કે સારાઈનો નરસાઈ ઉપર હંમેશા વિજય થાય છે અને અહીં પ્રત્યેક વ્યક્તિને ન્યાય મળે છે. આ એવા કેટલાંક મંદિરોમાંનું એક છે કે જે ભક્તોને વંશ, જાતિ અને ધર્મથી ઉપર જઈ સ્વીકારે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં એક અવતાર પરશુરામે પોતાનો પરશુ (કુહાડો)) ફેંકી સબરીમાલામાં અયપ્પાની મૂર્તિનું નિર્માણ કર્યુ હતું. સબરીમાલા સરકારના એક જાહેર સાહસ ત્રાણવકોર દેવાસ્મો બોર્ડ (ટીડીબી) હેઠળ આવે છે.
મકરવિલાક્કૂ અને મંડળપૂજા
સબરીમાલામાં મુખ્યત્વે બે વાર્ષિક ઉત્સવ ઉજવાય છે. તેમાં મકરસંક્રાંતિએ ઉજવાતો મકરવિલાક્કૂ ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેમાં પાંચ લાખથી વધુ તીર્થયાત્રીઓ આવે છે. આ ઉત્સવ 14મી જાન્યુઆરીએ ઉજવાય છે. આ શુભ દિવસે ભગવાન અયપ્પાની મૂર્તિ મંદિરમાં પ્રતિસ્થાપિત કરાય છે અને તેને રાજવી આભૂષણોથી શણગારવામાં આવે છે. આ તહેવારનો આરંભ થિરુવાભરમણ જુલૂસ (દાગીનાઓની યાત્રા)થી થાય છે અને દાગીનાઓને પંડલમ મહેલથી લાવવામાં આવે છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ જુલૂસ જોવા મંદિરમાં ઊભા રહે છે. આ ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી અને આનંદ સાથે મુખ્ય મંદિર સુધી પહોંચે છે. આ પર્વ સાત દિવસ ચાલે છે અને સાતમા દિવસે ગુરુથી નામની એક વિધિ સાથે સંપન્ન થાય છે. આ વિધિ જંગલનાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાયે છે. આ દિવસે મકર નામનાં એક શુભ ધ્રુવીય તારાનો આકાશમાં ઉદય થાય છે. મકરવિલાક્કૂ પોતાની ઇન્દ્રિઓની આધ્યાત્મિક સંતુષ્ટિ નક્કી કરે છે અને એ પણ નક્કી કરે છે કે આપ પોતાના મન, આત્મા અને શરીરને વાસ્તવમાં શુદ્ધ કરીને જ ઘરે જાઓ. સબરીમાલામાં એક પવિત્ર સ્થળ મુસ્લિમ સંત વાવરૂ સ્વામીને સમર્પિત છે. એટલે જ આ સ્થળ ધાર્મિક સહિષ્ણુતા અને સદ્ભાવનો પણ પ્રતીક ગણાય છે.
યાત્રા મુશ્કેલ, પણ આહ્લાદક
સબરીમાલાનો શાબ્દિક અર્થ છે રામાયણ કાળનાં પૌરાણિક ચરિત્ર સબરીની પર્વત શ્રેણી. સબરીમાલા પર્વતો પથનામથિટ્ટા જિલ્લાની પૂર્વે છે અને આ વિસ્તાર પેરિયાર ટાઇગર હિલ રિઝર્વ હેઠળ આવે છે કે જે કેરળના સૌંદર્યની ખાસિયતને આદર્શ રીતે ગ્રહણ કરે છે. સબરીમલાના મુખ્ય મંદિરના ઇષ્ટદેવ ભગવાન અયપ્પા અથવા સ્વામી અયપ્પા છે. જે શ્રદ્ધાળુ સબરીમાલા તીર્થ યાત્રાએ આવવા માંગે છે, તેમને 14 દિવસ સુધી માંસાહારી ભોજન તથા સાંસારિક સુખોનો ત્યાગ કરવાનો હોય છે. મંદિર તરફ એક લાંબી યાત્રામાં હર્યા-ભર્યા ઝાડ, નદીઓ સહિત અનેક દર્શનીય સ્થળો આવે છે અને પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં કમ સે કમ એક વખત આ રસપ્રદ અનુભવ ચોક્કસ લેવો જોઇએ. સબરીમાલા તીર્થયાત્રા નવેમ્બર માસના મધ્યથી શરૂ થઈ જાન્યુઆરીના ચોથા અઠવાડિયામાં સમાપ્ત થાય છે. જે લોકો પગપાળા ચાલી મંદિર જવાનું પસંદ કરે છે, તેમના માટે આ કઠિન યાત્રા છે, પરંતુ થકવનાર નથી, કારણ કે યાત્રા દરમિયાન આપને વૃક્ષો મળશે કે જે આપને આરામ, શાંતિ અને શરણ પ્રદાન કરે છે. સબરીમાલા દુનિયામાં સૌથી મોટા વાર્ષિક તીર્થ સ્થળ તરીકે ગણાય છે, કારણ કે અહીં દર વર્ષે 4થી 5 કરોડ ભક્તો આવે છે. અયપ્પાનું મંદિર 18 પર્વતો વચ્ચે છે કે જે એક સુરમ્ય દૃશ્ય છે. આ મંદિર સઘન જંગલો તથા પર્વતમાળાઓથી ઘેરાયેલાં છે અને એક પહાડ પર સમુદ્ર તલથી સરેરાશ ઉંચાઈ 1535 ફુટની ઉંચાઈ પર આવેલ છે.
કેવી રીતે જશો? (ડેસ્ટિનેશનલ પૉઇંટ તરીકે કેરળના પંબાનો નક્શો મૂકવો જોઇએ..)
આપ સબરીમાલા પંબા નગર વિસ્તાર દ્વારા પહોંચી શકો છો કે જે અન્ય મુખ્ય શહેરો સાથે રેલવે અને રોડ માર્ગથી જોડાયેલું છે. સબરીમાલ આવનાર લોકો માટે ટૂરિસ્ટ પૅકેજ અને સસ્તી હોટેલ્સ પણ દરેક મોસમમાં ઉપલબ્ધ હોય છે. અહીં રહેવા માટે સબરીમાલા ટાઉનશિપ પણ છે કે જેમાં કોઈ પણ સ્થાનિક રહેવાસી નથી. આ ટાઉનશિપ તીર્થયાત્રીઓ, દુકાનો અને હોટેલો સાથે વ્યસ્ત હોય છે.
(કનૈયા કોષ્ટી)

Wednesday, 13 January 2016

लोहड़ी : संस्‍कृति और उल्‍लास का पर्व

लोहड़ी आज, जानिये क्‍या है संस्‍कृति और उल्‍लास के इस पर्व की महिमा
लोहड़ी का पर्व पूरे उत्तर भारत में बुधवार को धूमधाम से मनाया जा रहा है। यह पर्व पूरे उत्तर भारत विशेषकर पंजाब, हरियाणा, दिल्ली, हिमाचल और अन्य पड़ोसी राज्यों में हर्षोल्लास के साथ मनाया जाता है। मकर संक्राति की पूर्व संध्या पर मनाए जाने वाले इस त्यौहार में सिख एवं पंजाबी समुदाय के लोग आग जलाकर प्रकृति की पूजा करते हैं और इस दौरान लोग परंपरागत तरीके से और खुशी के गीतों के बीच लोहड़ी मनाते हैं। आग में तिल, गजक, मूंगफली, गुड़ और गन्ना चढ़ाते हुए लोहड़ी मनाते हैं।
लोहड़ी केवल पंजाब तक ही सीमित नहीं है, लेकिन वहां इस त्योहार की बात ही कुछ और है। इस दिन यहां रंग और खुशी अपने शबाब पर होती है। लोहड़ी त्योहार ही है, प्रकृति को धन्यवाद कहने का। लोहड़ी को मकर संक्रांति के आगमन की दस्तक भी कहा जाता है। लोहड़ी की संध्या में लोकगीतों की प्रस्तुति खूबसूरत समां बांध देती है। लोहड़ी के दिन खेतों में झूमती फसलों को घर ला, अग्नि प्रज्ज्वलित कर उसके चारों ओर नाच-गाकर शुक्रिया अदा किया जाता है। यह भी देवों की पूजा करने का एक अलग तरीका है। लोहड़ी के दिन भंगड़े की गूंज और शाम होते ही लकडिय़ों की आग और आग में डाले जाने वाले खाद्यान्नों की महक एक गांव को दूसरे गांव व एक घर को दूसरे घर से बांधे रखती है।
इस त्योहार का सीधा संबंध सूर्य के मकर राशि में प्रवेश से होता है। सूर्य स्वयं आग व शक्ति के कारक हैं, इसलिए इनके त्योहार पर अग्नि की पूजा तो होनी ही है। किसान इसे रबी की फसल आने पर अपने देवों को प्रसन्न करते हुए मनाते हैं।
उधर, पंजाब सरकार ने लोहड़ी त्योहार की पूर्व संध्या पर पूरे राज्य में सप्ताह भर जश्न मनाने की घोषणा की और इस दौरान जिन लोगों के यहां बेटी का जन्म होगा उन्हें विशेष तौर पर सम्मान दिया जाएगा। राज्य के सभी उपायुक्तों को लोहड़ी के त्यौहार के मौके पर विशेष जश्न मनाने के निर्देश दिये गए हैं। पंजाब के सभी जिलों में सामाजिक सुरक्षा अधिकारियों से भी कहा गया है कि स्थानीय प्रशासन के साथ समन्वय करें ताकि एक या अधिक नवजात बच्चियों के गौरवान्वित अभिभावकों को पर्याप्त रूप से सम्मानित किया जा सके।
ज़ी मीडिया ब्‍यूरो 

Tuesday, 12 January 2016

સ્‍વામી વિવેકાનંદજીના વિચારો સાથે યુવકોના ઘડતરનાં સંકલ્‍પ લઇએ


સમગ્ર ભારત વર્ષ જે મહાપુરૂષને યાદ કરે છે તેવા યુવકોના આદર્શ, હિમાલય જેવા અડીખમ, દૃઢ મનોબળ યુકત આકર્ષક મુદ્રા ધરાવનારા સ્‍વામીની જન્‍મ જયંતીને યુવા દિન તરીકે એ માટે ઉજવવામાં આવે છે કે તેઓએ પોતાની ભરયુવાનીમાં દેશ માટે ઉંડુ ચિંતન કર્યુ, દેશભ્રમણ કરી પ્રજાની નિર્બળતા, લાચારી, વિવશતા, દરિદ્રતા, હિનતા અને અનેક પ્રકારની નિર્બળતાઓ નિહાળી આ પ્રજામાં નવા પ્રાણ ફંકી કહયું ઉઠો, જાગો અને ધ્‍યેયની પ્રાપ્‍તિ માટે કટિબધ્‍ધ થાઓ, એ ધ્‍યેય કર્યુ ?

   શું ફેઇસ બુક, ટવીટર, નેટ અને એવા અનેક વળગણોમાં ચોવીસે કલાક ખોવાયા રહેલું ? શું ચેટીંગ કરતાં રહી મન હી મન ખ્‍યાલી પુલાવ પકવતાં રહેવું ? શું પાનના ગલ્લે કે એવા કોઇ વ્‍યસનના સ્‍થળે સતત ગામ ગપાટા માર્યા કરી જીવન જીવવું ? ના... ના...ના... મારા યુવક મિત્રો આપણે તેમના સ્‍વપ્‍નના ભારતના નિર્માણ કરવાનું કાર્ય હજુ બાકી છે. આપ સર્વે યુવાન મિત્રો સાચા અને સાર્થક ધ્‍યેયની પ્રાપ્‍તી માટે કટિબધ્‍ધ થા ઓ !

   રાષ્‍ટ્રીય શાળા અને રાજકુમાર કોલેજના ‘જંકશન' પરની તેમની પ્રતિમા કદીએ ધ્‍યાન થી નિહાળી છે ? રામકૃષ્‍ણ આશ્રમમાં જઇ તેમના પુસ્‍તકો નિહાળ્‍યા કે વાંચ્‍યા છે? કન્‍યાકુમારીના સાગર મધ્‍યે ‘રોક મેમોરિયલ' નિહાળ્‍યું છે કે જયાં સ્‍થિત તેમની પ્રતિમા સાગરને ચેલેન્‍જ કરતાં કહે છે કે આ યૌવન તારી જેમ જ ધુધવતું રહી હમ્‍મેશ સશકત, તાકાતવાન, આત્‍મ નિર્ભર : નિર્ભય અને ભ્રષ્‍ટાચાર વિહિત ભારતનું નિર્માણ કરશે. બિલ્‍કૂલ તેમની સાથે સ્‍થિત દક્ષિણ ભારતના સંત-સુધારક ‘તિરૂવલ્લુરવલજી' સ્‍વામીજીને જાણે કે પ્રોત્‍સાહન આપી રહ્યા હોય તેવી મુદ્રામાં દૃષ્‍ટિમાન છે જયાં જઇ બન્‍નેનો સંદેશ ઝિલવો જૂરી છે.

   સ્‍વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી તેના ગુણગાન ગાવા એ જયંતીની સાર્થક ઉજવણી ન કરી કહેવાય. તેમના વિચારોને અનુરૂપ એક વર્ષમાં દશ યુવકોનું ઘડતર કરવાનો સંકલ્‍પ લઇ તેને સિધ્‍ધ કરવા કાટબધ્‍ધ થવું જોઇએ. તેમના નામે ચાલતી સંસ્‍થાઓ પહેલ કરશે ?

   મંદિરો, મઠો, તીર્થ સ્‍થાનો, એની પ્રતિષ્‍ઠા માટે તમે મને નિમંત્રણ આપો છો, અને મારી પાસેથી આશા રાખો છો કે  હું તેમાં સહયોગ આપું પણ મારા પ્‍યારા દેશવાસીઓ આજે મારો પ્રાણ તો એવું કરવા તડપી ઉઠયો છે કે, આ બધાંય મંદિરોને વેચી નાખી, તેમાંથી પ્રાપ્‍ત થનારી અપાર લક્ષ્મી વડે મારા કંગાલ ભારત દેશના આ જીર્ણશીર્ણ દેહવાળા, રોગીષ્‍ટ, દુર્બળ, ભુખ્‍યા સંતાનોનો ઉધ્‍ધાર કરૂં શું મંદિરો ઉભા કરવાની અત્‍યારે કોઇ જરૂર હોય શકે ખરી ? ના અત્‍યારે એની હરગિઝ જરૂર નથી. આજે જયારે મારો કોઇક સમયનો સુખદામ - વરદામ ભારત દેશ પોતાની અપાર અનંત વ્‍યથાઓને કારણે મૃત્‍યુ શટયા પર પડી, અસહ્ય યંત્રણ ભોગવી રહયો છે.

   ત્‍યારે તેને સંજીવની ની જરૂર છે. તે સંજીવની આપવાની તમારા વર્તમાન ધર્મ, કર્મ કે મંદિરો અને મઠો પાસે મુદલ શકિત રહી નથી. એ સંજીવની તમારી પોતાની પરમ પવિત્ર આત્‍મ શકિતમાંથી પેદા થઇ શકે તેમ છે. એના સર્જક તમે પોતે જ બની શકો તેમ છો. અંધશ્રધ્‍ધા, સામાજીક રૂઢિઓ અને ધર્મ વિષેના ખોટા ખ્‍યાલોની જે કાળ મીંઢ વ્રજશૃંખલાઓએ તમારા આત્‍માની આસપા ભરડો લઇ જે રીતે તમારા પ્રાણને રૂંધી રાખ્‍યો છે, એ શૃંખલાઓના જીવલેણ બંધનોને તોડવામાં જ તમારા દેશનું કલ્‍યાણ અને તમારા આત્‍માનું પરમ ગૌરવ છૂપાયેલા છે. તમારી આત્‍મશકિતને જાગૃત કરો. આ મૂઢમતિઓ! પથ્‍થરના મંદિરની નિર્જીવ મૂર્તિઓની પૂજા કરતાં પહેલાં તમારા પ્રાણ મંદિરમાં રહેલા શિવને ઓળખી કાઢવાનો  પ્રયાસ કરો. તમારા હૃદય મંદિરમાં સત્‍યનો દીવો પ્રગટાવીને એ અદ્રશ્‍ય સૌંદર્ય - મૂર્તિનું  દર્શન કરો... એનું જ પૂજન કરો.. એનું જ અર્ચન કરો... અને પછી.. તમે જે કંઇ કરી શકશો એ એવું અપૂર્વ, એવું આનંદદાયક અને નિઃસીમ સુખથી ભરેલું હશે કે આના હીન ભાગી ભારત દેશની એ ભવ્‍ય સિધ્‍ધિને સારૂં વિશ્વ આヘર્ય મુગ્‍ધ નેત્રે જોઇ રહેશે.

   -: સંકલન :-
   ડો. ગિરીશ જે. ત્રિવેદી
   (સેવા નિવૃત હિન્‍દી-પ્રોફેસર સૌરાષ્‍ટ્ર યુનિ. રાજકોટ) 
‘ઓમ' ૧ સોમનાથ સોસાયટી, ગલી નં. ર, રોઝરી સ્‍કુલ પાસે, 
૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

Friday, 1 January 2016

કાલ ભૈરવજી : બ્રહ્માજીના અહંકારને નષ્ટ કર્યો હતો.





કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. શ્રદ્ધાળુ ભક્તો આ દિવસે વ્રત પણ રાખે છે. આ દિવસના દરેક પ્રહરમાં કાલ ભૈરવ અને ઈશાન નામના શિવની પૂજા કરવાનું અને અર્ધ્ય આપવાનું વિધાન છે. મધ્ય રાત્રિ પછી કાલ ભૈરવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખી રાત જાગરણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ભૈરવનું વાહન કૂતરો છે. તેથી આ દિવસે કૂતરાં ખાસ કરીને કાળા રંગના કૂતરાંની પણ પૂજા કરવામાં આવે છે.

આ દિવસના વ્રતનો ઉલ્લેખ શિવ પુરાણમાં વિસ્તારથી કરવામાં આવ્યો છે. કાલભૈરવને ભગવાન શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે બપોરના સમયે શિવજીના પ્રિય ગણ ભૈરવનાથનો જન્મ થયો હતો. ભૈરવથી કાળ પણ ભયભીત રહે છે, તેથી તેમને કાલભૈરવ પણ કહે છે. ભારતમાં ભૈરવજીનાં ઘણાં મંદિરો છે, જેમાં કાશીમાં આવેલું કાલ ભૈરવ મંદિર જગપ્રસિદ્ધ છે.


ભૈરવજીનું વ્રત-પૂજન ગણેશજી, વિષ્ણુ ભગવાન, યમ, ચંદ્ર, કુંબેર વગેરેએ કર્યું હતું અને આ કાલ ભૈરવ જયંતીના વ્રતના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ બન્યા હતા, અપ્સરાઓને સૌભાગ્ય મળ્યું હતું અને ઘણાં રાજા ચક્રવર્તી બન્યા હતા. તેથી તેને સમસ્ત કામનાઓ પૂર્ણ કરતું વ્રત માનવામાં આવે છે.
ભૈરવજીના ઉપવાસ માટે આઠમ અથવા ચૌદશનો દિવસ જ્યારે રવિવાર કે મંગળવાર હોય તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આઠમના દિવસે સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કર્યાં પછી જો કાલ ભૈરવની પૂજા કરવામાં આવે તો ઉપાસકનાં તમામ સંકટો અને વિઘ્નો દૂર થાય છે. ભૈરવ મંદિરમાં ચઢાવવામાં આવેલા કાળા દોરાને ગળા અથવા બાવડા પર બાંધવામાં આવે તો તે વ્યક્તિ પર ભૂત-પ્રેત અને જાદૂ-ટોણા વગેરેની કોઈ અસર થતી નથી. શિવ પુરાણ, શતરુદ્ર સંહિતાના અધ્યાય-૮ અનુસાર ભગવાન શંકરે આ જ આઠમના દિવસે બ્રહ્માજીના અહંકારને નષ્ટ કર્યો હતો. તેથી આ દિવસ ભૈરવ અષ્ટમી તરીકે ઓળખાવા લાગ્યો.........



Shri Shani Chalisa


કોર્ટની બહાર એક ચાની લારીવાળા ની દીકરી કોર્ટમાં જજ બની

Shruti


 એક પ્રેરક ઘટના... પંજાબના જાલંધરના નાકોદર જિલ્લાની એક કોર્ટમાં એક યુવતી શ્રુતીની નિમણૂક જજ તરીકે થઇ છે. સામાન્‍ય લાગતી આ ઘટનામાં અસામાન્‍યતા પડદા પાછળ રહેલી છે. જજ શ્રુતીએ સ્‍થાન ગ્રહણ કર્યું ત્‍યારે કોર્ટની બહાર એક ચાની લારીવાળા ગરીબ વડીલની આંખ આંસુથી છલકાઇ હતી. આ આંસુ હર્ષના હતા. આ વડીલનું નામ સુરેન્‍દ્રકુમાર છે. પેટિયું રળવા ચાની લારી કરી... પરિવારનું ગુજરાન ચલાવ્‍યું ... દીકરીને ભણાવી... આ દીકરી કોર્ટમાં જજ બનીને આવી હતી...
   ગરીબ બાપની દીકરી શ્રુતિ પંજાબ સિવિલ સર્વિસ (ન્‍યાય)ની પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થઇ હતી. એક વર્ષની તાલીમ બાદ પિતા જયાં ચા વેચે છે તે કોર્ટમાં જજ બનીને આવી.. પિતા સુરેન્‍દ્રભાઇએ આંસુ સાથે કહ્યું- ‘મને જે લોકો પરેશાન કરતા એ હવે સલામ ભરે છે...'
   આ ન્‍યુઝ પ્રેરક છે અને સકારાત્‍મક છે. કરોડો લોકોને પ્રેરણા આપતા સમાચારમાં ભારતીય મીડિયાને રસ પડતો નથી, દેશના મોટા ગણાતા માધ્‍યમો માટે આવા સમાચારો ફાલતુ ગણાય છે. આપણે ભલે શ્રુતિ મેડમને ઓળખતા નથી, પણ તેમને અને તેમના પિતાશ્રીની સાધનાને સલામ કરીએ.
 શ્રુતિ મેડમ જેવાને વારસાની હૂંફની જરૂર ન હોય, ક્ષમતા હોય તો તણખલા પણ પથ્‍થરો ફાડીને ઉગી નીકળે છે.

Yogi Aditynath Maharaj ki sena ' Hindu Yuva Vahini '